Skip to main content

18થી નાની ઉંમરના 1,15,129 બાળકો શાળા બહાર? વાસ્તવિક આંકડો 15-20 ગણો વધું

- સુખદેવ પટેલ* 
16 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં શાળા બહારના 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોનો સર્વે શરૂ થયો છે.  જે 26 એપ્રિલ સુધી ચાલશે. જેની જવાબદારી સરકારી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. અત્યારે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીઓના કામ પણ શિક્ષકોને ભાગે કરવાના આવશે. શિક્ષકો કેટલું કરી શક્શે? શિક્ષકો પાસેથી વ્યાજબી રીતે કેટલી અપેક્ષાઓ રાખવી જોઈએ?
RTE ની જોગવાઈઓ મુજબ દરેક બાળક શિક્ષણ મેળવી શકે, તે માટે શાળા બહારના બાળકોને સર્વે કરીને શોધી કાઢવાનું ઉમદા કામ સરકાર વિચારે છે, તે આવકારદાયક છે. આવાં ઉત્તમ કામમાં જેમને સીધો લાભ થવાનો છે,  તેવાં હિતધારકોની પ્રતિનિધિ સમિતિ SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આ જવાબદારી સારી રીતે ઉપાડી શકે તેમ છે. શિક્ષણ વિભાગ SSA તરફથી આ કામગીરીમાં SMC ની ભાગીદારીનું આયોજન કરીને યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ.
હજી મોડું થયું નથી, સર્વેની કામગીરી આજથી જ શરૂ થઈ છે. SSA તરફથી શાળા બહારના બાળકોના સર્વે માટે નજર બહાર રહી ગયેલી, આ શક્યતા સ્થાનિક સ્તરે સમજદાર SMC ના સભ્યો જરૂરથી પ્રાયોગિક રીતે ઉપાડી શકે. Local Self Government સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ કામગીરીના ભારથી દબાયેલા શિક્ષકોને મદદ કરીને હળવાં કરી શકે. શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતી Civil Society Organisations નાગરિક સંસ્થાઓ પણ તેમાં સહયોગી થાય, તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થશે. તમામ બાળકોને શાળામાં ભણતાં કરવા રાષ્ટ્ર નિર્માણનું દુરંદેશી કામ છે.
આપણા બંધારણમાં દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. ફરજિયાત શબ્દથી ઉભી થતી મૂળભૂત અધિકાર પાલનની જવાબદારી આપણી સરકારના માથે છે. સરકારે તેનો સ્વીકાર કરવા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જવાબદારી પણ ઉઠાવવાનો નિર્ધાર કરેલ છે. એટલે કે 18 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકો 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે, અને એકપણ બાળક શાળાની બહાર ન રહી જાય, એ માટેનો સંકલ્પ કરેલ છે. જે આવકારદાયક, પ્રશંસનીય ઉમદા કાર્યક્રમ છે.
વાસ્તવમાં ગુજરાત સરકારે આ ઉમદા કાર્યક્રમના અમલની શરૂઆત છેલ્લાં પાંચેક વર્ષથી કરેલ છે. 6 થી 19 વર્ષની ઉંમરના શાળા બહારના બાળકોને શોધી કાઢવાનો કાર્યક્રમ દર વર્ષે નિયમિત રીતે, નિયમિત સમયે થાય છે. ચાલુ વર્ષે પણ 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી દરેક પ્રાથમિક શાળા વિસ્તારમાં નહિ ભણતાં બાળકોનો સર્વે થવાનો છે.  જો કે ઓક્ટોબર 2023 માં આ પ્રકારનો સર્વે થઈ ગયો છે, જેમાં ગુજરાતના 1,15,129 બાળકો શાળા બહાર હોવાની વિગતો ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળાઓમાં અત્યારે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. તેમજ શિક્ષકો પણ લોકસભાની ચૂંટણીઓના કામોમાં વ્યસ્ત હોવાની સંભાવના છે. ત્યારે એક જ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત આ જ પ્રકારનો સર્વે કેટલો ફળદાયી  નિવડશે? તેની આશંકા છે.
શાળા બહારના બાળકોનો સર્વે દર વર્ષે નિયમિત થાય છે. દર વર્ષે તેના આંકડાઓ પણ પ્રસિદ્ધ થાય છે. જે આંકડા સમુદ્રમાં હિમશીલા જેવાં છે, હિમશીલાનો દેખાતા ભાગ કરતાં અનેક ગણો મોટો ભાગ સમુદ્રની અંદર હોય છે, જે દેખાતો નથી. આવું જ કંઈક શાળા બહારનાં બાળકોના આંકડાઓ માટે છે. ઓક્ટોબર 2023 ના સર્વે પ્રમાણે 18 વર્ષથી નાની ઉંમરના 1,15,129 બાળકો શાળા બહાર છે. જ્યારે ગુજરાતમાં શાળા બહારના ત્રણ વર્ષ ના નપાસ થયેલા બાળકો ને ઉમેરીએ, અને એનો બહુ જ સંકોચ સાથેનો એક અંદાજ કરીએ, તો આ આંકડો પંદરથી વીસ ગણો વધું થવાનો સંભવ છે. આમ આંકડાઓમાં આટલો મોટો તફાવત થવાના કારણો આ સર્વે પ્રક્રિયાના અભ્યાસથી સમજી શકાય તેમ છે.
ગુજરાત સરકારનો આ ઉમદા કાર્યક્રમ છે. છેલ્લા પાંચેક વર્ષથી આ નિયમિત રીતે થાય છે, તે સરકારી પ્રતિબદ્ધતાની નિશાની છે. આંકડાઓના એકત્રીકરણ Data Collection પછી માહિતી વિશ્લેષણ અને નિયંત્રણ માટેનું Software પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રે સારૂં તૈયાર કરાવેલ છે. તેમ છતાં ખાટલે મોટી ખોડ ક્યાં છે? તે શોધીને નિવારી શકીએ તો?  ગુજરાતનો બાળ માનવ વિકાસ - સૌનો સાથ સૌનો વિકાસ Human  Development જરૂરથી હાંસલ કરી શકીએ.
આ ઉમદા કાર્યક્રમના અમલીકરણ માટેનું આયોજન અને માર્ગદર્શન સમગ્ર શિક્ષા અભિયાન SSA તરફથી થઈ રહ્યું છે. દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી, BRC, CRC અને આચાર્યશ્રીઓને આ કાર્યક્રમનો હેતુ, મહત્વ, રૂપરેખા તેમજ કાર્ય પદ્ધતિ વિષે પરિપત્રોથી જાણ કરવામાં આવે છે, ઓનલાઈન તાલીમ કરવામાં આવે છે, જરૂરી સાહિત્ય, સર્વે પત્રકોની વ્યવસ્થા કરવામાં આવે છે. જે એક સરખી રીતે, નિશ્ર્ચિત રૂપે દર વર્ષે કરવામાં આવે છે. આથી આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ખ્યાલ છે કે સુચના મુજબ આ કર્મકાંડ સમયસર કરી લેવાનો છે. 
આ કર્મકાંડની ગુણવત્તા કે તેના અનુસાંગિક કામ Follow up વિષે કોઈ પૂછપરછ કે છાનબીન થતી હોવાની જાણકારી કોઈપણ હિતધારકને નથી. તેથી આ વાર્ષિક Routine  કર્મકાંડ બની ગયો છે. જેના કારણે ઘણી મહેનત પછી પણ પરિણામમાં સરવાળે મીંડુ જેવી વાસ્તવિકતા છે. જો આ હકીકતમાં યથાર્થતા નથી અને કથિત અનુમાનો અયોગ્ય હોવાનું આ પ્રક્રિયા સાથે જોડાયેલ કોઈ સમજાવી શકે તો ઉપરોક્ત વિશ્લેષણ પરત સ્વીકાર કરવામાં સંકોચ નથી.
ગુજરાતના નવનિર્માણ માટે અત્યંત જરૂરી અને બાળ અધિકારોના ક્ષેત્રના આ મહાત્વાકાંક્ષી કાર્યક્રમમાં પાયાના સ્તરે Grassroot Level ત્રણ તબક્કા વિચારાયા છે. (૧) સર્વે સમિતિની રચના (૨) મેપીંગ (૩) સર્વેની કામગીરી. SSA તરફથી આ ત્રણેય તબક્કાના આયોજન માટેની માર્ગદર્શક નોંધ એકદમ સાદી અને સરળ છે. જે આ તબક્કાના સ્તરની કામગીરીમાં સામેલ પડકારો અને હિતધારકોની માનસિકતાને સમજવામાં અત્યંત નબળી છે. જેના કારણે ઈચ્છિત પરિણામ મેળવી શકાય તેમ નથી.  જો તેમાં થોડુંક વધારે Micro Planning અને Cross Verification with Stakeholder Participation ઉમેરવામાં આવે તો, પરિણામ મળવાની સંભાવના વધી શકે તેમ છે. આ માટેના પ્રયાસો નાગરિક સમાજે અને પ્રભાવશાળી કેળવણીકારોએ proactively કરવા જોઈએ, તેમજ સરકારી તંત્રે તેને positively આવકારવા જોઈએ.
---
*ગણતર સંસ્થા 

Comments

TRENDING

नफरती बातें: मुसलमानों में असुरक्षा का भाव बढ़ रहा है, वे अपने मोहल्लों में सिमट रहे हैं

- राम पुनियानी*  भारत पर पिछले 10 सालों से हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी (भाजपा) राज कर रही है. भाजपा आरएसएस परिवार की सदस्य है और आरएसएस का लक्ष्य है हिन्दू राष्ट्र का निर्माण. आरएसएस से जुड़ी सैंकड़ों संस्थाएँ हैं. उसके लाखों, बल्कि शायद, करोड़ों स्वयंसेवक हैं. इसके अलावा कई हजार वरिष्ठ कार्यकर्ता हैं जिन्हें प्रचारक कहा जाता है. भाजपा के सत्ता में आने के बाद से आरएसएस दुगनी गति से हिन्दू राष्ट्र के निर्माण के अपने एजेण्डे को पूरा करने में जुट गया है. यदि भाजपा को चुनावों में लगातार सफलता हासिल हो रही है तो उसका कारण है देश में साम्प्रदायिकता और साम्प्रदायिक मुद्दों का बढ़ता बोलबाला. इनमें से कुछ हैं राम मंदिर, गौमांस और गोवध एवं लव जिहाद. 

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

देशव्यापी ग्रामीण भारत बंध में उतरे मध्य प्रदेश के आदिवासी, किया केंद्र सरकार का विरोध

- हरसिंग जमरे, भिखला सोलंकी, रतन अलावे*  15 और 16 फरवरी को निमाड के बड़वानी, खरगोन और बुरहानपुर में जागृत आदिवासी दलित संगठन के नेतृत्व में आदिवासी महिला-पुरुषों ग्रामीण भारत बंद में रैली एवं विरोध प्रदर्शन किया । प्रधान मंत्री द्वारा 2014 में फसलों की लागत का डेढ़ गुना भाव देने का वादा किया गया था, 2016 में किसानों की आय दुगना करने का वादा किया गया था । आज, फसलों का दाम नहीं बढ़ रहा है, लेकिन खेती में खर्च बढ़ता जा रहा है! खाद, बीज और दवाइयों का दाम, तीन-चार गुना बढ़ चुका है! किसानों को लागत का डेढ़ गुना भाव देने के बजाए, खेती को कंपनियों के हवाले करने के लिए 3 काले कृषि कानून लाए गए । 3 काले कानून वापस लेते समय प्रधान मंत्री ने फिर वादा किया था कि फसलों की लागत का डेढ़ गुना भाव की कानूनी गारंटी के लिए कानून बनाएँगे, लेकिन वो भी झूठ निकला! आज जब देश के किसान दिल्ली में आपको अपना वादा याद दिलाने आए है, तब आप उनका रास्ता रोक रहें है, उनके साथ मारपीट कर उन पर आँसू गैस फेंक रहें हैं, उन पर छर्रों से फायरिंग कर रहें है! देश को खिलाने वाला किसान खुद भूखा रहे, क्या यही विकास है?

આદર્શ સાંસદ ગ્રામ યોજના ના 106 દત્તક ગામો પૈકી કોઈ પણ ગામનું સોશ્યલ ઓડિટ થયું નથી

- પંક્તિ જોગ  આદર્શ સાંસદ ગ્રામ યોજના  ઓકટોબર 2014 થી અમલ માં છે. આ યોજનાં મૂજબ 2019-2024 દરમ્યાન ગુજરાત ના 26 સાંસદોએ 130 ગામો દત્તક લેવાના થતા હતાં. 

હું બહુજન સમાજ પાર્ટીથી ચૂંટણી લડ્યો. મારા કડવા અનુભવ: સુરતનાં બનાવોના પરિપ્રેક્ષ્યમાં

- વાલજીભાઈ પટેલ  બહુજન સમાજ પાર્ટીના સુરતના બનાવ પછી પાર્ટીના લાગણીશીલ નિરાશ યુવા મિત્રોને માર્ગદર્શન મળે તે માટે મેં અનુભવેલો કડવો પ્રસંગ લખવો મને જરૂરી લાગે છે. એટલે લખી રહ્યો છું. આમ તો મને લખવાની આદત નથી. હું તો લડનાર માણસ છું.

Laxmanpur Bathe massacre: Perfect example of proto-fascist Brahmanical social order

By Harsh Thakor  The massacre at Laxmanpur-Bathe of Jehanabad in Bihar on the night of 1 December in 1997 was a landmark event with distinguishing features .The genocide rightly shook the conscience of the nation in the 50th year of Indian independence. The scale of the carnage was unparalleled in any caste massacre. It was a perfect manifestation of how in essence the so called neo-liberal state was in essence most autocratic. 

કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે DGP ને પત્ર

- મુજાહિદ નફીસ*  કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે  DGP ને પત્ર લખી ને ગડશીશા કેસમાં IPC ની 307, 302 કલમોનો ઉમેરો કરવામાં આવે અને ગડશીશા પોલિસ ઇન્સ્પેક્ટર અને PSI શ્રીઓ ની ન્યાયહિતમાં તાત્કાલિક જિલ્લા બાહર બદલી કરવામાં આવે જેવી માંગણી કરવામાં આવી.

ગુજરાતના ૮૬૧ અકસ્માતે મૃત્યુ પામ્યા બાંધકામ કામદારોમાં થી ૪૩ ટકા પરિવારોને જ સહાય મળી

- વિપુલ પંડયા*  વિશ્વમાં ખાણ, બાંધકામ, કૃષિ, વનસંવર્ધન, માછીમારી અને ઉત્પાદન એ સૌથી જોખમી ક્ષેત્રો છે. ખાણ ઉધોગ પછી સૌથી વધુ અકસ્માતો બાંધકામ ક્ષેત્રમાં નોંધાઈ રહ્યા છે. ILO ના નવેમ્બર ૨૦૨૩ ના અહેવાલ મુજબ વિશ્વમાં બાંધકામમાં દર વર્ષે ૩૦ લાખ કામદારો મૃત્યુ પામે છે જેમાં ૨.૬ મિલિયન મૃત્યુ કામ સંબંધીત રોગો અને ૩૩૦૦૦૦ મૃત્યુ કામના સ્થળે થતા જીવલેણ અકસ્માતોને આભારી છે. જે ૨૦૧૫ ની સરખામણીમાં ૫ ટકાથી વધુનો વધારો છે એવું ILO નો અભ્યાસ દર્શાવે છે.

How the slogan Jai Bhim gained momentum as movement of popularity and revolution

By Dr Kapilendra Das*  India is an incomprehensible plural country loaded with diversities of religions, castes, cultures, languages, dialects, tribes, societies, costumes, etc. The Indians have good manners/etiquette (decent social conduct, gesture, courtesy, politeness) that build healthy relationships and take them ahead to life. In many parts of India, in many situations, and on formal occasions, it is common for people of India to express and exchange respect, greetings, and salutation for which we people usually use words and phrases like- Namaskar, Namaste, Pranam, Ram Ram, Jai Ram ji, Jai Sriram, Good morning, shubha sakal, Radhe Radhe, Jai Bajarangabali, Jai Gopal, Jai Jai, Supravat, Good night, Shuvaratri, Jai Bhole, Salaam walekam, Walekam salaam, Radhaswami, Namo Buddhaya, Jai Bhim, Hello, and so on.

સ્ત્રીઓ અને રાજકારણ: ભાજપનો નિશાનો મંગળસૂત્ર થકી સ્ત્રીઓ સુધી પહોંચવાનો કેમ?

- મહાશ્વેતા જાની  નરેન્દ્ર મોદીનાં રાજસ્થાનમાં બાંસવાડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલાં ભાષણ વિશે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે... એમની આ સ્ક્રીપ્ટ ભારોભાર કોમવાદને બળ આપનારી તો છે જ અને એક ચૂંટણી વિશ્લેષક તરીકે મને એની નવાઈ ન લાગી કારણકે આવા ઝેરી વક્તવ્યો તેમની છેલ્લા 25 વર્ષથી ફિતરત રહી છે.ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સભાઓમાં ભયંકર કોમવાદી વલણ અત્યાર સુધી જોવા મળ્યું જ છે... પાંચ કા પચ્ચીસ.... કેમનું ભૂલી શકાય...! ગુજરાત ભાજપની લેબોરેટરી રહી છે અને એટલે જ એમને લાગે છે કે આ પ્રકારના વક્તવ્ય આખા દેશમાં પણ તેમને ખોબલે ખોબલે મત મેળવવા હજી કામ લાગશે.