सीधे मुख्य सामग्री पर जाएं

આપણા સમાજમાં દીકરીના માતપિતાનો દરજ્જો દીકરાના માતાપિતા કરતાં નિમ્ન કક્ષાનો કેમ?

- તૃપ્તિ શેઠ 

થોડાંક દિવસ પહેલાં એક દુકાનમાં ખરીદી કરવાં ગઈ અને એ બહેન જે દુકાન પર બેઠાં હતાં એ ફોન પર વાતો જ કર્યા કરતાં હતાં . હું કંટાળીને આગળ જવા ગઈ તો એ મને કહે , "સોરી !  મારી મમ્મીને હું રોજ આ સમયે ફોન કરું છું કેમ કે એ મંદિરમાં રહે છે અને ત્યાં ઈલેક્ટ્રિસિટી નથી. એ પાંચ રૂપીઆમાં ફોન રોજ ચાર્જ કરાવે અને મારી સાથે વાત કરે." મે પૂછ્યું તારી મમ્મી કેમ એકલી રહે છે, તો એનો જવાબ હતો કે મારા બે ભાઈઓએ મારી મમ્મીને એના ઘરમાંથી કાઢી મૂકી છે એટલે એક ગામના છેવાડે આવેલાં મંદિરમાં રહે છે અને ત્યાં કામ કરે છે . મે કહ્યું ,” તું કેમ તારી મમ્મીની બોલાવી લેતી નથી ? “ તો મને કહે, મારી મા કહે છે કે છોકરીને ઘરે પાણી પણ પીએ તો  પાપ લાગે. 
આજની તારીખે પણ આ જ માનસિકતા હિન્દુ સોસાયટીમાં મોટાં પાયે જોવા મળે છે. પહેલાં છોકરીઓને ખૂબ દૂર પરણવાવામાં આવતી અને નાની ઉમરે પરણાવી દેવામાં આવતી , કોઈ વાહનવ્યવહારની સગવડ તો હતી નહીં. જો માતાપિતા દીકરીના સાસરે જાય તો બે ત્રણ દિવસ તો રહેવું પડે અને ખાવુંપીવું પણ પડે કેમ કે તે વખતે બહાર જઈને જમવાનું એ સમાજમાં સારું ન ગણાતું , વળી એવી કોઈ વ્યવસ્થા પણ ન હતી . હવે જો માતાપિતા દીકરીના ઘરે રહે તો દીકરી પર પડતાં દુ:ખો , વેદના વિષે જાણે અને અવાજ ઉઠાવે . પણ જો  માતાપિતા દીકરીના ઘરે આવે જ ના તો દીકરીની મનોદશા અને વ્યથા વિષે ખબર જ ન પડે. ઉપરાંત, પહેલાં બહુપત્નીપ્રથા પ્રચલિત હતી એટલે કેટલીક પત્નીને સારી રીતે રાખે અને કેટલીકને ખૂબ જ ખરાબ. એ બધુ ખૂબ જ સારી રીતે છુપાવી શકાય એટલે માતાપિતાને ઘરમાં બોલાવવાના જ નહીં ! 
વળી ભારતીય સમાજોમાં  દીકરીના માતપિતાનો દરજ્જો દીકરાના માતાપિતા કરતાં નિમ્ન કક્ષાનો. એ દરજ્જો નીચો જ રહે અને માતાપિતા છોકરી માટે અવાજ ઉઠાવે નહીં એટલે આ રિવાજને “ સંસ્કૃતિક મૂલ્ય “ બનાવી દીધું કે દીકરીના ઘરે રહે તો પાપ લાગે. આ એક ખૂબ જ વિચારેલી પિતૃસત્તાક સમાજની વ્યૂહરચના છે કે છોકરીઓ માટે બને તેટલી સપોર્ટ સિસ્ટમ ઓછી કરવી જેથી છોકરી પોતાના હક્કો માટે બોલે જ નહીં ને દબાયેલી રહે. 
 મે કેટલાય માતાપિતાને જોયા છે કે દીકરીના સાસરે જવાનું થાય તો એ ઘરેથી પાણી અને જમવાનું લઈને જાય. ભણેલીગણેલી છોકરીઓ પણ કહેશે ,"મારા માતાપિતા મારા ઘરે નહીં આવે કેમ કે એમને બહુ ત્રાસ પડે અને હું પણ એ લોકો આવે એવો આગ્રહ જ ન રાખું“ .  
 એક બીજી પ્રથા એ છે કે જો દીકરીના સાસરે ખાય તો પૈસા  કે મોંઘી ગિફ્ટ  આપવી , જેથી એવું કહેવાય કે મે દીકરીના ઘરે મફત ખાધું નથી. આ પ્રથા દીકરીની સુરક્ષા ને સલામતી માટે ખૂબ જ ખતરનાક છે. આ અંગે પુન:વિચાર કરવાની જરૂર છે .
- હવે તો સમજો ,છોકરીઓ ભણે છે ;એનામાં પણ  આ પ્રથા પાછળ સારાસારનો વિવેક સમજવાની શક્તિ કે સમજણ હોવી જોઈએ. સાથેસાથે છોકરીઓનાં પતિએ પણ સમજવું જોઈએ કે મારી પત્નીના માતાપિતા એ મારા પણ માતાપિતા છે , કેમ કે ઘરમાં પરણીને આવનાર દીકરી જો સાસુસસરાને માતાપિતા તરીકે સ્વીકારી સેવા કરતી હોય તો એનો પતિ કેમ નહીં ? ક્યાં સુધી છોકરી અને એના પિયરીયાનું સ્થાન સમાજમાં નીચું જ રહેશે ? છોકરીઓ અને પત્ની પર જોક્સ મારવા એ જુદી બાબત છે અને પત્નીની વાસ્તવિક પરિસ્થતિ સમજવી એ તદ્દન જુદી બાબત છે. 
છોકરીઓ પરણે પછી એ કમાતી હોય તો એના પૈસા પણ ન લે ! અરે તમે જન્મ આપ્યો, ભણાવીગણાવી ત્યારે એ પગભર થઈ છે ને? માબાપ કેમ એના પૈસા ન લઈ શકે?  એક જ દલીલ "છોકરીઓનાં પૈસા લઈ કયા ભવમાં છૂટવું?" કેટલાંક સમાજમાં તો એવી દલીલ કરવામાં આવે છે કે જો દીકરીના પૈસા લઈએ તો એને માતાપિતાની મિલકતમાં ભાગ આપવો પડે એટલે દીકરીના પૈસા હરામ કહેવાય ! 
દીકરી તરીકે એને બિચારી રાખવાની એક તક પણ નહીં ગુમાવવાની. પિયરમાં એ જાય તો મહેમાનની જેમ જ . મોટાભાગની દીકરીઓ માટે  માતાપિતાની ઘરની નિર્ણાયક બાબતોમાં એને  અભિપ્રાય આપવાનો હક્ક જ નહીં  . ઢગલાબંધ છોકરીઓ મારી આગળ ફરિયાદ કરે કે  જો માબાપની ઘરે કોઈ વાતમાં અભિપ્રાય આપીએ તો તરત જ બૂમરેંગ ફેંકવામાં આવે કે પરણેલી છોકરીઓ પિયરની વાતોમાં બોલવાનું ન હોય ! 
 જેટલાં  માતાપિતા છોકરાઓના છે એટલા જ છોકરીઓનાં છે. એમનો હક્ક છે પોતાની દીકરીનું હિત જોવાનું અને દીકરીનો હક્ક છે માતાપિતાની  ગરિમા અને સ્વમાન જાળવી રાખવાનું! ને માબાપની ફરજ છે કે દીકરીનું  સ્વમાન અને ગરિમા જાળવવાની! "પાપના પોટલાં" ના નામે એને "એકલી" મૂકી નહીં દેવાની. 

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|