सीधे मुख्य सामग्री पर जाएं

તત્વચિંતક રાજનીતિજ્ઞ મોદીનાં લોકસભાની ચૂંટણી સંદર્ભે મહાન વ્યાખ્યાનો પ્રકાશિત કરવા જોઈએ

- ઉત્તમ પરમાર 

વિશ્વના મહાન તત્વચિંતક રાજનીતિજ્ઞ અને આપણા મહાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2024ની લોકસભાની ચૂંટણી સંદર્ભે જે જાહેર વ્યાખ્યાનો આપી રહ્યા છે, એ માત્ર ભારતના વડાપ્રધાનોના નહીં પરંતુ વિશ્વના વડાપ્રધાનોના પ્રવચનો પૈકી સર્વશ્રેષ્ઠ પ્રવચનો છે.
નરેન્દ્રભાઈના આ બધા જ પ્રવચનોને પ્રકાશિત કરવા જોઈએ અને તેનું દ્રશ્ય શ્રાવ્ય સંકલન પણ કરી રાખવું જોઈએ. કારણકે આવવા મહાન પ્રવચનો સદીઓ સુધી વિશ્વના બીજા કોઈ વડાપ્રધાન કરી શકવાના નથી.
નરેન્દ્રભાઈના મહાન ક્રાંતિકારી પ્રવચનો કેટલાક લોકોને સમજાતા નથી અને તેને કારણે તેઓ સમજણ વગરના નરેન્દ્રભાઈ સામે બખાળા કરે છે. પરંતુ આ બધા જ પ્રવચનો નરેન્દ્રભાઈએ તુરીયાવસ્થામાં પ્રવેશ કર્યા પછી આપેલા આધ્યાત્મિક પ્રવચન છે. જે વિવેક બુદ્ધિવાદી, વૈજ્ઞાનિક અભિગમવાદી અને 
વૈશ્વિક માનવવાદી લોકોને ન સમજાય તે સ્વાભાવિક છે.
નરેન્દ્રભાઈના આ પ્રવચનો સમજવા માટે એમને સમર્પિત થઈ ચૂકેલા મધ્યમવર્ગીય માનસિકતાવાળા ગ્રેજ્યુએશન થી લઇ પીએચડી સુધીના પ્રજ્ઞાચક્ષુ શિષ્યો પાસે જશો તો તમને તેઓ નરેન્દ્રભાઈના પ્રવચનોનો સાચો અને મહાન અર્થ શું થઈ શકે તે સરળતાથી સમજાવશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોનો અર્થ સમજવા માટે બીજો વિકલ્પ પણ છે, તે એ છે કે આ પ્રવચનો સામે લોકપ્રિય સાહિત્યકાર ગુણવંત શાહ ,લોકપ્રિય કથાકાર મોરારીબાપુ અને લોકપ્રિય સન્યાસી સચ્ચિદાનંદ મૌન ધારણ કરે છે એ મૌનની ભાષા તમે સમજશો તો તમને નરેન્દ્ર ભાઈના પ્રવચનો સમજાઈ જશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ હોય છે કે એ પોતે જ પોતાના મનમાં જે સદવિચારો ધરાવે છે અને પોતે જે સદકર્મો કરતા હોય છે તેના જ હેત્વારોપણો અને આક્ષેપો પોતાના સૌથી પ્રિય દુશ્મન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધી નહેરુ પરિવાર પર કરતા હોય છે. આ લાક્ષણિકતા તમને ભારતીય સંસ્કૃતિના 5,000 વર્ષના ઇતિહાસમાં બીજા કોઈપણ મહાપુરુષમાં જોવા મળશે નહીં.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની નોંધ વિશ્વભરના લોકશાહી દેશના વર્તમાનપત્રો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોએ વ્યાપક પ્રમાણમાં નકારાત્મક રીતે લીધી છે અને આપણા મહાન વિશ્વગુરુ નરેન્દ્રભાઈની ટીકા કરી છે.
પરંતુ આવી હરકતોથી આપણે જરા પણ વિચલિત થવાની જરૂર નથી કારણ કે હવે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ છે, તેમણે ભારતની અને વિશ્વની પ્રજા માટે તુરીયાવસ્થામાં પ્રવેશ કરેલો છે અને તેમનું જીવન વિચાર કાર્ય અને દર્શન જ એકમાત્ર સત્ય છે. તેમને ભારતના મીડિયા જગતનું અને પ્રજ્ઞાચક્ષુ ભક્તોનું વ્યાપક સમર્થન છે એટલે નરેન્દ્રભાઈની વાણી જ એકમાત્ર સત્ય છે.
નરેન્દ્રભાઈના આ વિશ્વવિખ્યાત પ્રવચનો સામે સોક્રેટીસ, ટોલ્સટોય, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, લોહીયા, અબ્રાહમ લિંકન અને કેનેડી તથા માર્ટિન લ્યુથર કિંગના પ્રવચનો તો કચરો લાગે. આ બધા મહાપુરુષો અને તેમના શિષ્યોએ નરેન્દ્ર ભાઈ ને સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ, નરેન્દ્ર ભાઈના શબ્દોનું ધ્યાન કરવું જોઈએ, તો જ આપણે નરેન્દ્ર ભાઈ ને સમજી શકીશું.
આપણા મોરારીબાપુએ રામકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈ ની વાત નહીં કરવી જોઈએ પરંતુ નરેન્દ્રકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈના સમર્થનમાં રામને રજૂ કરવા જઈએ.
આપણા ગુણવંતભાઈ શાહે એમની કટાર નરેન્દ્રભાઈના પ્રવચનોના ગૂઢાર્થ સમજાવવા માટે સમર્પિત કરવી જોઈએ.
આપણા સચ્ચિદાનંદજીએ એમનું બાકીનું સન્યસ્ત જીવન નરેન્દ્રભાઈને સમર્પિત કરવું જોઈએ અને એમના માથા પરનું નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવું જોઈએ.
ખરેખર ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પેદા કરીને જે ભૂલ કરી હતી તે ભૂલને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પેદા કરીને અને ભારતને અને વિશ્વને તેની ભેટ આપીને ગુજરાતને કલંકિત થતું બચાવી લીધું છે.
ઘણા બધા નરેન્દ્રભાઈને નહીં સમજી શકતા લોકો નરેન્દ્રભાઈના પ્રવચનો સાંભળીને એમના માનસિક સ્વાસ્થયની ખોટી ચિંતા કરતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક રીતે એમણે તુરીયા અવસ્થામાં પ્રવેશ કર્યો છે તેના કારણે આવા મહાન પ્રવચનો તેઓ કરી શકે છે.
(તુરીયાવસ્થા વિશે કોઈને ન સમજણ પડતી હોય તો આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શરદ ઠાકરનો સંપર્ક કરવો, એવો પણ તુરીયાવસ્થાના સાધક છે.).
ભારતીય સંસ્કૃતિના 5000 વર્ષના દર્શન સાહિત્યમાં અંતે નરેન્દ્રભાઈના પ્રવચનો સર્વશ્રેષ્ઠ દર્શન છે એટલી સમજણ સાથે નરેન્દ્રભાઈ પ્રત્યેનો મારો અહોભાવ વ્યક્ત કરું છું.
આપ સૌ મિત્રો પણ ગીતા ,કુરાન, બાઇબલ કે રેશનલ સાહિત્ય વાંચવાનું પડતું મૂકીને નરેન્દ્રભાઈના 2024ના પ્રવચનોનો નિયમિત અભ્યાસ કરો અને સાતત્ય પૂર્વક કરતા રહો એ જ શુભેચ્છા સાથે વીરમુ છું.
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|