અમરેલી પાયલ ગોટી કેસમાં માનવ અધિકાર આયોગ સક્રિય, એસ.પી.ને નોટિસ ફટકારી ચાર અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો
અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામની 20 વર્ષની યુવતી પાયલ ગોટી સાથે થયેલા માનવ અધિકાર ભંગના ગંભીર મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હીએ અમરેલી જિલ્લા પોલીસ વડાને નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં તપાસ અને કરેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
પાયલ ગોટી અમરેલી શહેરમાં મનીષ વઘાશિયાની ઓફિસમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરતી હતી. 28 ડિસેમ્બર, 2024ના રોજ "લેટર કાંડ"ના કેસમાં તેમને સાક્ષી તરીકે ન લઈ, પોલીસ દ્વારા આરોપી બનાવી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા રાત્રે 12:15 કલાકે તેમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કાયદા મુજબ મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી કરવી બંધાય નહીં. ધરપકડ બાદ પાયલ ગોટીને એલ.સી.બી. ઓફિસમાં રાખવામાં આવી હતી અને બીજા દિવસે સાંજે ચાર વાગ્યે તેમની સામે એફઆઈઆર નોંધાઈ હતી. એ સમયગાળા દરમિયાન પાયલ ગોટીને 16 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદેસર અટક કરવામાં આવી હતી.
પોલીસે "રી-કન્સ્ટ્રક્શન"ના બહાને પાયલ ગોટી અને અન્ય આરોપીઓને જાહેર માર્ગ પર લોકોની અને પત્રકારોની હાજરીમાં પરેડ કરાવી હતી, જેને કારણે પાયલની ઓળખ છતી થઈ અને તેમની જાતિગaurવભંગ થયો. વધુમાં, પોલીસ દ્વારા પત્ર સાચો છે કે ખોટો તેની કોઈ પ્રકારની ફોરેન્સિક તપાસ કર્યા વિના સીધી FIR દાખલ કરી દેવામાં આવી હતી. પાયલનો એવો પણ આક્ષેપ છે કે ધરપકડ દરમિયાન તેમની સાથે પોલીસ દ્વારા મારપીટ અને શારીરિક ત્રાસ અપાયો હતો.
આ મામલે અમરેલીના માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે 8 જાન્યુઆરી, 2025ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં પાયલના માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે તાકીદની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી અને સરકાર તરફથી 55 લાખ રૂપિયાની તાત્કાલિક અંતરિમ રાહત તેમજ દોષિત અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવા પણ માંગ કરવામાં આવી હતી.
આયોગે 25 એપ્રિલ, 2025ના રોજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ ફટકાવતાં ચાર અઠવાડિયામાં કાર્યવાહીનો અહેવાલ સબમિટ કરવાનો આદેશ કર્યો છે. આ સાથે, તમામ દસ્તાવેજો અને જવાબ NHRC પોર્ટલ મારફતે મોકલવાની સૂચના આપવામાં આવી છે.
કેસમાં પાયલના બંધારણ હેઠળના અધિકારો જેમ કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર (આનુચ્છેદ 21), સમાનતા અધિકાર (આનુચ્છેદ 14) અને જાતિ આધારે ભેદભાવ વિરુદ્ધનો અધિકાર (આનુચ્છેદ 15)નું ઉલ્લંઘન થયાનું જણાઈ રહ્યું છે. અમરેલી પોલીસે પ્રતિક્રિયા નહીં આપે અથવા સંતોષકારક અહેવાલ નહીં આપે તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ આગામી પગલાં રૂપે કડક કાર્યવાહી કરી શકે છે.
Comments