सीधे मुख्य सामग्री पर जाएं

અજ્ઞાનની અવિરત ગંગા: ગુજરાતનું ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે

 - રિમ્મી વાઘેલા
 તારીખ 29 ફેબ્રુઆરી, 2024ના રોજ છાપામાં અડધા પાનાની ‘વિકસિત ગુજરાત@ 20147’ અંતર્ગત બજેટ 2024-25ની મોટી જાહેરાત જોઈ. કદાચ બધાની નજર પડી પણ હશે. કરોડોના આંકડાઓની મોટી મોટી જાહેરાતો સાથે જાહેરાતના અંતમાં લખેલું છે કે “આઝાદીના અમૃતકાળમાં ગુજરાતમાં વહી રહી છે અવિરત જ્ઞાનરૂપી ગંગા”. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે વૈદિક યુગથી આધુનિક યુગના શિક્ષણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે
ચોક્કસ જાહેરાતો તો હાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. પણ આ જાહેરાતો અને તાજેતરમાં વિધાનસભાના સત્રમાં સરકારે આપેલા જવાબો ક્યાંય બંધ બેસતા નથી. એટલું જ નહીં, આ જાહેરાતથી સંપૂર્ણપણે વિપરીત ચિત્ર રજૂ કરે છે.  જો કે આવી જાહેરાતોથી કોઈ પ્રભાવિત થતું નથી. અને જાહેરાતને આપણે માત્ર જાહેરાત જ માનીએ,   આપણે લોકશાહીના એવા તબક્કામાં આવીને  ઊભા છીએ. જાહેરાતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોઈ જ ના શકે, તે કડવી વાસ્તવિકતા હવે આપણે સહુ સ્વીકારી ચૂક્યા છીએ.
અફસોસની વાત એ છે કે શિક્ષણને જો આપણે સામાજિક પ્રગતિનો મુખ્ય માપદંડ ગણતા હોઈએ તો આ જ શિક્ષણક્ષેત્રમાં પ્રવર્તતી અરાજકતા ક્યારેય પણ કોઈપણ પ્રકારની ચૂંટણીમાં મુદ્દો નથી બનતી. વિદ્યાર્થીઓ- શિક્ષણના પ્રશ્નો ક્યારેય કોઈ પણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હોતા નથી. દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીની માત્ર ચૂંટણીલક્ષી કવાયત ચાલી રહી છે, ત્યારે દેશના ગુજરાત મોડલમાં ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે જોઈએ!

શિક્ષણનું ખાનગીકરણ:

રાજ્યમાં અત્યારે સૌથી ભયંકર શિક્ષણક્ષેત્રે પ્રવર્તતો કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષણનું ખાનગીકરણ છે. શિક્ષણમાં ખાનગીકરણના કારણે શિક્ષણ આજે સાધારણ લોકોની પહોંચ બહાર જતું રહ્યું છે. મોટાભાગના વાલીઓ ઈચ્છે છે કે પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપે અને વાલીઓની આ ઇચ્છાઓ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ફળીભૂત થતી હોય તેવું સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ જોઈને લાગતું નથી. પરિણામે લોકોને જબરદસ્તી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. તેમાં પણ નવી શિક્ષણ નીતિ 2020 તો પી. પી. પી. - પબ્લિક ફિલાંથ્રોફિક પાર્ટનરશીપના નામે શિક્ષણના ખાનગીકરણ માટે ખુલ્લો દોર આપે છે. 
માર્ચ 2022માં ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 1000 જેટલી પ્રાથમિક કન્યાશાળાઓ ઓછી સંખ્યાને બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. તો તેનાથી વિપરીત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં કુલ 1172 નવી ખાનગી હાઇસ્કુલો શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ સ્થિતિ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આખા દેશમાં 140 ખાનગી યુનિવર્સિટીઓ ખૂલી છે, તેમાં સૌથી વધુ ગુજરાતમાં છે.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રાથમિક કક્ષાએ કોઇ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષા ન લેવાનો કાયદો હોવા છતાં ધોરણ 5માં સરકારે CETની પરીક્ષા લીધી. તેનું પરિણામ અને મેરીટ પણ જાહેર કરવામાં આવ્યું. હવે જો મેરીટમાં આવેલ વિદ્યાર્થી ધોરણ 6માં પોતાની જ સરકારી શાળામાં આગળનો અભ્યાસ ચાલુ રાખે તો માત્ર 5000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે. પણ આ જ વિદ્યાર્થી જો અન્ય ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેને 20,000 એટલે કે ચાર ગણી વધારે શિષ્યવૃત્તિ મળે. આ સ્થિતિમાં હોશિયાર વિદ્યાર્થીઓ વધુ શિષ્યવૃત્તિ મેળવવા માટે ખાનગી શાળામાં જશે. શું સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ખતમ કરવાની આ નીતિ નથી?

શિક્ષણમાં મોંઘવારી:

વારંવાર શૈક્ષણિક સંસ્થાઓમાં થતો ફી વધારો વાલીઓ માટે આજે સૌથી મોટી ચિંતાનો વિષય છે. નવી શિક્ષણ નીતિ બાદ ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક અભ્યાસક્રમોમાં સરકારે કોમન રજીસ્ટ્રેશનથી પ્રવેશ આપવાનો આ વખતે નિર્ણય કર્યો છે. આ કોમન રજીસ્ટ્રેશન, પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવશે. અને તેની ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન ફી સરકારની યુનિવર્સિટીઓ કરતા ખૂબ જ વધારે છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધી રજીસ્ટ્રેશન ફી 125 રૂપિયા હતી. હવે વિદ્યાર્થીએ કોમન રજીસ્ટ્રેશન કરાવવા માટે ₹300 ચૂકવવા પડશે. અનેક સરકારી યુનિવર્સિટી રજીસ્ટ્રેશન માટેની ફી નથી લેતી. વિદ્યાર્થીઓ માટે આ તક પણ જતી રહી. ઘણીવાર ₹300 આપણને સાધારણ લાગે. પરંતુ જે દેશમાં 80 કરોડ લોકો રાશનના અનાજ ઉપર નભતા હોય ત્યાં ₹300 માત્ર રજિસ્ટ્રેશન માટે ચૂકવવાના આવે, તો કેવી સ્થિતિ થાય? એટલું જ નહીં રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ જાતે કરી શકતા નથી. પરિણામે સાઇબર કાફેમાં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે. તેના 200-300 રૂપિયા થાય તે અલગ.
નવી શિક્ષણનીતિ 2020નો અમલ કરવાની સાથે સ્નાતક અભ્યાસક્રમ હવે ઓનર્સની ડિગ્રી સાથે ચાર વર્ષનો થયો છે. પરિણામે યુનિવર્સિટી શિક્ષણ વધુ મોંઘુ થયું છે. ખાનગી યુનિવર્સિટીઓમાં જનરલ પ્રોફેશનલ અભ્યાસક્રમોની ફી સરેરાશ રૂ. 78,000થી 8 લાખ સુધીની છે. ખાનગી યુનિવર્સિટીના સંચાલકો કહે છે કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ મળતો નથી. પરિણામે ખર્ચને પહોંચી વળવા તેમણે ફીનું ધોરણ આટલું ઊંચું રાખવું પડે છે. પણ આ સંસ્થાઓ રહી ભારે સેવાભાવી!!!! આ વ્યવસાય  પરવડતો ના હોવા છતાં પણ એક માત્ર જાણે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા હોય તેમ પોતાની દુકાનો ચાલુ રાખવા માંગે છે!
તાજેતરમાં જ સમાચાર હતા કે સરકારે ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટ ઓછી કરતા ધોરણ 12ની માસિક ફી જે 95 રૂપિયા છે તેના બદલે 400 રૂપિયા વસૂલવા સંચાલક મંડળે સરકારને ભલામણ કરી છે. ત્યાં સુધી કે બોર્ડની પરીક્ષા ફીમાં પણ વધારો થાય છે. અનેક આશ્રમશાળાઓ, બુનિયાદી શિક્ષણની શાળાઓ ગ્રાન્ટના અભાવે બંધ કરવામાં આવી રહી છે.
રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફી નિયમન માટે ફી નિયમન સમિતિ છે. પરંતુ આ ફી નિયમન સમિતિ જાણે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોના હિતમાં જ બનાવવામાં આવી હોય તેવી તેમની કાર્યવાહી હોય છે. 
રાજ્યમાં પ્લે સ્કૂલ - નર્સરી માટે ફીને લગતા કોઈ જ ચોક્કસ નીતિ નિયમો નથી. પરિણામે પ્લે સ્કૂલમાં પણ એક વર્ષની ફી ₹50,000થી શરૂ કરીને લાખોમાં ઉઘરાવવામાં આવે છે.
આટલું જ નહીં, દર વખતે સ્ટેશનરી યુનિફોર્મ પાઠ્યપુસ્તકો આ બધાના ખર્ચમાં વધારો થાય તે તો અલગ દર વર્ષે શાળાઓ જુદી જુદી પ્રવૃત્તિ ના નામે પણ પૈસા ઉઘરાવતી હોય છે અને તેમની ઉપર જાણે કે કોઈ જ નિયંત્રણ નથી વાલીઓ સંપૂર્ણપણે લાચાર અવસ્થામાં છે.

શિક્ષણમાં ગુણવત્તાની સંપૂર્ણપણે ગેરહાજરી:

તાજેતરમાં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ - સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર એજ્યુકેશન રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના 70% શહેરી શિક્ષકો વ્યવસાયિક લાયકાત ધરાવતા નથી. અને રાજ્યમાં લાયકાત વગરના 98% શિક્ષકો ખાનગી શાળાઓમાં છે. રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદમાં સૌથી વધુ 800 જેટલા શિક્ષકો લાયકાત વગરના છે. આ સ્થિતિમાં લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આપણા બાળકોને શું ભણાવવામાં આવતું હશે અને કેવું ભણાવવામાં આવતું હશે તે સમજી શકાય છે!
દેશમાં શિક્ષણની સ્થિતિ અંગેના વાર્ષિક શિક્ષા સ્થિતિ રિપોર્ટ 2023 મુજબ ગુજરાતના મહેસાણા જિલ્લાના 60 ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 14થી 18 વર્ષના 85.2% બાળકો ધોરણ 2ના પુસ્તક માંડ વાંચી શકે તેટલી જ ક્ષમતા ધરાવે છે. મહેસાણા જિલ્લો આર્થિક રીતે સંપન્ન ગણાય છે. જો ત્યાંના શિક્ષણમાં આ પ્રકારની સ્થિતિ હોય તો રાજ્યનું ચિત્ર આપણે સમજી શકીએ તેમ છીએ. 14 થી 18 વર્ષના 25% વિદ્યાર્થી માતૃભાષા પણ વાંચી શકતા નથી. 42.7%ને અંગ્રેજી વાંચતા આવડતું નથી. બજેટમાં ગમે તેટલા રૂપિયા ફાળવવામાં આવે પરંતુ તે માત્ર જો જાહેરાતોમાં જ સ્થાન ધરાવતા હોય તો રાજ્યમાં શિક્ષણનું સ્તર હાલ જે છે તેના કરતાં પણ વધુ નીચે જઈ શકે છે.

કાયમી ભરતીનો અભાવ:

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં એક તરફ વિદ્યા સહાયકો - જ્ઞાન સહાયકો કાયમી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રમાં આટલા મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી હોય, ત્યાં ખરેખર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલતું હશે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન છે.
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ એવી પ્રાથમિક શાળામાં 22,721 શિક્ષકોની ઘટ છે. એટલું જ નહીં, દેશના મોટા રાજ્યો કરતા ગુજરાતમાં ધોરણ 1થી 12માં શિક્ષકોનું મહેકમ ઘણું ઓછું છે. મહારાષ્ટ્ર, ગોવા અને કેરળમાં પ્રાથમિક સ્તરે શિક્ષકોની ઘટ શૂન્ય છે. જ્યારે દેશમાં જે રાજ્યને ડેવલોપમેન્ટનું મોડલ ગણવામાં આવે છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે આઘાતજનક છે. આ આંકડા પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લોકસભામાં જાહેર કરવામાં આવેલ છે.
ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એક સમયે વિશ્વવિખ્યાત તેવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં પ્રોફેસરોની 117 જગ્યાઓ ખાલી છે. આ જ યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યા 2114 છે. એક તરફ બી.એડ અભ્યાસક્રમ બાદ જાણે કે રૂપિયા ઉઘરાવવા માટે જ અને પૂરતા પ્રમાણમાં ભરતી ન કરવા માટે ટેટ - ટાટની પરીક્ષા દાખલ કરવામાં આવી. તો બીજી તરફ આ જ પરીક્ષા પાસ ઉમેદવારો સરકારની કામગીરીથી સંપૂર્ણપણે હતાશ છે. ગુજરાતની શાળાઓમાં કુલ 30 હજાર શિક્ષકોની ઘટ સામે અત્યાર સુધીમાં માત્ર 9 ટકા જ ભરતી થઈ છે. ટૂંકમાં બી.એડ.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ પણ જો તમે ટેટ -ટાટની પરીક્ષા ન આપી શકો તો તમને રોજગારી માંગવાનો અધિકાર નથી. કારણ કે તમે ખુદ રોજગારી માટે લાયક નથી. જાત-ભાતની પરીક્ષાઓ દાખલ કરીને સરકાર રોજગાર ઇચ્છતા યુવાનોના મગજમાં આ જ વાત ઠસાવવાનો પ્રયત્ન કરી રહી છે.
ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં પણ સ્થિતિ આ જ છે. તાજેતરમાં આચાર્યની ભરતી કર્યા બાદ પણ હજુ પણ 390 જગ્યા ખાલી પડી છે.
ઉચ્ચ શિક્ષણમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલા કોમન એક્ટ એટલે કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ પસાર કર્યા તેને 200 દિવસ થઈ ગયા હોવા છતાં પણ આઠ યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિઓના હવાલે ચાલે છે. જો કે રાજ્યમાં કુલપતિની નિમણૂક કયા માપદંડો દ્વારા થાય છે, તેની સ્પષ્ટતા કરવાની સહેજ પણ જરૂર નથી.

વિધાર્થિનીઓની હાલત સૌથી વધુ કફોડી:

તાજેતરમાં સુલત ઇન્ટરનેશનલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાળાઓમાં વિધાર્થિનીઓ માટે અલગ શૌચાલય, પાણી,  સાબુ, સ્વચ્છતા, દરવાજા વગેરેની જોગવાઈ ન હોવાથી માસિક ધર્મ સમયે વિધાર્થિનીઓ ગેરહાજર રહે છે. આ જ કારણસર વર્ષમાં 60 દિવસથી પણ વધુ સમયગાળા માટે વિધાર્થિનીઓને શાળામાં ગેરહાજર રહેવું પડે છે. ભારત સરકાર દ્વારા માસિક ધર્મ સ્વચ્છતા યોજના ચાલે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે કિશોરી દીઠ માત્ર એક જ રૂપિયો વાપર્યો છે. 10 થી 19 વર્ષ ની વચ્ચે 31.14 લાખથી વધુ લાભાર્થી સામે માત્ર 1.32 લાખ જ સેનેટરી પેડ ગુજરાત સરકાર દ્વારા વહેંચવામાં આવ્યા છે. 
આપણે શું આ 21મી સદીની વાત કરી રહ્યા છીએ? કોરોના મહામારી બાદ સાબુથી હાથ ધોવાની જાહેરાત તો આપણને હવે યાદ રહી ગઈ હશે! પરંતુ શૌચાલયમાં પાણી ન આવતું હોય એવા સમયે આપણે કયા મોઢે શિક્ષણમાં અગ્રેસર હોવાનો દાવો કરી શકીએ છીએ?
રાજ્યની સૌથી જૂની ગણાતી યુનિવર્સિટીમાં મારો વ્યક્તિગત અનુભવ પણ આ જ રહ્યો છે. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓના શૌચાલયો વિધાર્થિનીઓ માટે કફોડી પરિસ્થિતિ સર્જે છે. જો કે હું તો શૌચાલયમાં પાણી, સાબુ, સ્વચ્છતાની વાત કરી રહી છું. પરંતુ અનેક શાળાઓમાં તો શૌચાલય જ નથી. ત્યાં પાણી, સાબુ, સ્વચ્છતાની જાહોજલાલીની તો શું વાત જ કરી શકીએ?
અનેક વિધાર્થિનીઓ શાળામાં શૌચાલયના અભાવે પૂરતા પ્રમાણમાં પાણી પીતી નથી. જેના કારણે પણ તેમને અનેક પ્રકારના રોગના ભોગ બનવું પડે છે. જે તરફ તો કદાચ આપણું ધ્યાન પણ નથી.
વર્ષ 2019 - 21 દરમિયાન નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -5ના અહેવાલ અનુસાર રાજ્યમાં ધોરણ-1 માં પ્રવેશ લેતી 100 વિદ્યાર્થીનીઓમાંથી માત્ર 45 વિદ્યાર્થીની  ધોરણ 12 સુધી પહોંચે છે. આ દર્શાવે છે કે રાજ્યમાં વિધાર્થિનીઓનો ડ્રોપાઉટ રેટ કેટલો મોટો છે!

વિદ્યાર્થીઓની આત્મહત્યા:

વિદ્યાર્થીઓની આત્મહત્યા એ કદાચ આજનો સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ જવલ્લે જ આપણા સૌનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. આપણે અખબારોમાં કોટામાં થતી આત્મહત્યાના સમાચાર વારંવાર વાંચીએ છીએ. પરંતુ આપણા રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 3,740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સાચી રીતના પોતાનો અભ્યાસક્રમ ભણવાનો બને કે ના બને પરંતુ વધુને વધુ ગુણ લાવવાની બિનતંદુરસ્ત હરીફાઈ, આર્થિક કારણ, માનસિક તણાવ અને ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા હોય. પરંતુ ‘વાઇબ્રન્ટ ગુજરાત’માં ભીડ ભેગી કરવા માટે જે રીતે વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવે છે, તેનાથી જે તણાવ પેદા થાય છે, તેને પ્રતિભાવ આપવા માટે કોઈ હાજર નથી. જીટીયુએ પોતાના મોટાભાગના સેમેસ્ટરની પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ વાઇબ્રન્ટ સમિટમાં ફરજિયાત હાજર રહી શકે તે માટે મોકુફ રાખી હતી. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની પરીક્ષાઓ રદ કરી હતી. ભલે આ ઘટનાઓને આપણે વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે ન જોડીએ. તેમ છતાં આ પ્રકારનું  સરકારને વહાલા થવા માટેનું યુનિવર્સિટીઓનું અણઘડ આયોજન વિદ્યાર્થીઓમાં માનસિક તણાવતો પેદા કરે જ છે. 
અલબત્ત આ તો બધા તકનિકી સવાલો છે. પરંતુ આ તકનિકી પ્રશ્નો ભેગા થઈને આપણી આખી શૈક્ષણિક વ્યવસ્થાને સાથે સાવ પાંગળી બનાવે છે. અભ્યાસક્રમોમાં થઈ રહેલા ફેરફારો તો ઔર ભયંકર છે. આપણા બાળકો-વિદ્યાર્થીઓ તર્ક કરવાનું ભૂલી જાય અથવા તો તર્કની ક્ષમતા પેદા જ ન થાય તે મુજબના અનઐતિહાસિક અને અવૈજ્ઞાનિક ફેરફારો અભ્યાસક્રમોમાં થઈ રહ્યા છે. ભ્રામક દુનિયામાં વિદ્યાર્થીઓ મહાલતા રહે તે પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. સરકારી કાર્યક્રમો,  જાહેરાતો અને પ્રચારના માધ્યમ તરીકે વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમો આ વાતની ચાડી ખાય છે. 
સંશોધનનું ક્ષેત્ર તો સંપૂર્ણપણે બરબાદીના આરે આવીને ઊભું છે. સંશોધન પાછળ ફાળવવામાં આવતી રકમ સાવ નજીવી છે. સંશોધનના વિદ્યાર્થીઓને મળતી મોટાભાગની ફેલોશીપ એક યા બીજા બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. તેટલું જ નહીં જે ફેલોશીપ મળે છે, તે પણ જો તમે કોઈ સરકારી યોજનાની સફળતાનો પ્રચાર કરતા વિષયની પસંદગી કરો, તો જ મળી શકે તેમ છે.
જે દેશની શૈક્ષણિક સંસ્થાઓ પોતે સ્વતંત્ર અને સ્વાયત્ત ના હોય તે દેશની એક પછી એક પેઢી ગુલામ બને છે અને તે પણ પોતાની જાણ બહાર! આપણા પગલાં એ જ દિશામાં આગળ વધી રહ્યા છે.

टिप्पणियाँ

ट्रेंडिंग

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

नफरती बातें: मुसलमानों में असुरक्षा का भाव बढ़ रहा है, वे अपने मोहल्लों में सिमट रहे हैं

- राम पुनियानी*  भारत पर पिछले 10 सालों से हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी (भाजपा) राज कर रही है. भाजपा आरएसएस परिवार की सदस्य है और आरएसएस का लक्ष्य है हिन्दू राष्ट्र का निर्माण. आरएसएस से जुड़ी सैंकड़ों संस्थाएँ हैं. उसके लाखों, बल्कि शायद, करोड़ों स्वयंसेवक हैं. इसके अलावा कई हजार वरिष्ठ कार्यकर्ता हैं जिन्हें प्रचारक कहा जाता है. भाजपा के सत्ता में आने के बाद से आरएसएस दुगनी गति से हिन्दू राष्ट्र के निर्माण के अपने एजेण्डे को पूरा करने में जुट गया है. यदि भाजपा को चुनावों में लगातार सफलता हासिल हो रही है तो उसका कारण है देश में साम्प्रदायिकता और साम्प्रदायिक मुद्दों का बढ़ता बोलबाला. इनमें से कुछ हैं राम मंदिर, गौमांस और गोवध एवं लव जिहाद. 

देशव्यापी ग्रामीण भारत बंध में उतरे मध्य प्रदेश के आदिवासी, किया केंद्र सरकार का विरोध

- हरसिंग जमरे, भिखला सोलंकी, रतन अलावे*  15 और 16 फरवरी को निमाड के बड़वानी, खरगोन और बुरहानपुर में जागृत आदिवासी दलित संगठन के नेतृत्व में आदिवासी महिला-पुरुषों ग्रामीण भारत बंद में रैली एवं विरोध प्रदर्शन किया । प्रधान मंत्री द्वारा 2014 में फसलों की लागत का डेढ़ गुना भाव देने का वादा किया गया था, 2016 में किसानों की आय दुगना करने का वादा किया गया था । आज, फसलों का दाम नहीं बढ़ रहा है, लेकिन खेती में खर्च बढ़ता जा रहा है! खाद, बीज और दवाइयों का दाम, तीन-चार गुना बढ़ चुका है! किसानों को लागत का डेढ़ गुना भाव देने के बजाए, खेती को कंपनियों के हवाले करने के लिए 3 काले कृषि कानून लाए गए । 3 काले कानून वापस लेते समय प्रधान मंत्री ने फिर वादा किया था कि फसलों की लागत का डेढ़ गुना भाव की कानूनी गारंटी के लिए कानून बनाएँगे, लेकिन वो भी झूठ निकला! आज जब देश के किसान दिल्ली में आपको अपना वादा याद दिलाने आए है, तब आप उनका रास्ता रोक रहें है, उनके साथ मारपीट कर उन पर आँसू गैस फेंक रहें हैं, उन पर छर्रों से फायरिंग कर रहें है! देश को खिलाने वाला किसान खुद भूखा रहे, क्या यही विकास है?

હું બહુજન સમાજ પાર્ટીથી ચૂંટણી લડ્યો. મારા કડવા અનુભવ: સુરતનાં બનાવોના પરિપ્રેક્ષ્યમાં

- વાલજીભાઈ પટેલ  બહુજન સમાજ પાર્ટીના સુરતના બનાવ પછી પાર્ટીના લાગણીશીલ નિરાશ યુવા મિત્રોને માર્ગદર્શન મળે તે માટે મેં અનુભવેલો કડવો પ્રસંગ લખવો મને જરૂરી લાગે છે. એટલે લખી રહ્યો છું. આમ તો મને લખવાની આદત નથી. હું તો લડનાર માણસ છું.

How the slogan Jai Bhim gained momentum as movement of popularity and revolution

By Dr Kapilendra Das*  India is an incomprehensible plural country loaded with diversities of religions, castes, cultures, languages, dialects, tribes, societies, costumes, etc. The Indians have good manners/etiquette (decent social conduct, gesture, courtesy, politeness) that build healthy relationships and take them ahead to life. In many parts of India, in many situations, and on formal occasions, it is common for people of India to express and exchange respect, greetings, and salutation for which we people usually use words and phrases like- Namaskar, Namaste, Pranam, Ram Ram, Jai Ram ji, Jai Sriram, Good morning, shubha sakal, Radhe Radhe, Jai Bajarangabali, Jai Gopal, Jai Jai, Supravat, Good night, Shuvaratri, Jai Bhole, Salaam walekam, Walekam salaam, Radhaswami, Namo Buddhaya, Jai Bhim, Hello, and so on.

70 पर्यावरण, युवा, वन नागरिक समूहों की अपील: प्रकृति, लोकतंत्र व युवा भविष्य के लिए वोट करें

- जन आंदोलनों का राष्ट्रीय गठबंधन   देश भर से, 70 से अधिक पर्यावरण, युवा, वन और नागरिक समूहों ने 2024 चुनाव से पहले देश की जनता को अपील जारी करते हुए कहा कि, हम यह सुनिश्चित करें कि हमारे वोट से, प्रकृति की रक्षा, सभी नागरिकों के लिए संवैधानिक और लोकतांत्रिक अधिकार और भारत के युवाओं के लिए एक सुरक्षित भविष्य प्राप्त हो। अपीलकर्ता समूहों की सूची ऊपर एवं इस लिंक पर उपलब्ध हैं।

न नौकरियाँ, न पर्याप्त मजदूरी, न राहत: अनौपचारिक श्रमिकों के लिए मोदी की विरासत

- प्रतिनिधि द्वारा  भारत में वास्तविक मज़दूरी 2014-15 के बाद से नहीं बढ़ी है, जबकि देश की जीडीपी जरूर बेहतर हुई है। इस दौरान देश की सामाजिक सुरक्षा व्यवस्था भी थम सी गई है। देश के अनौपचारिक श्रमिकों का जीवन बेहद अनिश्चित है, खासकर झारखंड जैसे राज्यों में जहां अनौपचारिक रोजगार लाखों लोगों की आजीविका का मुख्य स्रोत है।

કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે DGP ને પત્ર

- મુજાહિદ નફીસ*  કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે  DGP ને પત્ર લખી ને ગડશીશા કેસમાં IPC ની 307, 302 કલમોનો ઉમેરો કરવામાં આવે અને ગડશીશા પોલિસ ઇન્સ્પેક્ટર અને PSI શ્રીઓ ની ન્યાયહિતમાં તાત્કાલિક જિલ્લા બાહર બદલી કરવામાં આવે જેવી માંગણી કરવામાં આવી.

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.

साहित्य साम्राज्यवाद के ख़िलाफ़ जंग का मैदान: शोषण के खिलाफ आत्मसम्मान से जीने की चाह

- सुधीर कुमार   साम्राज्यवाद आज अपने खुद के अंतर्विरोधों की वजह से भी और दुनिया के अनेक हिस्सों में हो रहे साम्राज्यवाद विरोधी संघर्षों की वजह से भी गहरे संकट में आ गया है। इन संकटों से उबरने के लिए साम्राज्यवाद युद्ध की शरण में जाता है। युद्ध से बड़े पैमाने पर मौतें, विस्थापन, भुखमरी आदि समस्याएं पैदा होती हैं। मौजूदा दौर में रूस और यूक्रेन तथा इज़राइल और फिलिस्तीन के बीच चल रहे युद्धों ने मानवता के सामने एक तरफ एक भीषण संकट खड़ा किया है लेकिन शोषण के खिलाफ और मनुष्य की आत्मसम्मान के साथ जीने की चाह रखने वाले लोगों को यह अवसर भी मुहैया कराया है कि ये साम्राज्यवाद और पूंजीवाद को जड़ से उखाड़ फेंक दें।    यह बातें प्रगतिशील लेखक संघ के राष्ट्रीय सचिव श्री विनीत तिवारी ने “साम्राज्यवाद और विस्थापन: साहित्य में उपस्थिति” विषय पर अपने सम्बोधन में कही। वे अखिल भारतीय प्रगतिशील लेखक संघ की भोपाल इकाई द्वारा आयोजित स्थापना दिवस के उपलक्ष्य में व्याख्यान कार्यक्रम में बोल रहे थे। यह कार्यक्रम 14 अप्रैल 2024 को भोपाल स्थित मायाराम सुरजन भवन में कार्यक्रम आयोजित किया गया।