सीधे मुख्य सामग्री पर जाएं

બાળકો બળીને કોલસો થઈ રહ્યા હોય ત્યારે હસવું કઈ રીતે આવે?

- રમેશ સવાણી 
25 મે 2024ના રોજ, રાજકોટના ‘TRP ગેમઝોન’માં આગ લાગવાથી 33 લોકો બળીને કોલસો થઈ ગયા ! મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. બીજા દિવસથી સરકારે મૃત્યુ આંક  સ્થગિત કરી દીધો છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના વેળાએ પણ મૃત્યુઆંક 135 પછી સરકારે સ્થગિત કરી દીધો હતો ! સમાચાર સંસ્થાઓ પણ રાજકોટની દુર્ઘટનામાં મૃત્યુ આંક 33 દર્શાવે છે; જ્યારે હોસ્પિટલમાં પોતાના સ્વજનોને શોધવા લોકો અહીં તહીં ભટકી રહ્યા છે, ત્રણ દિવસ થયા છતાં કોઈ જવાબ આપતું નથી. તંત્ર ઈરાદાપૂર્વક એવું રટણ કરે છે કે મિસિંગ છે ! અરે હરામખોરો ! આ મિસિંગ એટલે શું? મિસિંગ હોય તો 3 દિવસના અંતે ઘેર ન આવી જાય? કોને બનાવો છો? સાચો મૃત્યુઆંક છૂપાવવા ‘મિસિંગ’નું તૂત ઊભું કરો છો? શરમ જેવું છે કે નહીં? 
ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ/ પ્રકાશ સોલંકી સહિત કુલ 6 આરોપીઓ સામે IPC કલમ 304 (સજા : 10 વર્ષ કે આજીવન કેદ)/ 308 (સજા : 3 વર્ષ)/ 337 (સજા : 6 મહિના કેદ)/ 338 (સજા: 2 વર્ષની કેદ)/ 114 (સજા : ગુના માટે હોય તે) હેઠળ FIR નોંધવામાં આવી છે. સરકારની ખોરા ટોપરા જેવી દાનત જૂઓ; સરકારે જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમના નામો FIRમાં નથી ! સસ્પેન્શન પછી FIRમાં નામો ઉમેરવા પોલીસે કોર્ટને રીપોર્ટ કર્યો નથી ! સરકાર લોકોને મૂરખ બનાવી રહી છે ! સરકારને આ ઘટનામાં કાવતરું દેખાતું નથી ! આરોપીઓનો સામાન્ય ઈરાદો દેખાતો નથી. એટલે જ પોલીસે IPC કલમ-120B/ 34 લગાડી નથી ! આખા ગુજરાતને દઝાડી મૂકે તેવી ગંભીર ઘટનાની ફરિયાદ PSI નોંધાવે છે, ASI નોંધે છે ! શું PI/ACP/DCP હપ્તા લેવા માટે જ હોય છે? આ કોઈ કુદરતી દુર્ઘટના નથી, સરકાર અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારે આચરેલો હત્યાકાંડ છે !
સરકાર શરમવગરની છે જ, તેમના ધારાસભ્ય તો સાવ શરમવગરના છે ! મોતનો મલાજો જાળવવો એ સંસ્કાર છે, ભદ્રતા છે. શોકસભામાં કોઈ ખડખડાટ હસે તો લોકો તેની સામે શંકાની દ્રષ્ટિએ જૂએ ! ગેમ ઝોનમાં લોકો સળગી રહ્યા હત્યા ત્યારે સત્તાપક્ષના ધારાસભ્ય રમેશ ટીલાળાને પત્રકારોએ ફાયર સેફટીનો સવાલ પૂછ્યો તે વેળાએ 'આમાં તો હવે હું ય શું કહી શકું !’ એમ કહીને ધારાસભ્ય હસવા લાગ્યા હતા ! 
બાળકો બળીને કોલસો થઈ રહ્યા હોય ત્યારે હસવું કઈ રીતે આવે? રમેશ ટીલાળાઓ કેમ હસે છે? તેઓ એટલે હસે છે કે આપણે ધર્મ અને જ્ઞાતિના આધારે મતદાન કરી 182 બેઠકોમાંથી 156 બેઠકો આપી ! કોરોના કાળમાં લાશો ગંગામાં તરતી હતી છતાં વડાપ્રધાને સંસદમાં શરમસંકોચ ત્યજીને ઘોષણા કરી હતી કે કોઈનું મૃત્યુ ઓક્સિજનના અભાવના કારણે થયું ન હતું ! આ મહાજૂઠ સામે આપણે ચૂપ રહ્યા ! મોરબીનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી ગયો. 135 લોકો હોમાઈ ગયા. વડાપ્રધાન 31 ઓક્ટોબર રોજ ગુજરાતમાં સરકારી કાર્યક્રમો કરતા રહ્યા પણ મોરબી ન ગયા. 1 નવેમ્બર 2022ના રોજ વડાપ્રધાને મોરબીની મુલાકાત લીધી હતી. મોરબીની શેરીએ શેરીએ મોતનો માતમ છવાયેલો હતો; હોસ્પિટલમાં લાશો પડી હતી; ઘાયલ લોકો કણસી રહ્યા હતા; ત્યારે હોસ્પિટલનું રંગરોગાન કરવામાં/તાત્કાલિક સુવિધાઓનો દેખાડો કરવા 8 કરોડનો ખર્ચ કર્યો ! 11 કરોડના ખર્ચે મોરબીના રસ્તાઓ તાબડતોબ રીપેર કરાવ્યા ! બીજી વ્યવસ્થા, સુરક્ષા, માટે 3.5 કરોડનો ખર્ચ કર્યો ! ઈવેન્ટ મેનેજમેન્ટ પાછળ 2  કરોડ અને ફોટોગ્રાફી/વિડીઓગ્રાફી માટે 50 લાખનો ખર્ચ કર્યો ! કુલ રુપિયા 30 કરોડથી વધુ ખર્ચ થયો ! મોરબી કલેક્ટરે RTI એક્ટિવિસ્ટ દિપક પટેલને આ માહિતી આપી હતી. શું આ ખર્ચ એ મૃતકોની અને મોરબીના લોકોની મજાક ન કહેવાય? ત્યારે આપણે ચૂપ રહ્યા હતા ! વડાપ્રધાન શરમસંકોચ વિના કહે છે કે જાજા છોકરા વાળા/ ઘૂસણખોરો તમારી ભેંસ લઈ જશે ! મહિલાઓના મંગળસૂત્ર લઈ જશે ! બીજે દિવસે વડાપ્રધાન કહે છે કે હું તો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાવા જતો ! આવા મહાજૂઠ અને દંભના અતિરેકના કારણે સત્તાપક્ષના ધારાસભ્યો/ સંસદસભ્યોને ક્યારે શું બોલવું તેનું ભાન રહ્યું નથી ! એટલે જ રુપાલાએ શરમજનક બકવાસ કર્યો હતો !
આગમાં જીવતા સળગનારા હિન્દુઓ ! પાણીમાં ડૂબનારા હિન્દુઓ ! આરોપીઓને છાવારનારા હિન્દુઓ ! છતાં આપણે સળગતા/ ડૂબતા બાળકોનો વિચાર કરતા નથી અને ભેંસ/મંગળસૂત્રની ચિંતામાં સંવેદનહીન/ શરમવગરના નેતાને મત આપીને સુરક્ષાની અપેક્ષા રાખીએ છીએ ! જે શાસકો બળાત્કારીઓ/ હત્યારાઓને જેલ મુક્ત કરે; તેમનું તિલકથી સન્માન કરે તે આપણા પ્રત્યે સંવેદના રાખે ખરા? સંવેદના સંવેદના હોય, તે હિન્દુ મુસ્લિમ ન હોય. જેમની સંવેદના જ્ઞાતિ/ધર્મ જોઈને જાગતી હોય તે ખતરનાક હોય છે ! તે બીજાના મોત વેળાએ હસતો હોય છે ! તે મૃતદેહો હોસ્પિટલમાં પડ્યા હોય ત્યારે રંગરોગાન કરાવે છે ! જેવા વડાપ્રધાન તેવા તેમના ધારાસભ્યો-સંસદસભ્યો અને ભક્તો ! ચરિત્ર ઉપરથી નીચે તરફ ઝમતું હોય છે ! રમેશ ટીળાલાના હાસ્યમાં મને તો ગોડસેનું હાસ્ય દેખાય છે !
---
સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|