सीधे मुख्य सामग्री पर जाएं

જેને 2015માં ‘રાષ્ટ્રવિરોધી’ કરાર કરવામાં આવ્યો હતો, તેવા પાયલ કપાડિયા... Cannes થી Court?

- સંજય સ્વાતિ ભાવે 

ફ્રાન્સના અતિપ્રતિષ્ઠિત Cannes International Film Festival માં ભારતના દિગ્દર્શક પાયલ કપાડિયાની All We Imagine As Light નામની સ્ત્રી-કેન્દ્રી ફીચર ફિલ્મને Grand Prix નામનો અત્યંત સન્માનનીય પુરસ્કાર મળ્યો છે.
પાયલ એવાં સહુ પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે કે જેમની ફીચર ફિલ્મ Cannes ની મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય. વળી આ બીજી જ એવી ભારતીય ફિલ્મ છે કે જે મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય.આ પહેલાં 1994માં શાજી એન. કરુણ નામના દિગ્દર્શકની ‘સ્વહમ’ ફિલ્મ બતાવવામાં આવી હતી.
સન્માન સ્વીકારતી વખતે પાયલે સંયત આનંદ સાથે સહુનો આભાર માન્યો.પછી તેમણે ફિલ્મની ત્રણ અભિનેત્રીઓ કની કુસૃતી,દિવ્ય પ્રભા અને છાયા કદમને મંચ પર પોતાની નજીક બોલાવી અને કહ્યું:
‘હું મારી એક્ટર્સને અહીં બોલાવું છું કારણ કે, મને નથી લાગતું કે , તેમનાં વિના આ શક્ય બન્યું હોત.આ સ્ત્રીઓએ મને ઘણું બધું આપ્યું છે અને તેમણે ફિલ્મને પોતાનો પરિવાર ગણીને તેના માટે કામ કર્યું છે,તમણે આ ફિલ્મને પોતાની માની છે.’
ફિલ્મ વિશેની નોંધ વાંચતાં તેમણે કહ્યું: ‘આ ફિલ્મ મૈત્રી વિશેની છે, આ ફિલ્મ એકબીજાથી સાવ અલગ હોય તેવી ત્રણ સ્ત્રીઓ વિશેની છે. આપણા સમાજમાં ઘણી વાર સ્ત્રી સ્ત્રીની દુશ્મન એમ માનવામાં આવે છે.આપણો સમાજ આ રીતે રચાયેલો છે એ આપણી કમનસીબી છે. પણ મારા માટે દોસ્તી બહુ મહત્વનો સંબંધ છે,કારણ કે તે વધુ એકતા,સમાવેશકતા અને સહસંવેદન (solidarity, inclusivity and empathy) જગાવી શકે છે. આ મૂલ્યો માટે આપણે મથતાં રહેવું જોઈએ.’
પાયલે પોતાની ટીમનો અને Cannes Festival ના આયોજન સાથે સંકળાયેલા સહુનો આભાર માન્યો .તદુપરાંત તેમણે ફેસ્ટિવલ સાથે સંકળાયેલા કામદારોનો આભાર માનીને તેમની ચળવળ સાથે સોલિડારિટી વ્યક્ત કરી હતી.
દેશના વડાપ્રધાને પાયલને અભિનંદન આપ્યા છે.યાદ કરાવવું જ રહ્યું કે તેમના જ વડા પ્રધાન પદ હેઠળની ભારતીય જનતા પક્ષની સરકારે આ જ પાયલ અને તેના બીજાં કેટલાક જાગૃત સાથીદાર યુવાઓ પર સરકારના એક તદ્દન ગેરવાજબી પગલાનો વિરોધ કરવા માટે 2015માં ચાર્જશીટ મૂકવામાં આવી હતી.તેમને ‘anti-national’ નો સિક્કો અને ‘go back to Pakistan’ ના નારા વેઠવાના આવ્યા હતા.
પાયલ ફિલ્મકલાના શિક્ષણ માટેની પૂનામાં આવેલી વિખ્યાત સંસ્થા Film and Television Institute of India (FTII)ના વિદ્યાર્થિની છે. ફિલ્મકલાના ધરુવાડિયા સમી આ સંસ્થાએ અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે.
આ Cannes Festival માં પાયલ ઉપરાંત FTII ના ત્રણ વિદ્યાર્થીઓને સન્માન મળ્યાં છે. સંસ્થાના ચેરપર્સન/પ્રેસિડેન્ટ તરીકે મૃણાલ સેન, શ્યામ બેનેગલ, અદૂર ગોપાલકૃષ્ણન, ગિરીશ કર્નાડ જેવા દિગ્ગજો રહી ચૂક્યા છે.
સરકારે સંસ્થાના ચેરપર્સન તરીકે સરકારે જૂન 2015માં ભાજપના સભ્ય એવા અભિનેતા ગજેન્દ્ર ચૌહાનની નિમણૂક કરી.તેઓ કેવળ મહાભારત ટેલિવિઝન શ્રેણીમાં યુધિષ્ઠિરની ભૂમિકા માટે જાણીતા હતા.
આવી નજીવી પાત્રતા ધરાવતા વડાની રાજકીય નિમણૂકનો FTII ના વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ કર્યો.આંદોલન 202માં જુલાઈથી ઑક્ટોબર 130 દિવસ સુધી ચાલ્યું. વિદ્યાર્થીઓની ધરપકડો થઈ, તેમની પર કેસ દાખલ થયા.
આ આંદોલનના ટેકામાં અમદાવાદના કર્મશીલોએ પણ FTII ના વિદ્યાર્થીઓની સાથે ગોષ્ઠી અને તેમની ફિલ્મો બતાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
FTII આંદોલનના આગેવાનોમાં એક પાયલ હતાં.વિદ્યાર્થીઓએ એક દિવસ માનવ સાંકળ બનાવી અને સંસ્થાના નિયામકને ઘેરાવ કર્યો. તે વખતે કથિત ભાંગફોડ અને અન્ય આરોપો હેઠળ પાંત્રીસેક વિદ્યાર્થીઓ સાથે પાયલની સામે પણ ફરિયાદ દાખલ થઈ.
શિસ્તભંગના પગલાં તરીકે Student Exchange Program માંથી પાયલનું નામ કમી કરવામાં આવ્યું,વીસ હજાર રૂપિયાની સ્કૉલરશીપ રદ કરવામાં આવી. બધા વિદ્યાર્થીઓ પર 2016માં કેસ દાખલ કરવામાં આવ્યો જેની સુનાવણીઓ પૂનાની સેશન્સ કોર્ટમાં દર બે-ત્રણ મહિને ચાલે છે જેમાં પ્રોસિક્યુશન તરફથી ભાગ્યે જ કોઈ રજૂઆત હોય છે.
જોકે 2017માં પાયલની Afternoon Cloud નામની ફિલ્મ Cannes ના વિદ્યાર્થી વિભાગમાં પસંદ પામી ત્યારે FTII એ પાયલને તેના નિર્માણ માટેનું ખર્ચ આપ્યું હતું.
Cannes સન્માન પછીના એક પ્રતિભાવમાં પાયલે કહ્યું : ‘FTII એ જગ્યા છે કે જ્યાં તમે સિનેમાચાહકોની સાથે ખૂબ શેઅરિંગ કરી શકો.સંસ્થામાં મારી સાથે ભણતા વિદ્યાર્થીઓનો મારા વિચારોને ઘાટ આપવામાં ફાળો છે.અહીં અમને દુનિયાભરની ફિલ્મો જોવા મળી અને એ એક્સપોઝર મને મારી ફિલ્મો બનાવવામાં પણ ઘણું ઉપયોગી થયું.’
પાયલે 2021 બનાવેલી A Night of Knowing Nothing નામની ડૉક્યુમેન્ટરિ ફિલ્મને Cannes માં બેસ્ટ ડૉક્યુમેન્ટરિ ફિલ્મનો પુરસ્કાર મળ્યો. Abstract તરફ ઝુકાવ ધરાવતી આ કલાત્મક ફિલ્મ ભારતીય વિદ્યાર્થી જીવન અને યુનિવર્સિટી શિક્ષણ પરની એક સર્વોત્કૃષ્ટ ભારતીય ડૉક્યુમન્ટરિ ફિલ્મ ગણાય છે.
ફિલ્મ વિશેના એક લાંબા આસ્વાદલેખમાં નોંધવામાં એ મતલબનું આવ્યું છે કે FTII ના આંદોલનને એક પ્લૅટફૉર્મ તરીકે લઈને આ ફિલ્મ વિદ્યાર્થી જગતે મોદી સરકાર સામે ચલાવેલા વિરોધ, શાસકોનો મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથેનો ભેદભાવ, દલિત અને બહુજન સમાજના વિદ્યાર્થીઓ તરફનો અભિગમ, યુનિવર્સિટીઓની ફીમાં કમરતોડ વધારો અને ઉચ્ચશિક્ષણ માત્ર ધનિકોનો વિશેષાધિકાર બને તેવી નીતિને ખુલ્લાં પાડે છે.
2014 માં સત્તા પર આવેલી ભાજપ સરકારે જુદું વિચારવા પ્રેરનારી એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં ખુલ્લેઆમ દખલગીરી અને તેના વિરોધનું દમન કરવાની શરૂઆત કરી તે સંભવત: પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂથી. તે પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી જેવી અનેક શિક્ષણસંસ્થાઓ સરકારની નીતિઓનો વિરોધ કરનાર છાત્રશક્તિને કચડી નાખવાનો સિલસિલો ચાલ્યો. હમણાં રામનવમી પર પણ FTII ના પરિસરમાં ઘૂસીને ત્યાં જોવા મળતાં બાબરી મસ્જિદ તોડવાના બનાવના પોસ્ટરને ફાડવાના અને ધાકધમકીનો બનાવ બન્યો.
પાયલને 26 મેના દિવસે વૈશ્વિક સન્માન મળ્યું. હવે બરાબર એક મહિના બાદ,26 જૂન 2024 ના દિવસે, પાયલ અને તેમનાં સાથીઓએ જૂન 2016માં,આઠ વર્ષ પહેલા સરકારની સામે અવાજ ઊઠાવ્યો હતો તેના માટેના મુકદમાની તારીખ પૂના સેશન્સ કોર્ટમાં છે.
---
*સ્રોત: ફેસબુક   

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|