सीधे मुख्य सामग्री पर जाएं

અજ્ઞાનની અવિરત ગંગા: ગુજરાતનું ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે

 - રિમ્મી વાઘેલા
 તારીખ 29 ફેબ્રુઆરી, 2024ના રોજ છાપામાં અડધા પાનાની ‘વિકસિત ગુજરાત@ 20147’ અંતર્ગત બજેટ 2024-25ની મોટી જાહેરાત જોઈ. કદાચ બધાની નજર પડી પણ હશે. કરોડોના આંકડાઓની મોટી મોટી જાહેરાતો સાથે જાહેરાતના અંતમાં લખેલું છે કે “આઝાદીના અમૃતકાળમાં ગુજરાતમાં વહી રહી છે અવિરત જ્ઞાનરૂપી ગંગા”. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે વૈદિક યુગથી આધુનિક યુગના શિક્ષણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે
ચોક્કસ જાહેરાતો તો હાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. પણ આ જાહેરાતો અને તાજેતરમાં વિધાનસભાના સત્રમાં સરકારે આપેલા જવાબો ક્યાંય બંધ બેસતા નથી. એટલું જ નહીં, આ જાહેરાતથી સંપૂર્ણપણે વિપરીત ચિત્ર રજૂ કરે છે.  જો કે આવી જાહેરાતોથી કોઈ પ્રભાવિત થતું નથી. અને જાહેરાતને આપણે માત્ર જાહેરાત જ માનીએ,   આપણે લોકશાહીના એવા તબક્કામાં આવીને  ઊભા છીએ. જાહેરાતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોઈ જ ના શકે, તે કડવી વાસ્તવિકતા હવે આપણે સહુ સ્વીકારી ચૂક્યા છીએ.
અફસોસની વાત એ છે કે શિક્ષણને જો આપણે સામાજિક પ્રગતિનો મુખ્ય માપદંડ ગણતા હોઈએ તો આ જ શિક્ષણક્ષેત્રમાં પ્રવર્તતી અરાજકતા ક્યારેય પણ કોઈપણ પ્રકારની ચૂંટણીમાં મુદ્દો નથી બનતી. વિદ્યાર્થીઓ- શિક્ષણના પ્રશ્નો ક્યારેય કોઈ પણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હોતા નથી. દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીની માત્ર ચૂંટણીલક્ષી કવાયત ચાલી રહી છે, ત્યારે દેશના ગુજરાત મોડલમાં ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે જોઈએ!

શિક્ષણનું ખાનગીકરણ:

રાજ્યમાં અત્યારે સૌથી ભયંકર શિક્ષણક્ષેત્રે પ્રવર્તતો કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષણનું ખાનગીકરણ છે. શિક્ષણમાં ખાનગીકરણના કારણે શિક્ષણ આજે સાધારણ લોકોની પહોંચ બહાર જતું રહ્યું છે. મોટાભાગના વાલીઓ ઈચ્છે છે કે પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપે અને વાલીઓની આ ઇચ્છાઓ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ફળીભૂત થતી હોય તેવું સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ જોઈને લાગતું નથી. પરિણામે લોકોને જબરદસ્તી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. તેમાં પણ નવી શિક્ષણ નીતિ 2020 તો પી. પી. પી. - પબ્લિક ફિલાંથ્રોફિક પાર્ટનરશીપના નામે શિક્ષણના ખાનગીકરણ માટે ખુલ્લો દોર આપે છે. 
માર્ચ 2022માં ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 1000 જેટલી પ્રાથમિક કન્યાશાળાઓ ઓછી સંખ્યાને બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. તો તેનાથી વિપરીત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં કુલ 1172 નવી ખાનગી હાઇસ્કુલો શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ સ્થિતિ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આખા દેશમાં 140 ખાનગી યુનિવર્સિટીઓ ખૂલી છે, તેમાં સૌથી વધુ ગુજરાતમાં છે.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રાથમિક કક્ષાએ કોઇ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષા ન લેવાનો કાયદો હોવા છતાં ધોરણ 5માં સરકારે CETની પરીક્ષા લીધી. તેનું પરિણામ અને મેરીટ પણ જાહેર કરવામાં આવ્યું. હવે જો મેરીટમાં આવેલ વિદ્યાર્થી ધોરણ 6માં પોતાની જ સરકારી શાળામાં આગળનો અભ્યાસ ચાલુ રાખે તો માત્ર 5000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે. પણ આ જ વિદ્યાર્થી જો અન્ય ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેને 20,000 એટલે કે ચાર ગણી વધારે શિષ્યવૃત્તિ મળે. આ સ્થિતિમાં હોશિયાર વિદ્યાર્થીઓ વધુ શિષ્યવૃત્તિ મેળવવા માટે ખાનગી શાળામાં જશે. શું સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ખતમ કરવાની આ નીતિ નથી?

શિક્ષણમાં મોંઘવારી:

વારંવાર શૈક્ષણિક સંસ્થાઓમાં થતો ફી વધારો વાલીઓ માટે આજે સૌથી મોટી ચિંતાનો વિષય છે. નવી શિક્ષણ નીતિ બાદ ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક અભ્યાસક્રમોમાં સરકારે કોમન રજીસ્ટ્રેશનથી પ્રવેશ આપવાનો આ વખતે નિર્ણય કર્યો છે. આ કોમન રજીસ્ટ્રેશન, પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવશે. અને તેની ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન ફી સરકારની યુનિવર્સિટીઓ કરતા ખૂબ જ વધારે છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધી રજીસ્ટ્રેશન ફી 125 રૂપિયા હતી. હવે વિદ્યાર્થીએ કોમન રજીસ્ટ્રેશન કરાવવા માટે ₹300 ચૂકવવા પડશે. અનેક સરકારી યુનિવર્સિટી રજીસ્ટ્રેશન માટેની ફી નથી લેતી. વિદ્યાર્થીઓ માટે આ તક પણ જતી રહી. ઘણીવાર ₹300 આપણને સાધારણ લાગે. પરંતુ જે દેશમાં 80 કરોડ લોકો રાશનના અનાજ ઉપર નભતા હોય ત્યાં ₹300 માત્ર રજિસ્ટ્રેશન માટે ચૂકવવાના આવે, તો કેવી સ્થિતિ થાય? એટલું જ નહીં રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ જાતે કરી શકતા નથી. પરિણામે સાઇબર કાફેમાં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે. તેના 200-300 રૂપિયા થાય તે અલગ.
નવી શિક્ષણનીતિ 2020નો અમલ કરવાની સાથે સ્નાતક અભ્યાસક્રમ હવે ઓનર્સની ડિગ્રી સાથે ચાર વર્ષનો થયો છે. પરિણામે યુનિવર્સિટી શિક્ષણ વધુ મોંઘુ થયું છે. ખાનગી યુનિવર્સિટીઓમાં જનરલ પ્રોફેશનલ અભ્યાસક્રમોની ફી સરેરાશ રૂ. 78,000થી 8 લાખ સુધીની છે. ખાનગી યુનિવર્સિટીના સંચાલકો કહે છે કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ મળતો નથી. પરિણામે ખર્ચને પહોંચી વળવા તેમણે ફીનું ધોરણ આટલું ઊંચું રાખવું પડે છે. પણ આ સંસ્થાઓ રહી ભારે સેવાભાવી!!!! આ વ્યવસાય  પરવડતો ના હોવા છતાં પણ એક માત્ર જાણે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા હોય તેમ પોતાની દુકાનો ચાલુ રાખવા માંગે છે!
તાજેતરમાં જ સમાચાર હતા કે સરકારે ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટ ઓછી કરતા ધોરણ 12ની માસિક ફી જે 95 રૂપિયા છે તેના બદલે 400 રૂપિયા વસૂલવા સંચાલક મંડળે સરકારને ભલામણ કરી છે. ત્યાં સુધી કે બોર્ડની પરીક્ષા ફીમાં પણ વધારો થાય છે. અનેક આશ્રમશાળાઓ, બુનિયાદી શિક્ષણની શાળાઓ ગ્રાન્ટના અભાવે બંધ કરવામાં આવી રહી છે.
રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફી નિયમન માટે ફી નિયમન સમિતિ છે. પરંતુ આ ફી નિયમન સમિતિ જાણે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોના હિતમાં જ બનાવવામાં આવી હોય તેવી તેમની કાર્યવાહી હોય છે. 
રાજ્યમાં પ્લે સ્કૂલ - નર્સરી માટે ફીને લગતા કોઈ જ ચોક્કસ નીતિ નિયમો નથી. પરિણામે પ્લે સ્કૂલમાં પણ એક વર્ષની ફી ₹50,000થી શરૂ કરીને લાખોમાં ઉઘરાવવામાં આવે છે.
આટલું જ નહીં, દર વખતે સ્ટેશનરી યુનિફોર્મ પાઠ્યપુસ્તકો આ બધાના ખર્ચમાં વધારો થાય તે તો અલગ દર વર્ષે શાળાઓ જુદી જુદી પ્રવૃત્તિ ના નામે પણ પૈસા ઉઘરાવતી હોય છે અને તેમની ઉપર જાણે કે કોઈ જ નિયંત્રણ નથી વાલીઓ સંપૂર્ણપણે લાચાર અવસ્થામાં છે.

શિક્ષણમાં ગુણવત્તાની સંપૂર્ણપણે ગેરહાજરી:

તાજેતરમાં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ - સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર એજ્યુકેશન રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના 70% શહેરી શિક્ષકો વ્યવસાયિક લાયકાત ધરાવતા નથી. અને રાજ્યમાં લાયકાત વગરના 98% શિક્ષકો ખાનગી શાળાઓમાં છે. રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદમાં સૌથી વધુ 800 જેટલા શિક્ષકો લાયકાત વગરના છે. આ સ્થિતિમાં લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આપણા બાળકોને શું ભણાવવામાં આવતું હશે અને કેવું ભણાવવામાં આવતું હશે તે સમજી શકાય છે!
દેશમાં શિક્ષણની સ્થિતિ અંગેના વાર્ષિક શિક્ષા સ્થિતિ રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના મહેસાણા જિલ્લાના 60 ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 14થી 18 વર્ષના 85.2% બાળકો ધોરણ 2ના પુસ્તક માંડ વાંચી શકે તેટલી જ ક્ષમતા ધરાવે છે. મહેસાણા જિલ્લો આર્થિક રીતે સંપન્ન ગણાય છે. જો ત્યાંના શિક્ષણમાં આ પ્રકારની સ્થિતિ હોય તો રાજ્યનું ચિત્ર આપણે સમજી શકીએ તેમ છીએ. 14 થી 18 વર્ષના 25% વિદ્યાર્થી માતૃભાષા પણ વાંચી શકતા નથી. 42.7%ને અંગ્રેજી વાંચતા આવડતું નથી. બજેટમાં ગમે તેટલા રૂપિયા ફાળવવામાં આવે પરંતુ તે માત્ર જો જાહેરાતોમાં જ સ્થાન ધરાવતા હોય તો રાજ્યમાં શિક્ષણનું સ્તર હાલ જે છે તેના કરતાં પણ વધુ નીચે જઈ શકે છે.

કાયમી ભરતીનો અભાવ:

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં એક તરફ વિદ્યા સહાયકો - જ્ઞાન સહાયકો કાયમી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રમાં આટલા મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી હોય, ત્યાં ખરેખર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલતું હશે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન છે.
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ એવી પ્રાથમિક શાળામાં 22,721 શિક્ષકોની ઘટ છે. એટલું જ નહીં, દેશના મોટા રાજ્યો કરતા ગુજરાતમાં ધોરણ 1થી 12માં શિક્ષકોનું મહેકમ ઘણું ઓછું છે. મહારાષ્ટ્ર, ગોવા અને કેરળમાં પ્રાથમિક સ્તરે શિક્ષકોની ઘટ શૂન્ય છે. જ્યારે દેશમાં જે રાજ્યને ડેવલોપમેન્ટનું મોડલ ગણવામાં આવે છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે આઘાતજનક છે. આ આંકડા પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લોકસભામાં જાહેર કરવામાં આવેલ છે.
ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એક સમયે વિશ્વવિખ્યાત તેવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં પ્રોફેસરોની 117 જગ્યાઓ ખાલી છે. આ જ યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યા 2114 છે. એક તરફ બી.એડ અભ્યાસક્રમ બાદ જાણે કે રૂપિયા ઉઘરાવવા માટે જ અને પૂરતા પ્રમાણમાં ભરતી ન કરવા માટે ટેટ - ટાટની પરીક્ષા દાખલ કરવામાં આવી. તો બીજી તરફ આ જ પરીક્ષા પાસ ઉમેદવારો સરકારની કામગીરીથી સંપૂર્ણપણે હતાશ છે. ગુજરાતની શાળાઓમાં કુલ 30 હજાર શિક્ષકોની ઘટ સામે અત્યાર સુધીમાં માત્ર 9 ટકા જ ભરતી થઈ છે. ટૂંકમાં બી.એડ.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ પણ જો તમે ટેટ -ટાટની પરીક્ષા ન આપી શકો તો તમને રોજગારી માંગવાનો અધિકાર નથી. કારણ કે તમે ખુદ રોજગારી માટે લાયક નથી. જાત-ભાતની પરીક્ષાઓ દાખલ કરીને સરકાર રોજગાર ઇચ્છતા યુવાનોના મગજમાં આ જ વાત ઠસાવવાનો પ્રયત્ન કરી રહી છે.
ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં પણ સ્થિતિ આ જ છે. તાજેતરમાં આચાર્યની ભરતી કર્યા બાદ પણ હજુ પણ 390 જગ્યા ખાલી પડી છે.
ઉચ્ચ શિક્ષણમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલા કોમન એક્ટ એટલે કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ પસાર કર્યા તેને 200 દિવસ થઈ ગયા હોવા છતાં પણ આઠ યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિઓના હવાલે ચાલે છે. જો કે રાજ્યમાં કુલપતિની નિમણૂક કયા માપદંડો દ્વારા થાય છે, તેની સ્પષ્ટતા કરવાની સહેજ પણ જરૂર નથી.

વિધાર્થિનીઓની હાલત સૌથી વધુ કફોડી:

તાજેતરમાં સુલત ઇન્ટરનેશનલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાળાઓમાં વિધાર્થિનીઓ માટે અલગ શૌચાલય, પાણી,  સાબુ, સ્વચ્છતા, દરવાજા વગેરેની જોગવાઈ ન હોવાથી માસિક ધર્મ સમયે વિધાર્થિનીઓ ગેરહાજર રહે છે. આ જ કારણસર વર્ષમાં 60 દિવસથી પણ વધુ સમયગાળા માટે વિધાર્થિનીઓને શાળામાં ગેરહાજર રહેવું પડે છે. ભારત સરકાર દ્વારા માસિક ધર્મ સ્વચ્છતા યોજના ચાલે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે કિશોરી દીઠ માત્ર એક જ રૂપિયો વાપર્યો છે. 10 થી 19 વર્ષ ની વચ્ચે 31.14 લાખથી વધુ લાભાર્થી સામે માત્ર 1.32 લાખ જ સેનેટરી પેડ ગુજરાત સરકાર દ્વારા વહેંચવામાં આવ્યા છે. 
આપણે શું આ 21મી સદીની વાત કરી રહ્યા છીએ? કોરોના મહામારી બાદ સાબુથી હાથ ધોવાની જાહેરાત તો આપણને હવે યાદ રહી ગઈ હશે! પરંતુ શૌચાલયમાં પાણી ન આવતું હોય એવા સમયે આપણે કયા મોઢે શિક્ષણમાં અગ્રેસર હોવાનો દાવો કરી શકીએ છીએ?
રાજ્યની સૌથી જૂની ગણાતી યુનિવર્સિટીમાં મારો વ્યક્તિગત અનુભવ પણ આ જ રહ્યો છે. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓના શૌચાલયો વિધાર્થિનીઓ માટે કફોડી પરિસ્થિતિ સર્જે છે. જો કે હું તો શૌચાલયમાં પાણી, સાબુ, સ્વચ્છતાની વાત કરી રહી છું. પરંતુ અનેક શાળાઓમાં તો શૌચાલય જ નથી. ત્યાં પાણી, સાબુ, સ્વચ્છતાની જાહોજલાલીની તો શું વાત જ કરી શકીએ?
અનેક વિધાર્થિનીઓ શાળામાં શૌચાલયના અભાવે પૂરતા પ્રમાણમાં પાણી પીતી નથી. જેના કારણે પણ તેમને અનેક પ્રકારના રોગના ભોગ બનવું પડે છે. જે તરફ તો કદાચ આપણું ધ્યાન પણ નથી.
વર્ષ 2019 - 21 દરમિયાન નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -5ના અહેવાલ અનુસાર રાજ્યમાં ધોરણ-1 માં પ્રવેશ લેતી 100 વિદ્યાર્થીનીઓમાંથી માત્ર 45 વિદ્યાર્થીની  ધોરણ 12 સુધી પહોંચે છે. આ દર્શાવે છે કે રાજ્યમાં વિધાર્થિનીઓનો ડ્રોપાઉટ રેટ કેટલો મોટો છે!

વિદ્યાર્થીઓની આત્મહત્યા:

વિદ્યાર્થીઓની આત્મહત્યા એ કદાચ આજનો સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ જવલ્લે જ આપણા સૌનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. આપણે અખબારોમાં કોટામાં થતી આત્મહત્યાના સમાચાર વારંવાર વાંચીએ છીએ. પરંતુ આપણા રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 3,740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સાચી રીતના પોતાનો અભ્યાસક્રમ ભણવાનો બને કે ના બને પરંતુ વધુને વધુ ગુણ લાવવાની બિનતંદુરસ્ત હરીફાઈ, આર્થિક કારણ, માનસિક તણાવ અને ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા હોય. પરંતુ ‘વાઇબ્રન્ટ ગુજરાત’માં ભીડ ભેગી કરવા માટે જે રીતે વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવે છે, તેનાથી જે તણાવ પેદા થાય છે, તેને પ્રતિભાવ આપવા માટે કોઈ હાજર નથી. જીટીયુએ પોતાના મોટાભાગના સેમેસ્ટરની પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ સમિટમાં ફરજિયાત હાજર રહી શકે તે માટે મોકુફ રાખી હતી. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની પરીક્ષાઓ રદ કરી હતી. ભલે આ ઘટનાઓને આપણે વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે ન જોડીએ. તેમ છતાં આ પ્રકારનું  સરકારને વહાલા થવા માટેનું યુનિવર્સિટીઓનું અણઘડ આયોજન વિદ્યાર્થીઓમાં માનસિક તણાવતો પેદા કરે જ છે. 
અલબત્ત આ તો બધા તકનિકી સવાલો છે. પરંતુ આ તકનિકી પ્રશ્નો ભેગા થઈને આપણી આખી શૈક્ષણિક વ્યવસ્થાને સાથે સાવ પાંગળી બનાવે છે. અભ્યાસક્રમોમાં થઈ રહેલા ફેરફારો તો ઔર ભયંકર છે. આપણા બાળકો-વિદ્યાર્થીઓ તર્ક કરવાનું ભૂલી જાય અથવા તો તર્કની ક્ષમતા પેદા જ ન થાય તે મુજબના અનઐતિહાસિક અને અવૈજ્ઞાનિક ફેરફારો અભ્યાસક્રમોમાં થઈ રહ્યા છે. ભ્રામક દુનિયામાં વિદ્યાર્થીઓ મહાલતા રહે તે પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. સરકારી કાર્યક્રમો,  જાહેરાતો અને પ્રચારના માધ્યમ તરીકે વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમો આ વાતની ચાડી ખાય છે. 
સંશોધનનું ક્ષેત્ર તો સંપૂર્ણપણે બરબાદીના આરે આવીને ઊભું છે. સંશોધન પાછળ ફાળવવામાં આવતી રકમ સાવ નજીવી છે. સંશોધનના વિદ્યાર્થીઓને મળતી મોટાભાગની ફેલોશીપ એક યા બીજા બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. તેટલું જ નહીં જે ફેલોશીપ મળે છે, તે પણ જો તમે કોઈ સરકારી યોજનાની સફળતાનો પ્રચાર કરતા વિષયની પસંદગી કરો, તો જ મળી શકે તેમ છે.
જે દેશની શૈક્ષણિક સંસ્થાઓ પોતે સ્વતંત્ર અને સ્વાયત્ત ના હોય તે દેશની એક પછી એક પેઢી ગુલામ બને છે અને તે પણ પોતાની જાણ બહાર! આપણા પગલાં એ જ દિશામાં આગળ વધી રહ્યા છે.

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|