सीधे मुख्य सामग्री पर जाएं

ગાંધી વારસાનું વિદેશી રત્ન, જેમણે અંગ્રેજી સાશન સામે સંઘર્ષ કરી જેલવાસ ભોગવ્યો

- ગૌરાંગ જાની 

તમે કદી એવું સાંભળ્યું છે કે એક યુવાન અંગ્રેજ મહિલા ભારતના આઝાદી આંદોલનમાં ઝુકાવે અને તેની આત્મકથા માતૃભાષા અંગ્રેજીમાં નહિ પણ હિન્દીમાં લખે? હા એ હકીકત છે! 'વ્યાવહારિક વેદાંત: એક આત્મકથા' ભારતના ગાંધીવાદી સામાજિક કાર્યકર સરલાબહેન કે સરલા દેવી ની આત્મકથા છે. હિન્દી આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર A life In Two Worlds નામે પ્રકાશિત થયું છે. ગુજરાતી સાહિત્યકાર શરીફા વીજળીવાળાએ આ આત્મકથાનો સંક્ષેપ કરી ગુજરાતી વાચકોને ભેટ ધર્યો છે. 'ગાંધીની કેડીએ' એ નામની આ અનુવાદિત સંક્ષિપ્ત આત્મકથા યજ્ઞ પ્રકાશને પ્રકાશિત કરી છે.મહાત્મા ગાંધીના અંગ્રેજ શિષ્યા સરલાબહેનના (૧૯૦૧ - ૧૯૮૨) જીવનની દીવાદાંડી સમાન વાત આજે માંડીએ .
સરલાબહેન અર્થાત્ Catherine Marry Heilman નો જન્મ અંગ્રેજ માતા અને જર્મન પિતાના પરિવારમાં પશ્ચિમ લંડનમાં ૫ એપ્રિલ ,૧૯૦૧ ના દિવસે થયો હતો .પિતા જર્મન હોવાને કારણે ઇંગ્લેન્ડમાં તેઓને અને પરિવારને ખૂબ સહન કરવું પડ્યું.પિતાને તો. જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા .શાળા શિક્ષણ બાદ કેથરિને લંડનમાં કામ કરવા માંડ્યું .આ દરમિયાન  તેઓ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા. આ વિદ્યાર્થીઓએ તેમને મહાત્મા ગાંધી અને ગાંધી વિચારધારાનો પરિચય આપ્યો.ગાંધી થી પ્રભાવિત થઈ વર્ષ ૧૯૩૨ માં તેઓ ભારત આવ્યા અને સમગ્ર જીવન ગાંધી વિચાર આચારના અમલમાં અને ભારતની આઝાદી અર્થે સમર્પિત કર્યું હતું. આઝાદ ભારતમાં પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન માટેના વિશ્વ પ્રસિદ્ધ ચિપકો આંદોલનના ઉદભવમાં પાયાનું પ્રદાન કર્યું.
તેઓનો ભારત પ્રવેશ રાજસ્થાનના જાણીતા શિક્ષણધામ વિદ્યા મંદિર દ્વારા થયો. અહીં ગાંધી વિચારના શિક્ષણના બે વર્ષના પ્રયોગોથી તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા . વુલન ખાદીના અને હાથ વણાટની ખાદી અર્થે તેઓની પસંદગી થઈ અને અલ્મોડા જિલ્લાના ગાંધી આશ્રમમાં તેઓએ કામ શરૂ કર્યું.શાંતિલાલ ત્રિવેદી નામના સત્યાગ્રહી જેઓ ઝંડા સત્યાગ્રહમાં ગંભીર ઘાયલ થયા હતા તેઓની મદદ અને માર્ગદર્શનથી  કેથરિન ખાદીકામ અને સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવે છે.
૧૯૪૧-૪૨ માં એક નિર્ણય લેવાયો અને ઉત્તરાખંડના કસૌનીમાં એક શાળા જ્યાં સ્વાતંત્ર્ય સૈનિકોની દીકરીઓને ભણી શકે એવી શાળાનું  સુકાન વર્ષ ૧૯૪૮ માં સરલાબહેનને સોંપાયું .આ સંસ્થા લક્ષ્મી આશ્રમ તરીકે શિક્ષણ અને સમાજસેવાનું વટવૃક્ષ બની વિકસી.આજે અહી 'સરલાબહેન સંગ્રહાલય' પણ છે જે સરલાબહેનના પ્રદાનના વારસાને વ્યક્ત કરે છે. એક માન્યતા એવી છે કે સરલાબહેન નામ ગાંધીજીએ આપ્યું હતું પણ તેઓની આત્મકથા પ્રમાણે આ નામ ગાંધીએ નથી આપ્યું પણ લોકો સાથેના સંપર્કમાં એ ઉભરી આવ્યું.ભારત છોડો આંદોલન દરમ્યાન તેઓની ધરપકડ થઈ હતી અને અલ્મોડા અને લખનૌની જેલમાં બે વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો. કારાવાસમાં તેમના પર થતાં દમન વિરૂદ્ધ પંડિત નેહરુએ અનેક વખત વિરોધ દર્શાવ્યો હતો.હિન્દી અને અંગ્રેજીમાં તેઓએ ૨૨ પુસ્તકો લખ્યાં છે જેમાં મહિલા સશકિતકરણ,પર્યાવરણ સુરક્ષા અને પહાડોના સંરક્ષણ જેવા વિષયોને વણી લેવામાં આવ્યા છે.
જેલમાં અનેક યાતનાઓ ભોગવી મૃત્યુ પામેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના પુનર્વસન માટે સરલાબહેન સતત સક્રિય રહેતા હતા. રક્ષાબંધનના   દિવસે પોતાના હાથે કાંતેલી સુતરની આંટી પર હરદળ પાવડર છાંટી તેઓ રંગીન રાખી બનાવતા અને જેલના સાથીઓને કાંડે બાંધતા ત્યારે લાગણીભર્યા દ્ર્શ્યો સર્જાતા હતા .આઝાદી બાદ તેઓ વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં પણ જોડાયા હતા . ખાસ કરીને બિહારના ગરીબ પરિવારો સાથે વિમલા બહુગુણાએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી  ગરીબો સર્જન ગાઢ સંબંધ સ્થાપિત કર્યો  હતો.
હિમાલયની ખીણમાં તેઓનો સેવાયજ્ઞ આજીવન રહ્યો અને મોટા પરિવર્તનનું માધ્યમ પણ બન્યો. ત્યાં દારૂ નિષેધનું મોટું અભિયાન બહેનો સાથે છેડ્યું જેમાં તેમના અનુયાયીઓ વિમલા અને સુંદરલાલ બહુગુણાએ પાયાની ભૂમિકા ભજવી. ચંબલ વિસ્તારના ખૂંખાર ડાકુઓને સમજાવી તેઓને આત્મસમર્પણ માટે તૈયાર કર્યા સરલાબહેને.સિતેરના દાયકામાં ઉત્તરાખંડમાં ચિપકો આંદોલન શરૂ.થયું.વૃક્ષોને ભેટી તેનું રક્ષણ કરવા સેંકડો મહિલાઓ ગાંધીના અહિંસક માર્ગે તૈયાર થઈ. આ આંદોલનના નેતા વિમલા અને સુંદરલાલ બહુગુણા અને હજારો કાર્યકરો માટે સરલાબહેન ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બન્યા હતા. આજે આ આંદોલન પર્યાવરણ સુરક્ષા માટેનું પ્રભાવક પ્રેરક બન્યું છે. એક વિદેશી મહિલાએ ભારતીય સમાજને ગાંધી દ્રષ્ટિકોણથી માત્ર સમજ્યો જ નહિ પણ તેના સર્વાંગી પરિવર્તન માટે જીવન સમર્પિત કર્યું. પોતાના જ દેશના અંગ્રેજી સાશન સામે સંઘર્ષ કરી જેલવાસ ભોગવ્યો સરલાદેવીને આઝાદીના અમૃત મહોત્સવે શત શત વંદન! તેઓને રચનાત્મક કાર્યો. માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ પણ મળ્યો હતો.આઠમી.જુલાઈ ૧૯૮૨ ના દિવસે ભારતમાં પીઠોરાગઢમાં તેઓનું અવસાન થયું.

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|