सीधे मुख्य सामग्री पर जाएं

સમાજના ભાગલા કરવા વાળા અસામાજિક તત્વો વિરુધ્ધ દેશદ્રોહની કલમો હેઠડ એફઆઇઆર નોંધાય

જૂનાગઢના મહેશ ગિરિ બાપુ, ગિરનાર છાયા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ અને બીજા અસમાજિક તત્વો વિરુદ્ધ UAPA કાયદા મુજબ FIR નોંધવા બાબતે માયનોરિટી કોર્ડિનેશન કમેટી ના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા પોલિસ અધિક્ષક શ્રી જૂનાગઢ સમક્ષ ઈમેલ દ્વારા FIR નોંધવા માટેની અરજી:
---
પ્રતિ પોલીસ અધિક્ષક શ્રી 
જૂનાગઢ
વિષય- જૂનાગઢના મહેશ ગિરિ બાપુ, ગિરનાર છાયા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ અને બીજા અસમાજિક તત્વો વિરુદ્ધ UAPA કાયદા મુજબ FIR નોંધવા બાબત
સાહેબ શ્રી,
ઉપરોક્ત વિષય સંદર્ભે આપનું ધ્યાન દોરવાનું છે કે દિવ્ય ભાસ્કર જૂનાગઢ આવૃત્તિ તારીખ 1-3-24 માં પ્રસિદ્ધ એહવાલ મુજબ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના અસમાજિક તત્વો દ્વારા કોલેક્ટર શ્રી ને આવેદન પાઠવી ને માંગણી કરી છે કે “મેળામાં બિન હિન્દુ પકડાશે તો જાહેરમાં હકાલ પટ્ટી કરાશે” .
તા 4-3-24 માં પ્રસિદ્ધ એહવાલ મુજબ મહેશ ગિરિ બાપુ કહ્યું છે કે “બગીયો મોકલતા નહીં, મોકલશો તો પરત નહીં જાય”. 
તા 5-3-24 માં પ્રસિદ્ધ એહવાલ મુજબ અગ્નિ અખાડા, જૂના અખાડા, આહ્વાન અખાડા દ્વારા માંગણી કરેલ છે કે “રવાડી માં બિન હિન્દુઓની બગીયોને પ્રવેશ ના આપો”. 
સાહેબ ઉપરોક્ત કૃત્ય ભારતના સંવિધાનના અનુચ્છેદ 19- (d)to move freely throughout the territory of India;
(e) to reside and settle in any part of the territory of India;and
(f) to practise any profession, or to carry on any occupation, trade or business. ના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ રૂપે ઉલ્લંઘન છે. 
સાહેબ શ્રી કોઈ પણ માણસ અને સંગઠન ભારતના બંધારણનો ઉલ્લંઘન અને જાહેર અપમાન કરે તે બદલ તેના વિરુદ્ધ દેશદ્રોહ, UAPA જેવા કાયદા મુજબ અવિલંબ કાર્યવાહી થવી જોઇયે. 
ઉપરોક્ત વાણી વિલાસ વહીવટી તંત્રની સામે અને લેખિત સ્વરૂપે થયેલ છે. તો શું વહીવટી તંત્ર માત્ર મુસ્લિમો વિરુદ્ધજ પોતાના રૌદ્ર સ્વરૂપ બતાવવા સક્ષમ છે, કે બંધારણ ની રક્ષાનું મુખ્ય કામ કરવાની તેઓની ફરજ છે, સાહેબ શ્રી અમારી આપણે આ લેખિતમાં અરજી છે કે આપ બંધારણમાં આપેલી જવાબદારી થી બંધાયેલા છો અને આપની ફરજ છે કે જો કોઈ પણ બંધારણ વિરુધ્ધનું કૃત્ય થાય તો તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થાય, જેથી આપની ફરજના ભાગરૂપે આપ સુનિશ્ચિત કરો કે આવા વાણી વિલાસ કરવાવાળા, સમાજના ભાગલા કરવા વાળા અસામાજિક તત્વો વિરુધ્ધ તાત્કાલિક દેશદ્રોહની કલમો અને UAPA એક્ટ હેઠડ એફઆઇઆર નોંધાય અને તેઓ જેલના સળિયા પાછળ ધકેલાય.  
નકલ રવાના- પોલીસ મહાનિરિક્ષક શ્રી, જુનાગઢ રેન્જ, જુનાગઢ 
પોલિસ મહાનિદેશક શ્રી, ગાંધીનગર, ગુજરાત

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.