सीधे मुख्य सामग्री पर जाएं

સરકાર લોકોને છેતરવા સંવેદના નાટક કરતી હોય તો ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી

- રમેશ સવાણી 
રાજકોટમાં નાના મવા રોડ પર ‘TRP ગેમ ઝોન’માં 25 મે 2024ના રોજ, ભીષણ આગમાં 27 લોકો ભોગ બન્યા છે. તેમાં મોટાભાગના ભૂલકાઓ છે. અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરાશે. 
TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને માનવિજયસિંહ સોલંકી છે, પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજસિંહની ધરપકડ કરી છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ કરતા હતા. મેનેજર નિતિન જૈન હતો. TRP ગેમ ઝોનનો 30થી 40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર થઈ ગયો છે.
રાજ્ય સરકારે મૃતક પરિવારોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના અંગે IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ/ વડાપ્રધાન/ વિપક્ષના નેતાઓ/ ગુજરાતના મુખ્યમંત્રીએ સંવેદનાઓ વ્યક્ત કરી છે. સત્તાપક્ષે કહ્યું છે કે આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે !
થોડાં મુદ્દાઓ : 
[1] ગમે તેટલાં લોકો મરે પણ સરકારને/ તંત્રને ફરક પડે છે ખરો? સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં મોત- 22/ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોત-135/ વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં મોત-22/ અમદાવાદ કાંકરિયા રાઈડ દુર્ઘટના મોત-2/ ભરુચ સિવિલ અગ્નિકાંડમાં મોત -18/ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ અગ્નિકાંડમાં મોક- 8/ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોત-6 ભાવનગર રંઘોળા દુર્ઘટનામાં મોત-36; છતાં તંત્ર જાગ્યું? તંત્રનો વાંક હતો; છતાં તંત્રને છાવરનાર સરકાર હતીને? તંત્રએ જવાબદારી શામાટે ખંખેરી નાંખી? દરેક વખતે ‘જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે’ના હાંકોટા પાડવામાં આવે છે. તપાસના કડક આદેશ અપાય છે, પણ પરિણામ સાવ ઢીલુંઢફ ! 
[2] દર વખતે સરકાર મૃતક પરિવારોને 4 લાખની સહાય તરત જ જાહેર કરે છે; તે સંવેદના માટે નહીં, પરંતુ પોતાની જવાબદારી ખંખેરી નાખવા ! ‘સરકાર સંવેદનશીલ છે’ તેવું  કહેનાર મુખ્યમંત્રી લોકોને મૂરખ બનાવે છે ! 
[3] આ દરેક દુર્ઘટનામાં એક કોમન બાબત શું છે? તંત્રનો ભ્રષ્ટાચાર ! લાખો રુપિયાની લાંચ લઈને તંત્ર આંખ આડા કાન કરે છે ! નિયમોનું પાલન નહીં. લોકોનાં જીવને જોખમમાં મૂકે તેવી આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવાનું લાયસન્સ શામાટે અપાય છે? જ્યાં સુધી તંત્રનો ભ્રષ્ટાચાર શરુ રહેશે ત્યાં સુધી અગ્નિમાં લોકો હોમાતા રહેશે ! 
[4] સરકાર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરે છે પણ તેના અહેવાલનો અમલ કરતી નથી કે અહેવાલ લોકોના વિમર્શ માટે પ્રસિદ્ધ કરાતો નથી. આવી SITની રચના તો લોકોનો ભભૂકી રહેલા રોષને શાંત પાડવાનું એક હથિયાર/ સાધન માત્ર છે ! 
[5] સરકાર હવે તપાસ કરવા માંગે છે કે ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ કે કેમ? ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વેળાએ કઈ કઈ બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી? ગેમિંગ ઝોનના બાંધકામ અંગે સ્થાનિક તંત્રની મંજૂરી લીધેલ કે કેમ? બાંધકામ નિયમોનુસાર કરેલ કે કેમ? ફાયર ખાતાની NOC મેળવવામાં આવેલ કે કેમ?  ગેમિંગ ઝોનમાં ઈમરજન્સીમાં રાહત અને બચાવની શું વ્યવસ્થા કરવામાં આવેલ હતી? ગેમિંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી? આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્ર અને ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ અન્ય કોઈ ઈજારદારની નિષ્કાળજી/બેદરકારી હતી કે કેમ? ગેમિંગ ઝોનમાં પેટ્રોલ-ડીઝલનો અમર્યાદિત જથ્થો હતો કે કેમ? ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બનતી અટકે તે માટેના નિવારક પગલાં શું લેવા જોઈએ? આ બધી તપાસ માટે SITની રચના કરી છે ! શું સરકારને એ જ્ઞાન નહીં હોય કે આવી દુર્ઘટનાઓ નિયમોના ઊળાળિયો કરવાથી/ ભ્રષ્ટાચારના કારણે બને છે? જો સરકાર વાસ્તવમાં સંવેદનશીલ હોય/ ભ્રષ્ટાચાર બાબતે zero-tolerance નીતિ હોય/ શુભ અને સાચા ઈરાદાઓ હોય તો આવી દુર્ઘટનાઓ જરુર ટાળી શકાય ! સરકાર લોકોને છેતરવા માટે સંવેદના પ્રગટ કરવાના નાટક કરતી હોય તો ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી ! ભલે તંત્રને કોઈ ફરક ન પડે, પણ ગમે તેટલા લોકો મરે એની નાગરિકોને કંઈ પડી છે ખરી? મોતના આંકડા જોઈ કોઈનું રુવાડું પણ ફરકે છે ખરું?
---
 સૌજન્ય: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|