सीधे मुख्य सामग्री पर जाएं

મનુસ્મૃતિની આત્મઘાતી વર્ણવ્યવસ્થાને જીર્ણોદ્ધારક વર્ણવૃત્તિમાં રૂપાંતર કરનાર મહાત્મા ગાંધી

- ઉત્તમ પરમાર* 

આપણે સૌ જાણીએ છીએ કે વેદની ઋચાઓ થી અને ઉપનિષદના મંત્રથી વસુધેવ કુટુંબકમના આદર્શને ચરિતાર્થ કરતો વૈદિક હિંદુધર્મ અને ભારતીય સંસ્કૃતિ મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને કારણે હજારો વર્ષની સામાજિક ગુલામીમાં અને સેંકડો વર્ષની રાજકીય ગુલામીમાં સરી પડી.
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા  મનુષ્યદ્રોહી, સમાજદ્રોહી, હિંદુધર્મદ્રોહી, ભારતીય સંસ્કૃતિ દ્રોહી સમાજ વ્યવસ્થા હતી અને છે.
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા વિવેકબુદ્ધિહીન, અવૈજ્ઞાનિક અને અમાનવીય સમાજ વ્યવસ્થા હતી અને છે.
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાએ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજવ્યવસ્થાનું અધોગતિનું મૂળ હતું અને છે. 
મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને સમજી લીધા પછી અનેક મહાપુરુષોએ એને તોડવા માટે અને નષ્ટ કરવા માટે યુદ્ધના ધોરણે મરણતોલ પ્રયત્નો કર્યા છે. પરંતુ એ દરેક પ્રયત્નો આંશિક સફળતા પછી નિષ્ફળ જ પુરવાર થયા છે.
ભારતીય સંસ્કૃતિ,  ભારતીય સમાજ વ્યવસ્થા અને ભારતીય રાષ્ટ્ર  મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાના અભિશાપમાંથી મુક્ત થઈ આજે સાંસ્કૃતિક સામાજિક અને રાષ્ટ્રીય આઝાદી ભોગવે છે તો તેનું સંપૂર્ણ શ્રેય મહાત્માગાંધી, પંડિતનહેરુ, ડો.આંબેડકર, સરદાર પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને જાય છે.
મહાત્મા ગાંધીએ એક વિચક્ષણ વ્યુહકારની જેમ વર્ણવ્યવસ્થાનો શાબ્દિક વિરોધ ન કરતા સમર્થન કર્યું પરંતુ પોતાના કર્મયોગી પ્રયોગ દ્વારા  વર્ણવ્યવસ્થાની જાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો. અને તે વિરોધ કૃતિમાં મૂર્તિમંત કર્યો.
મહાત્મા ગાંધીએ પોતાના વ્યક્તિગત જીવનમાં વર્ણાશ્રમની વર્ણવ્યવસ્થાની ચારે વર્ણવૃત્તિની  સફળ અને સાર્થક સાધના કરી બતાવી.
મહાત્મા ગાંધીએ પોતે વણિક હોવા છતાં પોતાના વ્યક્તિગત જીવનમાં અપરિગ્રહના વ્રત દ્વારા ટ્રસ્ટીશીપ નો  સિદ્ધાંત ચરિતાર્થ કરી બતાવ્યો.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પ્રત્યાઘાતી સામંતી કુસંસ્કારો અને દુરાચારો છોડીને સાચો ક્ષત્રિય ધર્મ આચરી બતાવીને  ભારત વર્ષનાં કરોડો શોષિતો વંચિતો ગરીબોનું રક્ષણ કરીને તેમને સામાજિક ન્યાય પૂરો પાડ્યો.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં  પ્રત્યાઘાતી બ્રાહ્મણવાદી કુસંસ્કારો અને દુરાચારો છોડીને ભારતીય સંસ્કૃતિના રિબાતા આત્માનો સાક્ષાત્કાર પામીને તેને અનુરૂપ ભારતીય સંસ્કૃતિના જીર્ણોદ્ધારનું દર્શન રચી આપીને સાચો બ્રાહ્મણ ધર્મ અદા કર્યો.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પ્રત્યાઘાતી મધ્યમ વર્ગીય માનસિકતાવાળા નવ્ય સામંતી કુસંસ્કારો અને દુરાચારો છોડીને શૂદ્રત્વના અભિશાપમાંથી મુક્ત થઈને સાચું સેવકત્વ ગ્રહણ કરીને સમાજની વ્યાપક સેવા કરી.
મહાત્મા ગાંધી પોતે વણિક હોવા છતાં પોતાના વ્યક્તિત્વમાં બ્રાહ્મણધર્મની, ક્ષત્રિયધર્મની, વણિક ધર્મની અને સેવકધર્મની એકસાથે સાતત્યપૂર્વક ચારે વર્ણ વૃત્તિની આરાધના સાર્થક કરી બતાવી.
મહાત્મા ગાંધીના ચારે વર્ણવૃત્તિને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાના સાર્થક પ્રયોગની અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ના, તથા ગુજરાતથી લઈને આસામ સુધીના કોંગ્રેસી નેતા અને કોંગ્રેસી કાર્યકરોએ પોતાના વ્યક્તિગત જીવનમાં તેમજ પોતાના સંસ્થાકીય જનજીવનમાં મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને મહાત્મા ગાંધીની વર્ણવૃતિમાં રૂપાંતરિત કરવા પોતાનું જીવન હોમી દીધું.
આમ મહાત્મા ગાંધી, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમગ્ર રાષ્ટ્રના કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ વર્ણવ્યવસ્થાને પડકાર્યા વગર પોતાના વ્યક્તિગત જીવનમાં અને સમાજજીવનમાં વર્ણવૃત્તિ ની સાધના સફળ રીતે કરી બતાવી. જેના કારણે ભારતીય સમાજ વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા મરણતોલ હાલતમાં આવી, જાતિવાદી ભેદભાવ નબળા પડી ગયા અને અસ્પૃશ્યતા હાસ્યાસ્પદ બનવા માંડી.
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજવ્યવસ્થામાં વર્ણવ્યવસ્થાને નષ્ટ કરવાના પ્રયત્નો વાંઝિયા નિવડ્યા પરંતુ વર્ણવ્યવસ્થાને પ્રત્યેક વ્યક્તિની આંતરચેતના માં ચારે વર્ણવૃત્તિની સાધના માં રૂપાંતર કરવાની મહાત્મા ગાંધીની ક્રાંતિકારી દ્રષ્ટિ સફળ થઈ.
મહાત્મા ગાંધી એક સફળ સફાઈ કામદાર છે, એક સફળ વણકર છે, એક સફળ મોચી છે, એક સફળ ક્ષત્રિય છે, એક સફળ વણિક છે, અને એક સફળ બ્રાહ્મણ પણ છે.
ખરેખર તો દરેક વર્ણવૃત્તિનો સર્વાંગી સાધક મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમ ના આદર્શનો એક માત્ર સાર્થક પુરવાર થયેલો ભારતીય મહામાનવ છે.
---
કોંગ્રેસ પુત્ર, કીમ, ગુજરાત 

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|