सीधे मुख्य सामग्री पर जाएं

પુરુષોત્તમ રૂપાલાએ ભૂલથી રૂપાળી જ્ઞાતિવ્યવસ્થા નરેન્દ્ર મોદીને યાદ દેવડાવી લાગે છે!

- હેમંતકુમાર શાહ* 

નરેન્દ્ર પુરુષોત્તમને શાપ આપશે?  
નરેન્દ્ર મોદીએ ગઈ ૨૯ નવેમ્બરના રોજ મોટે ઉપાડે એમ કહ્યું હતું કે તેમને માટે તો માત્ર ચાર જ મુખ્ય જ્ઞાતિઓ છે: યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો. 
પણ ગુજરાતમાં ક્ષત્રિયોને પુરુષોત્તમ રૂપાલા દ્વારા  પોતાનું અપમાન થયેલું લાગતાં એ મુદ્દે જે કમઠાણ ચાલ્યું છે અને તેમાં પાટીદારો એટલે કે પટેલોનો મોડેથી ઉમેરો થયેલો દેખાય છે; ત્યારે એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ એ જે મહાન વાત કરેલી તેનો ભાજપના નેતાઓ, તેના સમર્થકો અને ભાજપના મતદારો ભાંગીને ભુક્કો કરી રહ્યા છે! તેઓ પોતાના ભગવાનની દિવ્ય વાણીને પણ ઘોળીને પી જાય એ કેવું કહેવાય! નવી ચાર જ્ઞાતિઓની વાત એ તો દિવ્યાત્માની જ વાણી કહેવાય! 
અનેક જ્ઞાતિઓનાં અનેક સંમેલનોમાં હાજરી આપનારા અને દલિતોના પગ ધોનારા નરેન્દ્ર મોદીએ કેટલી મહાન વાત કરેલી! હિન્દુ સંસ્કૃતિમાં પાંચેક હજાર વર્ષથી ચાલી આવતી મૂળ જ્ઞાતિ વ્યવસ્થાના અગ્નિસંસ્કાર કરવાની આ વાત મોદીએ બહુ હિંમતપૂર્વક એટલા માટે કરેલી કે કોંગ્રેસ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની તરફેણ કરે છે અને હવે તો તેણે તે વાત તેના ચૂંટણી ઢંઢેરામાં પણ કરી છે.
કોરોનાને લીધે કેટલાં મોત થયાં એનો સાચો આંકડો જાહેર થઈ જાય કદાચ એ બીકે, મોદીએ તો ૧૪૦ વર્ષમાં પહેલી જ વાર દર દાયકે થતી વસ્તી ગણતરી જ ના કરી, એટલે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો તો સવાલ જ ક્યાંથી ઊભો થાય!
નરેન્દ્ર મોદી તો આપણી પરમ્પરાગત જ્ઞાતિ એટલે શું એ જ વિશ્વનાથની કાશીમાં ૨૦૧૪માં ગયા પછી ભૂલી ગયા છે, અને તેઓ એ ભાજપને ભુલાવી દેવા માગતા હતા. જો કે, જ્ઞાતિની વસ્તીને ધ્યાનમાં લઈને ભાજપ ચૂંટણીના ઉમેદવારો નક્કી કરે એ તો તદ્દન પછાત રાજકીય માનસિકતા કહેવાય. નરેન્દ્ર મોદી કંઈ એવી પછાત માનસિકતા ધરાવતા જ નથી એટલે તો એમણે નવી જ ચાર જ્ઞાતિઓ શોધી કાઢેલી. 
ભારતના રાજકારણમાં આ કંઈ જેવીતેવી શોધ નથી. આલ્બર્ટ આઈન્સ્ટાઈન દ્વારા તો સામાન્ય માણસને સમજણ જ ન પડે એવા સમીકરણની શોધ થયેલી. પણ નરેન્દ્ર મોદીએ તો, ચાર ચોપડી પાસ તો ઠીક, પણ અંગુઠાછાપ પણ સમજી શકે એવી આ શોધ કરી છે.   'ધ.ધુ. પ.પૂ. બ્રહ્માંડ શિરોમણિ' જેવો કોઈક પુરસ્કાર મોદીને ખુદ બ્રહ્મા દ્વારા મળી શકે એવી આ નવીનતમ શોધ હિન્દુ ધર્મમાં થયેલી છે. હિન્દુઓમાં અત્યારે ૩,૦૦૦ જેટલી જ્ઞાતિઓ અને ૨૫,૦૦૦ જેટલી પેટા જ્ઞાતિઓ હોવાનો અંદાજ છે. એ બધું નરેન્દ્ર મોદી સૌને ભૂલવાડી દેવા માગે છે અને ભારતને જ નહિ, પણ જંબુદ્વીપના એકેએક નાગરિકને વિશ્વગુરુ બનાવી દેવા માગે છે એવા મહાપુરુષના આ જ્ઞાતિવિનાશના  સ્વપ્નનું હવે શું થશે? 
જ્ઞાતિઓ અને ચતુર્વર્ણને કેન્દ્રમાં રાખીને જ મનુ ભગવાને ઘડેલી 'મનુસ્મૃતિ'નું તો નરેન્દ્ર મોદીએ ચાર નવી જ્ઞાતિઓ રચીને આધ્યાત્મિક કચુંબર કરી નાખેલું; એટલે ભગવાન શિવ પણ એમને ૪૦૦ પાર વરદાન આપી શકે એવી ઘડીએ, આ રૂપાલાએ ન બોલવા જેવું વેણ કાઢ્યું એને પરિણામે નરેન્દ્ર મોદી એમને શાપ આપશે? હવે ૪૦૦ના વરદાનનું શું થશે? 
રૂપાલાએ ભૂલથી રૂપાળી જ્ઞાતિવ્યવસ્થા નરેન્દ્ર મોદીને યાદ  દેવડાવી લાગે છે! નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન હોવા છતાં આપદ ધર્મ તરીકે અનેક જ્ઞાતિ સંમેલનોમાં જઈને ભાષણો આપેલાં એ કંઈ આ ચૂંટણી ટાણે યાદ ન કરાય. ક્ષત્રિયો એ ભૂલી જાય તો જ તેઓ રૂપાલાને માફ કરી શકે એમ લાગે છે! 
નહિ તો, જેઓ નરેન્દ્ર છે એટલે કે જેઓ બધા નરમાં ઇન્દ્ર સમાન છે, એટલે કે સ્વર્ગના રાજા છે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરીને કંઈ પણ કરી શકે છે! હે ક્ષત્રિયો, તમે વહેલી તકે માની જાવ. તમે કહેશો તે ક્ષત્રિય રાજાનું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જેટલું  જ ઊંચું  'સ્ટેચ્યુ ઓફ કરેજ' નરેન્દ્ર મોદી બનાવી શકે એટલી તાકાત આશરે ₹ ૫૦ લાખ કરોડનું બજેટ  હોવાથી એમની પાસે છે જ! 
હા, દલિતો, વાણિયા, બ્રાહ્મણો અને જૈનો, બૌદ્ધો, શીખો સહિતના અન્ય ધર્મીઓએ કોઈ ચિંતા કરવાની તસ્દી લેવી નહિ. દિવ્યાત્મા સૌની અંતરેચ્છા જાણે જ છે! આ બધા તીરે ઊભા ઊભા દિવ્યાત્માનો તમાશાલીલા જોયા કરે, કારણ કે ચૂંટણીના મહાસાગરમાં માંહી પડેલા તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પ્રાપ્ત ઐશ્વર્યમાં જેમ્સ બોન્ડની સ્ટાઈલમાં ધનાધન મહાસુખ માણી રહ્યા છે! 
---
અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય, અર્થશાસ્ત્રી 

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|