सीधे मुख्य सामग्री पर जाएं

એમનું કાર્ય: મુખ્ય સચિવની પાંખો કાપી ગેરકાયદેસર હોદ્દાનો ઉપયોગ કરી વ્યવસ્થાને કંટ્રોલ કરવો

- રમેશ વસાણ 
મોદીજી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાત ખાતે 1979 બેચના એક IAS અધિકારીની સૂબા તરીકે નિમણૂંક કરી હતી ! તેનું નામ છે કે. કૈલાસનાથન. તેમનું કામ હતું મુખ્યમંત્રી/ ચીફ સેક્રેટરી ઉપર દેખરેખ રાખવાનું ! તેમને ગુજરાતના મુખ્યમંત્રીના Chief Principal Secretaryનો હોદ્દો આપવામાં આવ્યો હતો. તેઓ ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી મોદીના અગ્ર સચિવ તરીકે હતા. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત આ હોદ્દા પર ચીટકાવીને રાખવામાં આવ્યા હતા. 30 જૂન 2024ના રોજ તેમનો છેલ્લો દિવસ હતો. કેટલાંય કાળા કામોના સાક્ષી છે આ સૂબાજી ! એટલે મોદીજી તેમને યોગ્ય જગ્યાએ ગોઠવશે !
IAS/IPS અધિકારીઓ જાણતા હતા કે ગુજરાતમાં મુખ્યમંત્રીનું કંઈ ઉપજતુ નથી એટલે તેઓ આ સૂબાનો સંપર્ક કરતા હતા અને પ્રસાદી આપી ક્રીમ પોસ્ટિંગ મેળવતા હતા ! તેના કારણે ભ્રષ્ટ IAS/ IPS બેફામ બન્યા હતા. તેથી જ ગુજરાતમાં ઠેરઠેર દારુ અને જુગારના કેન્દ્રો ધમધમતા હતા, લઠ્ઠાકાંડ થતાં હતા ! બેફામ ખનીજ ચોરીઓ થતી હતી. ગુજરાતની એકેએક નદીને ખનીજ માફિયાઓએ ખોદી નાખી છે. તેના કારણે જ નદીઓ પ્રદૂષિત બની છે. તેના કારણે જ રાજકોટ ગેમ ઝોન જેવા હત્યાકાંડો થતાં હતાં. તેમના કારણે જ દલીતોની હત્યાઓ થતી હતી. આદિવાસીઓની જમીન છીનવાતી હતી. IAS/ IPS અધિકારીઓ રાતદિવસ માત્રને માત્ર પૈસા રળવામાં લાગેલા હતા, તેમને સૂબાનું સંરક્ષણ હતું ! રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી 75 લાખનો તોડ કર્યો, તેની ફરિયાદ સતાપક્ષના MLA/ MPએ કરી છતાં મનોજ અગ્રવાલનો વાળ પણ વાંકો ન થયો ! કેમકે તેમને સૂબાનું સંરક્ષણ હતું ! વિચિત્રતા એ હતી કે મુખ્યમંત્રી ઈચ્છે તો પણ IAS/ IPS અધિકારીઓ સામે પગલાં લઈ શકતા ન હતા ! વહિવટીતંત્રને સાવ ખોખલું કરવામાં આ સૂબાએ મહત્તમ યોગદાન આપેલ. તેમણે કેટલાંય નિષ્ઠાવાન IAS/ IPS અધિકારીઓ અને મુખ્ય સચિવોની જિંદગી બગાડી નાખી હતી !
કેટલાંય મોટા મોટા સરકારી કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ રાખવામાં આવતા અને સૂબાજીનો સંપર્ક કર્યા બાદ પેમેન્ટ રીલીઝ થતું. ‘કમલમ’ને આર્થિક તાકાત આપવામાં તેમનું ઐતિહાસિક યોગદાન છે !
ઘણી વખત લોકોને આશ્ચર્ય થતું કે લોકોની વેદના બાબતે હાઈકોર્ટ માથા પછાડે છે, છતાં સરકાર/ મુખ્યમંત્રી કડક પગલાં કેમ લેતા નથી? સરકાર સંવેદનશીલ કેમ નથી? પરંતુ આ એવી લોકશાહી વ્યવસ્થા હતી જેમાં મુખ્યમંત્રીના હાથ સૂબા દ્વારા મોદીજીએ બાંધી રાખ્યા હતા ! 
વડાપ્રધાન બન્યા છતાં સૂબા દ્વારા ગુજરાતનો વહિવટ કરવાની મનોદશા મોદીજી ત્યાગી શક્યા ન હતા ! મુખ્ય સચિવની પાંખો કાપવા, એક ગેરકાયદેસરનો હોદ્દો ઊભો કરી વ્યવસ્થાને અંગત સ્વાર્થ માટે કંટ્રોલ કરવી તે બિલકુલ ગેરબંઘારણીય કૃત્ય ગણાય. સત્તા માણસને વિવેકહીન પણ બનાવી મૂકે છે !

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.