सीधे मुख्य सामग्री पर जाएं

સાયન્સની પ્રગતિ થતાં અંધશ્રધ્ધા ઓછી થશે એ ગણતરી કેમ ખોટી પડી?

- રમેશ સવાણી
 
ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ/ ધાર્મિક મેળાઓમાં/ પૂનમમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. દિવસે દિવસે ભીડ મોટી થતી જાય છે ! ભક્તોની દલીલ હોય છે : 
[1] લોકોને આમંત્રણ અપાતું નથી, લોકો પોતાની મેળે આવે છે. 
[2] દાન લેવાતું નથી. 
[3] તમે 10 માણસોને જમાડી જૂઓ, જ્યારે અહીં હજારો લોકો વિના મૂલ્યે જમે છે. 
[4] રુબરુ આવીને, સેવાકીય પ્રવૃતિ જોઈને લખો. 
[5] કેટલાંયને અંધશ્રદ્ધામુક્ત કર્યા/ વ્યસનમુક્ત કર્યા તે જૂઓ ! 
સાયન્સની પ્રગતિ થતાં અંધશ્રધ્ધા ઓછી થશે એ ગણતરી ખોટી પડી છે. સાયન્સના/ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ અંધશ્રદ્ધા ફેલાવવામાં થયો. ટીવી પરની ધાર્મિક ચેનલો/ ફેસબૂક પર ભૂવાજીના વીડિયોનો જબરો મારો થઈ રહ્યો છે. એક પણ ધર્મ/ સંપ્રદાય એવો નથી કે જેણે માઈક/ લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હોય ! હવાઈ જહાજનો/ કાર/ ટ્રેન/ મોબાઈલનો/ ઈન્ટરનેટનો વિરોધ કર્યો હોય ! વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને જ વિજ્ઞાનને ભાંડવાની ફેશન બની ગઈ છે. ભક્તોની દલીલોની સ્પષ્ટતા કરીએ : 
[1] ‘લોકોને આમંત્રણ અપાતું નથી, લોકો પોતાની મેળે આવે છે.’ આ દલીલ તદ્દન ખોટી છે. શ્રદ્ધાળુ લોકોને પોતાની તરફ ખેંચવા સોશિયલ મીડિયામાં ઝૂંબેશ ચાલે છે. ભૂવાજીના ફોટાને ‘પાપી હશે તે લાઈક નહીં કરે’ એવી સૂચના સાથે પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર સાહિત્ય વહેંચાય છે. સીડી વહેંચાય છે. કાર પર સ્ટિકર મારવામાં આવે છે. રાજકીય નેતાઓ/ કોર્પોરેટ કથાકાર/ પોલીસ અધિકારીઓ સાથે ફોટા મૂકવામાં આવે છે. અઠવાડિયાના ચોક્કસ વારે હાજર રહેવા જણાવવામાં આવે છે. પ્રવચનો થાય છે. શું શ્રદ્ધાળુ લોકોને આકર્ષવાની આ ટેક્નિક નથી? 
[2] ‘દાન લેવાતું નથી’, તે બાબત પણ ચમત્કાર માટે ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. જો દાન લેવાતું ન હોય તો હજારો લોકોને ભોજન કઈ રીતે આપી શકાય? વાહનોમાં કઈ રીતે ફરી શકાય? દાન લીધા વિના જો દિવ્યશક્તિ ભોજનની વ્યવસ્થા કરતી હોય તો ચોક્કસ સ્થળ માટે જ કેમ? આખા ગુજરાતમાં ભૂખ્યા લોકોને જમાડી ન શકાય? એક પણ ધર્મસંસ્થા કે ધર્મગુરુ બતાવો જે લોકોને પેતાના આવક-જાવક-ખર્ચના હિસાબ આપતા હોય? ધાર્મિક સંસ્થાઓમાં બધું અપારદર્શક કેમ? 
[3] જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે, 1876માં સદાવ્રત શરુ કર્યું હતું. સદાવ્રતમાં નાતજાતના ભેદભાવ વિના ભોજન અપાય છે. ગરીબનું પેટ ઠારવાનો હેતુ છે. જયાં રોટલાનો ટુકડો ત્યાં હરિ ઢૂંકડો; એ વિચાર છે. પરંતુ હાલના સદાવ્રતો ધંધો વિકસાવવા માટેના છે. ગરીબીની સમસ્યા, સદાવ્રતો ચાલુ રાખીને ઉકેલી શકાય? સદાવ્રત/ દાન/ સખાવત આપણી જવાબદારી ખંખેરી નાખવા માટેનો રસ્તો છે? આ તો ગરીબોને મફત ભોજનની લત લગાડવા જેવું છે. સદાવ્રતના સ્થળોને પુષ્કળ દાન મળે છે. દાન આપનારને પુણ્યની ગઠરી બાંધ્યાનો સંતોષ થાય છે. સદાવ્રતથી સામાજિક પરિવર્તન થતું નથી પણ સમાજમાં ઈરરેશનલ અભિગમ દ્રઢ થાય છે. એટલે જ ગાંધીજીએ, 13 ઓગસ્ટ 1925 ના રોજ ‘યંગ ઇન્ડિયા’માં લખ્યું હતું : ”જે તંદુરસ્ત માણસે પોતાના ભોજન માટે પ્રામાણિકપણે શ્રમ ન કર્યો હોય, તેને મફત જમાડવાનો વિચાર મારી અહિંસા સહી નહી શકે. જો મારા હાથમાં સત્તા હોય તો હું મફત ભોજન આપનાર એકેએક સદાવ્રત બંધ જ કરાવી દઉં. એણે પ્રજાના ગૌરવને હલકું પાડ્યું છે; આળસ, નિષ્ક્રિયતા, દંભ અને ગુનેગારવૃત્તિને પણ પોષી છે. ખોટી જગ્યાએ બતાવેલી આવી ઉદારતા દેશની આર્થિક કે આધ્યાત્મિક સંપત્તિમાં કશો ઉમેરો કરતી નથી, અને દાતાના મનમાં દાનધર્મ કર્યાનું ખોટું સમાધાન ઊભું કરે છે. ‘શ્રમ નહી, ભોજન નહી’ એ નિયમ રહેવો જોઈએ.” 
[4] મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓની દલીલ હોય છે કે ‘રુબરુ આવીને, સેવાકીય પ્રવૃતિ જોઈને લખો.’ ધર્મસંસ્થાઓ પબ્લિક લેજિટિમસી-લોકમાન્યતા માટે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આવી પ્રવૃતિઓનો પ્રચાર થાય છે અને વધુ ડોનેશન મેળવે છે ! 26 જાન્યુઆરી 2001ના રોજ, કચ્છમાં ભૂકંપ આવ્યો. તે સમયે કચ્છમાં સેવાકીય પ્રવૃતિ માટે પાંડુરંગ શાસ્ત્રીએ UK/ અમેરિકાથી કરોડો રુપિયાનું ડોનેશન ઉઘરાવ્યું. તે રકમ કચ્છમાં વાપરવાને બદલે પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના જુદા જુદા ટ્રસ્ટમાં જમા કરાવી દીધી ! ઊહાપોહ થયો. મોટું ડોનેશન આપનાર સ્વાધ્યાયી પંકજ ત્રિવેદીએ હિસાબ માંગ્યો તો તેમની હત્યા કરવામાં આવી ! આશારામ/ રામ રહીમ/ રામપાલ/ સૂરજ ભૂવાજી વગેરે ઉદાહરણો આપણી સામે છે જ ! 
[5] દરેક ધર્મના-સંપ્રદાયના ગુરુઓ/ પ્રગટ બ્રહ્મસ્વરુપો વરસોથી 'અંધશ્રદ્ધામુક્ત કર્યા/ વ્યસનમુક્ત કર્યા'નો દાવો કરે છે; તેમ છતાં ફરક કેમ પડતો નથી? વ્યસન સમજદારી અને શિક્ષણથી દૂર થાય, જો ધર્મસંસ્થાઓથી વ્યસન દૂર થઈ જતું હોય તો જગતમાં કોઈને  વ્યસન જ ન હોય ! અંધશ્રદ્ધા દૂર કરવાનો દાવો કરનારા પોતે જ અંધશ્રદ્ધાઓ/ પરચાઓ ફેલાવતા હોય છે ! સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું સાહિત્ય પરચાઓથી ભરેલું છે ! અંધશ્રદ્ધા હંમેશા ભૂવાજીઓ/પૂજારીઓ/ મૌલવીઓ/પાદરીઓને ફાયદો કરાવે છે અને શ્રદ્ધાળુ લોકોને નુકસાન કરાવે છે. કોઈપણ ધર્મસંસ્થાનો આધાર જ અંધશ્રદ્ધા હોય છે ! વ્યસનમુક્તિના ઓઠા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવવી તે જ મોટું ઘાતક વ્યસન છે !
સવાલ એ છે કે ધર્મસ્થળોએ માણસો ઊભરાય છે કેમ? શું લોકો વધારે નૈતિક બની ગયા છે એટલે? શું લોકો પાપમુક્ત થવા ધર્મસ્થળોએ જાય છે? શું છે કારણો? 
[1] શ્રદ્ધાળુ લોકોમાં અંધશ્રદ્ધા વધી છે અને વૈજ્ઞાનિક મિજાજમાં ઘટાડો થયો છે. લોકોને વિજ્ઞાનના સિદ્ધાંતો શુષ્ક લાગે છે, પરંતુ ધાર્મિક બાબતો રોમાંચક અને આનંદદાયક લાગે છે ! ધાર્મિકસ્થળે શાંતિ મળે, ભલે તે ભ્રામક શાંતિ હોય ! લોકો સુખ/ સમૃદ્ધિ/ પૈસા/ સફળતા માટે જાય છે. દુ:નિવારણ માટે જાય છે. ઘરના વડિલો જતાં હોય એટલે પરંપરા મુજબ જાય છે. મારા એક રેશનલ મુસ્લિમ મિત્ર કહે છે : ‘પરીક્ષા નજીક આવે એટલે મારો પુત્ર નમાજ પઢવા લાગે છે. હું એને કહું છું કે વાંચવામાં ધ્યાન આપ !’ 
[2] શ્રદ્ધાળુ લોકો વધારે નસીબવાદી બન્યા છે. કૃપા થાય તો મેળ પડી જાય તેવી ભાવના હોય છે. 
[3] ધાર્મિક સ્થળોએ નાસ્તો/ ચા/ભોજનની વ્યવસ્થા હોય છે. ગરીબ/ મધ્યમવર્ગ મોંઘવારી/ બેરોજગારીથી પીડાતો હોય છે, ત્યાં ધાર્મિકસ્થળોએ થોડો હાશકારો મળે છે. 
[4] કોઈપણ સમાજ/ કોઈપણ દેશમાં જ્યાં ગરીબી વધુ છે, બેરોજગારી વધુ છે, મોંઘવારી વધુ છે, ત્યાં ધાર્મિકસ્થળોનું મહત્વ વધારે હોય છે. .
[5] શ્રદ્ધાળુ લોકોમાં પોતાનો ઉદ્ધાર કરાવી લેવાની લાલચ હોય છે. મોક્ષની ગણતરી હોય છે. જીવનની હાડમારીથી છૂટકારો મેળવવાની આશા હોય છે. 
[6] ધાર્મિક સ્થળોની, લોકોને આકર્ષવાની જુદી જુદી ટેકનિક હોય છે. પરચાઓ. ચમત્કારો. પ્રચાર સાહિત્ય. યૂટ્યુબ ચેનલ/ સોશિયલ મીડિયાનો ઉપયોગ. 
[7] ધર્મગુરુઓ/ કોર્પોરેટ કથાકારો/ ભૂવાજીઓ/ મોટિવેશનલ સ્પીકર્સની આંતરિક ભાઈબંધીથી એક વાતાવરણ બને છે ! એકબીજાની પીઠ થાબડે અને પ્રચાર કરે ! લોકો ભ્રમિત થઈ જાય ! 
[8] સમાજના પ્રભુત્વ ધરાવતા લોકોની ધર્મસ્થળોની વિઝિટ. પોલીસ/ મામલતદાર/ જજ/ IAS-IPS અધિકારીઓ/ મિનિસ્ટર્સની વિઝિટ. તેના કારણે શ્રદ્ધાળુ લોકો તેમને જોઈને અંજાઈ જાય છે ! 
[9] જ્યારે લોકો શાળા કરતા ધર્મસ્થળોને વધુ મહત્વ આપતા થઈ જાય, ત્યારે શાળાને નહીં પણ ધર્મસ્થળોમાં દાન આપતા થઈ જાય તો શાળાઓ નબળી પડે, ઓરડાઓની અને શિક્ષકોની અછત રહે અને ધર્મસ્થળો આધુનિક સગવડતાવાળા બને ! ધર્મનું અફીણ વિવેક હણી લે છે. શાળા માણસને ઉદાર બનાવે છે, જ્યારે ધર્મસ્થળો માણસને સંકુચિત/ કટ્ટર બનાવે છે ! બળાત્કારી આશારામ નિર્દોષ છે તેવી ઝૂંબેશ ભક્ત મહિલાઓ ચલાવે છે ! 
[10] દરેક ધર્મસ્થળનો એક દાવો હોય છે કે ‘અમે સર્વોચ્ચ શક્તિના આશીર્વાદથી વ્યસનમુક્તિનું ઐતિહાસિક કામ કરીએ છીએ. ભૂખ્યાંને જમાડીએ છીએ. તેમના દુ:ખદર્દ દૂર કરીએ છીએ.’ પરંતુ આ સર્વોચ્ચ શક્તિ, માણસ વ્યસની બને તે પહેલાં તેને કેમ અટકાવતી નહીં હોય? આ સર્વોચ્ચ શક્તિ માણસને દુ:ખદર્દ શામાટે આપે છે? ધર્મસ્થળો આ પ્રકારના પ્રશ્નો ઊઠાવવાની સમજનો નાશ કરે છે, એટલે ભીડ વધતી જાય છે.
દુ:ખની વાત એ છે કે આ ધાર્મિક ઘેલછાને સત્તાપક્ષ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, આ ઘેલછાયુક્ત ભક્તો સત્તાપક્ષ માટે મતદાર બની જાય છે. તેમને મોંઘવારી/ બેરોજગારી/ ભ્રષ્ટાચાર/ તંત્રની હેરાનગતિ/ મોંઘા શિક્ષણ કે આરોગ્યની ચિંતા સતાવતી નથી. કદાચ ધર્મના નશાના કારણે જ લોકો ધર્મસ્થળો/ ધર્મગુરુઓ/ કથાકારો/ ભૂવાજીના શરણે જઈ રહ્યા છે. લોકોને એમ લાગે છે કે આપણી સમસ્યાઓનો ઉકેલ રાજકીય/ આર્થિક રીતે શક્ય નથી, માત્ર ધાર્મિક રીતે જ શક્ય બનશે ! લોકોની આ માનસિકતાનો લાભ સત્તાપક્ષ/  ધર્મસ્થળો/ ધર્મગુરુઓ/ કોર્પોરેટ કથાકારો/ ભૂવાજીઓ/ ડાયરા કલાકારો/ મેટિવેશનલ સ્પીકર્સ/ સમાજના સ્વઘોષિત નેતાઓ લઈ રહ્યાં છે !
---
સ્રોત: લેખક ની ફેસબુક ટાઈમલાઈન

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|