सीधे मुख्य सामग्री पर जाएं

ચૂંટણી જેટલા ઓછા સમયમાં પતશે તેટલા ઓછા ખોટા કામો, નફરત ફેલાવવાનો સમય ઓછો

- એસ વાય કુરેશી* 
ચૂંટણી પ્રક્રિયા કરવામાં બે જટિલ સમસ્યાઓ આવી રહી છે, આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ)ના પરિણામે વધતી ગરમી અને સોશ્યયલ મીડિયાનો બેફામ ઉપયોગ. આવા સંજોગોમાં બહુ બધા તબક્કાઓમાં ચૂંટણી કરવી પડકાર સમાન છે. છેલ્લાં બે દાયકામાં ચૂંટણી પંચ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે, તેને જોતાં એક જ તબક્કામાં ચૂંટણી કરવામાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.
છેલ્લા દાયકાથી, ચૂંટણી દરમ્યાન અનેક તબક્કામાં મતદાનની પ્રક્રિયા સતત ચર્ચામાં રહી છે. મને પણ આ પ્રશ્ન ઘણા વખત પૂછવામાં આવ્યો છે અને હંમેશા મતદાતાઓની સુરક્ષા અને પોલિંગ સ્ટાફનું તેનું કારણ હોવાનું જણાવીને મેં તેનો બચાવ કર્યો છે. લોકોએ પણ જવાબને વાજબી ઠેરવ્યો છે પરંતુ હવે વિચારવાનો સમય આવ્યો છે. કારણ તબક્કાવાર યોજાતી ચૂંટણીમાં કારણે જે ફાયદો થયો છે, તેનાથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. 
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં સાત તબક્કામાં ૪૫-૫૦ ડિગ્રી તાપમાનમાં મતદાન થયું હતું, જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયાં હતા. લાંબા સમય સુધી ચાલેલી ચૂંટણીમાં લગભગ તમામ રાજકીય પક્ષો, મીડિયાએ સવાલ ઉઠાવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ખુદ આ વાત જાહેરમાં કહ્યું હતું, કે ચૂંટણી વહેલી પૂરી કરવાની જરૂર હતી.  
જ્યારે બહુ તબક્કામાં ચૂંટણી યોજવાનું શરૂ થયું હતું, ત્યારે પરિસ્થિતી ઘણી અલગ હતી. ચૂંટણીઓમાં બાહુબળનો ઉપયોગ ખુબજ વધારે હતો. મતદાનના દિવસે અથવા ઝુંબેશ દરમિયાન હત્યાઓ સહિતની  હિંસા એ સામાન્ય બાબત બની ગઈ હતી. ૧૯૯૦ ના મધ્યમાં, ટી. એન. શેષને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની તૈનાત કરવાનું નક્કી કર્યું. ચૂંટણી પંચ સમક્ષ મુશ્કેલી એ હતી, કે ઉપલબ્ધ અર્ધલશ્કરી જવાનોની સંખ્યા હંમેશા મર્યાદિત રહેતી હતી. તેથી ચૂંટણી વખતે દળોને સંવેદનનશીલ વિસ્તારોમાંથી પાછા ખેંચી લેવા પડ્યા હતા. સરહદો સહિત. તમામ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોને આવરી લેવા પૂરતા કર્મચારીઓ નહોતા, તેથી તેમણે પણ તબક્કાવાર અલગ અલગ જગ્યાએ ફેરવવા પડતા હતા. જેના કારણે તમામ વિવિધ તબક્કાઓમાં ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું. સ્થાનિક પોલીસ રાજકીય પક્ષો માનતા હતા કે સ્થાનિક પોલીસ એટલી સક્ષમ નથી અને રાજકીય દબાણો સામે ટકી શકતી નથી, તેથી તેમણે આપણ તબક્કાવાર ચૂંટણી યોજવાના નિર્ણયને આવકાર્યો હતો. 
ચૂંટણી પંચના આ પગલાં બાદ નિશ્ચિતરૂપે ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા લાગી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણીમાંજબરદસ્ત હોડ અને વધતાં જતાં સોશ્યલ મીડિયાના પ્રભાવના લીધે વધુ અને નવા પ્રકારની સમસ્યાઓ તેનાથી વધુ સમસ્યાઓ પેદા થઈ છે.
તબક્કાવાર યોજાતી ચૂંટણીમાં સુરક્ષા દળની ટુકડીઓ એક જગ્યાથી બીજી સંવેદનશીલ ક્ષેત્રમાં પહોંચવામાં 4 થી 5 દિવસ લાગે જ્યારે ગુનેગારો જલ્દી પહોંચી જાય છે. અફવાઓ, ખોટા સમાચારો, અને નફરત ફેલાવતા ભાષણો અને સંદેશાઓ કેટલાક સેકન્ડમાં ફેલાતા હોય છે અને તે વિનાશક પુરવાર થઈ રહ્યા છે. આ વખતની ચૂંટણી સૌથી લાંબા સમય સુધી ચાલી. વાસ્તવમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી બે અઢી મહિનામાં થઈ હતી, જેમાં સૌથી લાંબા સમય સુધી સાંપ્રદાયિક રેટરિકના ઉચ્ચ સ્તર વચ્ચે અંતર હતું. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, ખોટી માહિતી અને નફરત ફેલાવનાર ભાષણોનો વ્યાપક પ્રસાર થાય છે. ધ ગાર્ડિયને અહેવાલ આપ્યો છે કે મેટા (Meta) એ ફેસબુક, ઇનસ્ટાગ્રામ દ્વારા 2024 ની ચૂંટણી દરમ્યાન એવા જાહેરાતો ને માન્યતા આપી જે AI નો (આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ) ઉપયોગ કરીને ચાલાકી પૂર્વક બનાવવામાં આવ્યા હતા અને જેમાં ખોટી અફવાઓ, મુસ્લિમો સહિત, વિપક્ષના નેતાઓ વિશે ખોટા દાવાઓ કરતી માહિતી હતી. 
છેલ્લા એક દાયકામાં સોશિયલ મીડિયાના વિસ્ફોટથી એક ખતરનાક સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 751 મિલિયન ઈન્ટરનેટ વપરાશકારો (વર્ષ 2014માં 65 મિલિયનથી વધીને) હતા, જે કુલ વસતિના 52.4 ટકા છે. તેમાંથી લગભગ અડધા ફેસબુકનો ઉપયોગ કરે છે. વોટ્ સએપ અને યુ-ટ્યુબ હજુ પણ પાછળ નથી. CSDSના આંકડા દર્શાવે છે કે અગાઉની સામાન્ય ચૂંટણીના સરખામણીમાં આજે લગભગ ચાર ગણા વધારે લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. સપ્ટેમ્બર, 2016માં જીઓ  ફોન નેટવર્કના લોન્ચ દ્વારા શરૂ કરાયેલ સસ્તા ડેટા-ક્રાંતિએ ભારતીય રાજકારણને પણ બદલી નાખ્યું છે. રાજકીય પક્ષો સોશ્યલ આ લહર પર સવાર થવામાટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયાની સામાન્ય જનતા પર ઘણી ખરાબ અસર પડી છે. ટેક ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના એક અધ્યયનમાં મુજબ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા અપલોડ કરવામાં આવતા રાજકીય મેસેજ/વિડીયો માં એ ડિકલેરેશન કરવામાં આવ્યું નથી, કે તે વિડીયો/મેસેજ પ્રાયોજીત કરેલા છે. જે ચૂંટણી દરમ્યાન જાહેરાતો બાબતે રાખવાપાત્ર પારદર્શિતા અને જવાબદેહિતાને નુકશાન પહોંચાડે છે. 
હવે સવાલ એ આવશે કે કે જો એક જ તબક્કામાં મતદાન કરીએ તો શું  શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તે સુનિશ્ચિત થઈ શકશે? પણ ચૂંટણી પંચ દ્વારા છેલ્લા બે દાયકાઓમાં જે વિવિધ પગલાં લીધા છે, તેના આધારે હું આ કહેવાની હિમ્મત કરી શકું કે હાં આ શક્ય છે. 
ECI દેશમાં તમામ મતદાન મથકોની નબળાઈનું/અને સંવેદનશીલ બુથોનું મેપિંગ કરે છે, અને તેમાં  સંભવિત મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ ઊભી કરનારાઓને ઓળખી કાઢ્યા છે. તેમની પાસેથી સારી ચાલ ચલગતના બોન્ડ લેવામાં આવે છે. દેશભરમાં આવા લગભગ 5 લાખ ઉપરાંત લોકોને ઓળખી કાઢ્યા છે. 
ECI ગેરકાયદેસર હથિયારો કબજે કરવા માટેની ઝુંબેશ અસરકારક છે. લાઇસન્સ વાળા હથિયારોને પણ ચૂંટણી પૂર્વે જમા કરવાના હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ખૂની, બળાત્કારીઓ, અફરાન કર્તાઓ વગેરે સહિત ગુનેગારો સામે બિન-જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે છે. અગાઉ આ પ્રક્રિયાને મહિનાઓનો વિલંબ થતો હતો.  છેલ્લા બે દાયકાઓમાં આતંકવાદ અને આતંકવાદી હુમલાનાં ક્ષેત્રમાં શાંતી પ્રસ્થાપિત થઈ છે, ની પુનઃસ્થાપનની અંગેનો વાતની તો ખુદ ગૃહ મંત્રીશ્રીએ પુષ્ટિ કરી છે. 
શાંતિપૂર્ણ ચૂંટણી માટે ઘણા કાયદા અને જોગવાઈઓ લાગુ કરી શકાય છે. IPC આઇપીસીમાં કેટલીક કડક જોગવાઈઓ છે જે હેટ સ્પીચ, સાયબર ક્રાઇમ અને ઓનલાઇન મધ્યમના દુરુપયોગને નિયંત્રિત કરવા માટે લાગુ કરી શકાય છે. તેમાં કલમ 295એ (દ્દેશદ્રોહ), કલમ 153એ (સમુદાય વચ્ચે શત્રુતા), કલમ 499 (માનહાનિ) અને કલમ 505 (જાહેર રીતે ઉશ્કેરવું), 506 (અપરાધિક ધમકી). આ ઉપરાંત જનપ્રતિનિધિત્વ એક્ટ (આરપી), કલમ 125 (સમુદાય વચ્ચે નફરત) પણ છે. આ તમામ ગુનાઓમાં એક થી ત્રણ વર્ષની જેલની સજા પૂરી પાડે છે. આપણે માત્ર ગુનાઓમાં આ કલમો લાગુ કરવાનું કામ ઝડપી અને અસરકારક રીતે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. 
આપની લોકસભાની સામાન્ય ચૂંટણી એક જ તબક્કામાં થઈ શકે શકે છે.તે માટે લગભગ સુરક્ષા દળોની  4,000-5,000 કંપનીઓની જરૂર છે. અશાંત વિસ્તારોમાં હવે શાંતિનું વાતાવરણ હોવાથી તેમજ અર્ધલશ્કરી દળમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત થવાથી ચૂંટણી માટે જરૂરી સુરક્ષા દળ મળવું શક્ય છે.  
લોકપ્રતિનિધિત્વ ધારો (RP Act) ચૂંટણી જ્કહર થયા દિવસેથી ચૂંટણી પૂરી કરવા માટે 26 દિવસનો સમય આપે છે. જો ઉમેદવારોની પસંદગી જેવી રાજકીય બાબત માટે લગભગ સાત દિવસનો સમય ઉમેરી તો લગભગ 33-35 દિવસમાં સામાન્ય ચૂંટણી યોજવી પડશે. 
આમ થવાથી અર્ધલશ્કરી દળોને લાંબા ગાળા સુધી રાખવાનો કરોડો રૂપિયાનો ખર્ચ બચશે. વધુમાં આપણાં  ટોચના નેતાઓ/સ્ટાર પ્રચારકોને ચૂંટણીમાં પડતી મુશ્કેલી ઓછી થશે કારણ વિવિધ તબક્કાઓમાં યોજાતા ચૂંટણીના પ્રચાર જવું પડતું હોય છે, અને તેનાથી  અન્ય રેગ્યુલર કામો ખોરવાઈ જાય છે. 
સૌથી અગત્યની વાત એ છે કે ચૂંટણી જેટલા ઓછા સમયમાં પતશે તેટલો ખોટા કામો, અને નફરત વાળા  મેસેજ ફેલાવવા માટેનો સમય ઓછો મળશે. વડાપ્રધાને વારંવાર ચિંતા વ્યક્ત કરી છે, લાંબા સમય સુધી યોજાતાં ચૂંટણીઓના લીધે થતો ખર્ચ અને રેગ્યુલર કામો અટકી જાય છે, સમય આવી ગયો છે, કે આપણે એમણે વ્યક્ત કરેલી ચિંતા બાબતે કશુંક કરીએ.
---
*નિવૃત્ત મુખ્ય ચૂંટણી કમિશ્નર

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.