सीधे मुख्य सामग्री पर जाएं

સમાજસેવી, ધર્મની જડતાને પડકારનાર, ઉદારવાદના સમર્થક રમણભાઈ નીલકંઠ

- ગૌરાંગ જાની 
ગુજરાત અને અમદાવાદના જાહેરજીવનમાં મહાત્મા ગાંધીના આગમન પૂર્વે સમાજ સુધારા અને સમાજ ચિંતન ક્ષેત્રમાં શિરમોર વ્યક્તિત્વ એટલે રમણભાઈ. ધર્મની જડતાઓને પડકારનાર અને એ દિશામાં સાહિત્ય સર્જનની ઉજ્વળ પરંપરાના અગ્રણી એવા રમણભાઈ નીલકંઠ વિશે આજે વાત કરીશું.વીસમી સદીની પ્રથમ પચીસીમાં અમદાવાદને વૈચારિક રીતે બદલનાર બે વ્યક્તિત્વ. એક ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા રમણભાઈ .ગુજરાતમાંથી સૌ પ્રથમ વિદેશગમન કરનાર અને એ માટે નાગરી નાતનો દંડ અને વિરોધ સહન કરનાર મહીપતરામ રૂપરામના પુત્ર રમણભાઈની માતાનું નામ રૂપકુંવર હતું. આજથી ૧૫૪ વર્ષ પૂર્વે વર્ષ ૧૮૬૮ ના માર્ચની ૧૩ તારીખે અમદાવાદમાં વડનગરા નાગર પરિવારમાં રમણભાઈનો જન્મ થયો હતો. રસપ્રદ એ છે કે રમણભાઈની મૂળ અટક મહેતા હતી પણ તેમના એક પૂર્વજ નામે નીલકંઠ મહેતા દિવાન હતા એથી રમણભાઈની અટક મહેતા નહિ પણ નીલકંઠ પડી.
વર્ષ ૧૮૮૩માં રમણભાઈ મેટ્રિક થયા. એ સમયે તેઓ ૧૫ વર્ષના હતા.કોલેજ શિક્ષણ અર્થે તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા અને મુંબઈ યુનિવર્સિટી માં પ્રિવિયસની પરીક્ષામાં તેઓ પ્રથમ આવ્યા .વર્ષ ૧૮૮૫ માં તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં એટલા માટે પ્રવેશ લીધો કેમકે તેઓ વિશ્વવિખ્યાત કવિ વર્ડઝવર્થના પૌત્રના વિદ્યાર્થી બનવા ઈચ્છતા હતા. ૧૯ વર્ષની ઉમ્મરે ૧૮૮૭ માં તેઓ બી એ થયા.એ જ વર્ષે તેમના પત્ની હસવદનનું અવસાન થયું અને એ જ વર્ષે અર્થાત્ ૧૯ વર્ષની ઉમરે તેઓ વિદ્યાગૌરી સાથે પરણ્યા . એ જાણીતી વાત છે કે વિદ્યાગૌરી અને તેમના બહેન શારદાબહેન વર્ષ ૧૯૦૧ માં ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતકો બન્યા.
વર્ષ ૧૮૯૧માં પિતા મહીપતરામનું અવસાન થયું. તેઓ ગુજરાતમાં પ્રાર્થના સમાજના પ્રથમ સ્થાપક સભ્ય, અમદાવાદની મ્યુનિસિપાલિટીના ચેરમેન હતા. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ પ્રવાસ ગ્રંથ 'ઇંગલેંડની મુસાફરીનું વર્ણન' તેમજ ઐતિહાસિક નવલકથાઓ લખનાર મહીપતરામ આધુનિક વિચારો ધરાવતા સુધારક હતા .રમણભાઈ ને પિતાનો આ બહુમુખી વારસો મળ્યો હતો.એટલું જ નહિ તેઓ પોતે પણ ઉદારમતવાદી હોવાને કારણે પિતાના અવસાન બાદ તેમના સ્થાને અનેક નાગરિક સંસ્થાઓમાં ટ્રસ્ટી બની રહ્યા.
ગુજરાતમાં એવી પરંપરા રહી છે કે સાહિત્યકાર અને સુધારક એવી બેવડી ભૂમિકાઓ ભજવનાર વ્યક્તિઓને મહદ અંશે સાહિત્યકાર તરીકે વિશેષ ચિત્રિત કરવામાં આવે છે. પરિણામે સુધારક પાસું હાંસિયામાં ધકેલાઈ જાય છે.તેને કારણે જૂની અને નવી બન્ને પેઢીઓ સામાજિક સુધારણા ઇતિહાસથી વંચિત રહી જાય છે. રમણભાઈ વિશે પણ એમ જ બન્યું એમ કહી શકાય.આ સંદર્ભે કવિ નિરંજન ભગતનું અવલોકન સમજવા જેવું છે. તેઓના શબ્દોમાં "દલપતરામ પછી અર્વાચીન અમદાવાદને જો કોઈએ સૌથી વધુ આબાદ કર્યું હોય તો તે રમણભાઈ નીલકંઠે. દલપતરામ અને ગુજરાત વરનાક્યુલર સોસાયટી જેમ પરસ્પરના પર્યાયરૂપ હતાં તેમ રમણભાઈ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી પરસ્પર પર્યાયરૂપ હતાં.દલપતરામે જેમ સોસાયટી દ્વારા અમદાવાદને બૌધ્ધિક સ્તરે આબાદ કર્યું તેમ રમણભાઈએ અમદાવાદને મ્યુનિસિપાલિટી દ્વારા સામાજિક સ્તરે આબાદ કર્યું." ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીના પ્રારંભે ગુજરાતમાં બે વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષમાં એક પક્ષે મણીલાલ નભુભાઈ દ્વિવેદી હતા જેઓ ધર્મના પરિમાણયુક્ત સમાજ દર્શનના હિમાયતી હતા તો સામે પક્ષે રમણભાઈ સામાજિક અને તે પણ ઉદારવાદી પરિમાણના સમર્થક હતા .
વર્ષ ૧૮૯૭ માં રમણભાઈએ ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કર્યો અને ૧૯૧૨ સુધી સતત ૧૪ વર્ષ તેની મોટાભાગની સલાહકાર સમિતિઓમાં કામ કર્યું હતું.૧૯૧૫ થી ૧૯૨૪ એમ એક દાયકા સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચુંટાએલા પ્રમુખ હતા .વકીલ હતા એટલે તેઓ કાનૂની સલાહ અને તે પણ નિશુલ્ક આપતા રહ્યા.એ જમાનાની ૭૫ થી ૫૦૦ રૂપિયાની ફી ને સ્થાને માત્ર ૩૦ રૂપિયા ફી લઈને કોર્ટમાં કેસો માટે રજૂઆત કરી હતી.રાજકીય ખટપટોને કારણે ૧૯૨૪ ની ચૂંટણીમાં રમણભાઈનો પરાજય થયો હતો.એવું કહેવાય છે કે મ્યુનિસિપાલિટીમાં રાજકારણ નો પ્રવેશ આ ઘટનાથી શરૂ.થયો.
આજનું અમદાવાદ જે સંસ્થાઓના પ્રદાનને કારણે નાગરિક કે સામાજિક ક્ષેત્રે આબાદ બન્યું છે એ સંસ્થાઓમાં એક સદી પૂર્વે રમણભાઈનું સફળ નેતૃત્વ રહ્યું હતું. આ સંસ્થાઓમાં પ્રાર્થનાસમાજ, અનાથઆશ્રમ, બહેરમુંગાની શાળા, મદ્યપાન નિષેધ, ગુજરાત સાહિત્ય સભા, લિબરલ લીગ, ગુજરાતી સાહિત્ય પરિષદ, લિટરરી ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાનસુધાના તંત્રી, લો લાયબ્રેરી, સ્ત્રી કેળવણી મંડળ, કન્યાશાળાઓ, અંજુમને ઇસ્લામ, રેડક્રોસ, નર્સિંગ, મેડિકલ રિલીફ હોસ્પીટલો અને અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૦૫ માં સરકારે એમને એમની જાહેર સેવાઓની કદર રૂપે "રાવબહાદુર" નો અને ૧૯૨૭માં સાહિત્ય સેવાની કદર રૂપે "સર" નો ઈલ્કાબ આપ્યો હતો.
રમણભાઈએ 'ભદ્રંભદ્ર' નવલકથા અને 'રાઈનો પર્વત' નાટક દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું.  'ભદ્રંભદ્ર' દ્વારા રમણભાઈએ ભગત સાહેબના શબ્દોમાં "એમાં હિન્દુધર્મમાં જે અધમ અને અમાનુષી, પ્રત્યાઘાતી અને સુધારાને પ્રતિકૂળ અને પ્રતિકાર રૂપ દુષણો અને દુરિતો હતાં એમની પ્રત્યે રમણભાઈનો પુણ્યપ્રકોપ થયો છે". ધર્મ ભાવના અને નારી પ્રતિષ્ઠા કેન્દ્રમાં છે એવું પંચાંકી નાટક એટલે 'રાઈનો પર્વત' ઉત્તમ સ્ત્રી પાત્રો અને વિધવા વિવાહનું સમર્થન કરી રમણભાઈએ સાહિત્ય દ્વારા સમાજ સુધારાનો સંદેશ પણ આપ્યો.કાવ્યો અને પ્રાર્થનાની રચના પણ તેઓનું સાહિત્ય પ્રદાન છે. પત્ની વિદ્યાગૌરીની પ્રશસ્તિ રૂપે 'સર્વસ્વ' કાવ્ય તેમજ ખંડ કાવ્યો અને મુક્તકો રચ્યા હતા. વિવેચન ક્ષેત્ર પણ તેમનાથી વણસ્પર્શ્યું ન હતું.એ ક્ષેત્ર તેમનાથી ઉજળું બન્યું.૧૯૧૮માં તેઓ બીજી ગુજરાત સંસારસુધારા પરિષદના તથા ૧૯૨૪માં અહમદનગરની પ્રાંતિક સંસાર સુધારા પરિષદના પ્રમુખ હતા. ૧૯૦૫ના જૂનમાં તેમણે અમદાવાદમાં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્વાગત સમિતિનું અને ૧૯૨૬ના માર્ચમાં મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ શોભાવ્યું હતું.
રમણભાઈ અને વિદ્યાગૌરીના પુત્રી વિનોદીની નીલકંઠ આઝાદી પૂર્વે અને પછીના ગુજરાતનું જાણીતું અને ગૌરવવંતુ નામ છે. વર્ષ ૧૯૨૮ ના માર્ચની છઠ્ઠી તારીખે ૬૦ વર્ષની ઉમ્મરે અમદાવાદમાં રમણભાઈનું અવસાન થયું.અમદાવાદના જાહેર જીવનમાં કોઈ આખું કુટુંબ સમાજસેવાને જીવન સમર્પિત કરે એ પરંપરાનો પ્રારંભ નીલકંઠ પરિવારે કર્યો હતો.રમણભાઈ ને અંજલિ અર્પતા નિરંજન ભગત દર્શાવે છે "અમદાવાદમાં આવી સમાજસેવાની પ્રવૃતિ દલપતરામ પછી માત્ર રમણભાઈએ જ કરી છે .અમદાવાદનો આવો ત્રીજો નાગરિક તો જન્મશે ત્યારે જન્મશે".

टिप्पणियाँ

ट्रेंडिंग

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

नफरती बातें: मुसलमानों में असुरक्षा का भाव बढ़ रहा है, वे अपने मोहल्लों में सिमट रहे हैं

- राम पुनियानी*  भारत पर पिछले 10 सालों से हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी (भाजपा) राज कर रही है. भाजपा आरएसएस परिवार की सदस्य है और आरएसएस का लक्ष्य है हिन्दू राष्ट्र का निर्माण. आरएसएस से जुड़ी सैंकड़ों संस्थाएँ हैं. उसके लाखों, बल्कि शायद, करोड़ों स्वयंसेवक हैं. इसके अलावा कई हजार वरिष्ठ कार्यकर्ता हैं जिन्हें प्रचारक कहा जाता है. भाजपा के सत्ता में आने के बाद से आरएसएस दुगनी गति से हिन्दू राष्ट्र के निर्माण के अपने एजेण्डे को पूरा करने में जुट गया है. यदि भाजपा को चुनावों में लगातार सफलता हासिल हो रही है तो उसका कारण है देश में साम्प्रदायिकता और साम्प्रदायिक मुद्दों का बढ़ता बोलबाला. इनमें से कुछ हैं राम मंदिर, गौमांस और गोवध एवं लव जिहाद. 

હું બહુજન સમાજ પાર્ટીથી ચૂંટણી લડ્યો. મારા કડવા અનુભવ: સુરતનાં બનાવોના પરિપ્રેક્ષ્યમાં

- વાલજીભાઈ પટેલ  બહુજન સમાજ પાર્ટીના સુરતના બનાવ પછી પાર્ટીના લાગણીશીલ નિરાશ યુવા મિત્રોને માર્ગદર્શન મળે તે માટે મેં અનુભવેલો કડવો પ્રસંગ લખવો મને જરૂરી લાગે છે. એટલે લખી રહ્યો છું. આમ તો મને લખવાની આદત નથી. હું તો લડનાર માણસ છું.

देशव्यापी ग्रामीण भारत बंध में उतरे मध्य प्रदेश के आदिवासी, किया केंद्र सरकार का विरोध

- हरसिंग जमरे, भिखला सोलंकी, रतन अलावे*  15 और 16 फरवरी को निमाड के बड़वानी, खरगोन और बुरहानपुर में जागृत आदिवासी दलित संगठन के नेतृत्व में आदिवासी महिला-पुरुषों ग्रामीण भारत बंद में रैली एवं विरोध प्रदर्शन किया । प्रधान मंत्री द्वारा 2014 में फसलों की लागत का डेढ़ गुना भाव देने का वादा किया गया था, 2016 में किसानों की आय दुगना करने का वादा किया गया था । आज, फसलों का दाम नहीं बढ़ रहा है, लेकिन खेती में खर्च बढ़ता जा रहा है! खाद, बीज और दवाइयों का दाम, तीन-चार गुना बढ़ चुका है! किसानों को लागत का डेढ़ गुना भाव देने के बजाए, खेती को कंपनियों के हवाले करने के लिए 3 काले कृषि कानून लाए गए । 3 काले कानून वापस लेते समय प्रधान मंत्री ने फिर वादा किया था कि फसलों की लागत का डेढ़ गुना भाव की कानूनी गारंटी के लिए कानून बनाएँगे, लेकिन वो भी झूठ निकला! आज जब देश के किसान दिल्ली में आपको अपना वादा याद दिलाने आए है, तब आप उनका रास्ता रोक रहें है, उनके साथ मारपीट कर उन पर आँसू गैस फेंक रहें हैं, उन पर छर्रों से फायरिंग कर रहें है! देश को खिलाने वाला किसान खुद भूखा रहे, क्या यही विकास है?

How the slogan Jai Bhim gained momentum as movement of popularity and revolution

By Dr Kapilendra Das*  India is an incomprehensible plural country loaded with diversities of religions, castes, cultures, languages, dialects, tribes, societies, costumes, etc. The Indians have good manners/etiquette (decent social conduct, gesture, courtesy, politeness) that build healthy relationships and take them ahead to life. In many parts of India, in many situations, and on formal occasions, it is common for people of India to express and exchange respect, greetings, and salutation for which we people usually use words and phrases like- Namaskar, Namaste, Pranam, Ram Ram, Jai Ram ji, Jai Sriram, Good morning, shubha sakal, Radhe Radhe, Jai Bajarangabali, Jai Gopal, Jai Jai, Supravat, Good night, Shuvaratri, Jai Bhole, Salaam walekam, Walekam salaam, Radhaswami, Namo Buddhaya, Jai Bhim, Hello, and so on.

70 पर्यावरण, युवा, वन नागरिक समूहों की अपील: प्रकृति, लोकतंत्र व युवा भविष्य के लिए वोट करें

- जन आंदोलनों का राष्ट्रीय गठबंधन   देश भर से, 70 से अधिक पर्यावरण, युवा, वन और नागरिक समूहों ने 2024 चुनाव से पहले देश की जनता को अपील जारी करते हुए कहा कि, हम यह सुनिश्चित करें कि हमारे वोट से, प्रकृति की रक्षा, सभी नागरिकों के लिए संवैधानिक और लोकतांत्रिक अधिकार और भारत के युवाओं के लिए एक सुरक्षित भविष्य प्राप्त हो। अपीलकर्ता समूहों की सूची ऊपर एवं इस लिंक पर उपलब्ध हैं।

न नौकरियाँ, न पर्याप्त मजदूरी, न राहत: अनौपचारिक श्रमिकों के लिए मोदी की विरासत

- प्रतिनिधि द्वारा  भारत में वास्तविक मज़दूरी 2014-15 के बाद से नहीं बढ़ी है, जबकि देश की जीडीपी जरूर बेहतर हुई है। इस दौरान देश की सामाजिक सुरक्षा व्यवस्था भी थम सी गई है। देश के अनौपचारिक श्रमिकों का जीवन बेहद अनिश्चित है, खासकर झारखंड जैसे राज्यों में जहां अनौपचारिक रोजगार लाखों लोगों की आजीविका का मुख्य स्रोत है।

કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે DGP ને પત્ર

- મુજાહિદ નફીસ*  કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે  DGP ને પત્ર લખી ને ગડશીશા કેસમાં IPC ની 307, 302 કલમોનો ઉમેરો કરવામાં આવે અને ગડશીશા પોલિસ ઇન્સ્પેક્ટર અને PSI શ્રીઓ ની ન્યાયહિતમાં તાત્કાલિક જિલ્લા બાહર બદલી કરવામાં આવે જેવી માંગણી કરવામાં આવી.

साहित्य साम्राज्यवाद के ख़िलाफ़ जंग का मैदान: शोषण के खिलाफ आत्मसम्मान से जीने की चाह

- सुधीर कुमार   साम्राज्यवाद आज अपने खुद के अंतर्विरोधों की वजह से भी और दुनिया के अनेक हिस्सों में हो रहे साम्राज्यवाद विरोधी संघर्षों की वजह से भी गहरे संकट में आ गया है। इन संकटों से उबरने के लिए साम्राज्यवाद युद्ध की शरण में जाता है। युद्ध से बड़े पैमाने पर मौतें, विस्थापन, भुखमरी आदि समस्याएं पैदा होती हैं। मौजूदा दौर में रूस और यूक्रेन तथा इज़राइल और फिलिस्तीन के बीच चल रहे युद्धों ने मानवता के सामने एक तरफ एक भीषण संकट खड़ा किया है लेकिन शोषण के खिलाफ और मनुष्य की आत्मसम्मान के साथ जीने की चाह रखने वाले लोगों को यह अवसर भी मुहैया कराया है कि ये साम्राज्यवाद और पूंजीवाद को जड़ से उखाड़ फेंक दें।    यह बातें प्रगतिशील लेखक संघ के राष्ट्रीय सचिव श्री विनीत तिवारी ने “साम्राज्यवाद और विस्थापन: साहित्य में उपस्थिति” विषय पर अपने सम्बोधन में कही। वे अखिल भारतीय प्रगतिशील लेखक संघ की भोपाल इकाई द्वारा आयोजित स्थापना दिवस के उपलक्ष्य में व्याख्यान कार्यक्रम में बोल रहे थे। यह कार्यक्रम 14 अप्रैल 2024 को भोपाल स्थित मायाराम सुरजन भवन में कार्यक्रम आयोजित किया गया।

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.