सीधे मुख्य सामग्री पर जाएं

ક્યારેક તક્ષશીલા તો ક્યારેક શ્રેય હોસ્પિટલ, ક્યારેક મોરબી, ક્યારેક હરણી, તો ક્યારેક ગેમઝોન...

- મીનાક્ષી જોશી*  
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ને પત્ર: લોકો પ્રત્યે તંત્રની બિનસંવેદનશીલતા અને રાજ્યમાં કાયદા વિહિનતાનું પ્રતિબિંબ...
રાજકોટમાં ગેમઝોન-અગ્નિકાંડની ઘટનાથી અમારો પક્ષ, સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) (S.U.C.I.(C)) અત્યંત દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આ દુર્ઘટનામાં બાળકો સહિત 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તમામ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તથા આ દુર્ઘટના માટે જવાબદારોને દાખલારૂપ સજા કરવાની માંગણી કરીએ છીએ.
રાજકોટમાં બનેલી આ દુર્ઘટના માટે જે બેદરકારીઓ બહાર આવી છે તે જોતા લાગે છે કે આ એક આકસ્મિક દુર્ઘટના નહીં પરંતુ રીતસરનો હત્યાકાંડ છે અને તે માટે સૌથી વધુ જવાબદાર સરકારી તંત્ર છે. અને સૌથી દુઃખની બાબત છે કે આટલી ભયંકર ઘટનામાં આટલાબધા નિર્દોષ લોકોના મૃત્યુ પછી આપની સરકાર દર વખતની જેમ કહે છે કે ઘટનાની તપાસ થશે અને ગુનેગારોને સજા કરવામાં આવશે. સૂરતની તક્ષશીલા, કોરોનાકાળમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ, મોરબી ઝૂલતા પૂલ, વડોદરાના હરણી તળાવ, વગેરે જેવી અનેક ઘટનાઓના ગુનેગારોને હજુ સુધી કોઈ સજા થઈ નથી એટલું જ નહીં તેઓ બધા જામીન ઉપર ખુલ્લાં ફરે છે. આ સંજોગોમાં સરકારી નિવેદનો માત્ર હાસ્યાસ્પદ અને નિષ્ઠુરતાની પરાકાષ્ઠા જેવા લાગે છે. અગાઉની દુર્ઘટનામાંથી કોઈ શીખ લેવાને બદલે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં આવે છે.
આવી દરેક ઘટનાઓ સમયે સરકાર દ્વારા એસ.આઈ.ટી.(SIT)ની રચના કરવામાં આવે છે, શરૂઆતમાં ગુનેગારો પકડમાં આવે છે અને પછી ક્લીનચીટ આપીને છોડી મૂકવામાં આવે છે. બસ, હવે બહુ થયું, SITના નામે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવામાં આવે. સલામત ગુજરાત, સલામત ગુજરાતના ઢોલનગારાં વચ્ચે સામાન્ય લોકો તંત્ર અને નફાખોર ધંધાદારીઓની મીલીભગતથી મરી રહ્યા છે ત્યારે સરકાર હવે તો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે નહીં. છેલ્લા પાંચ વર્ષમાં આ રાજકોટ જેવી આગની દુર્ઘટનાઓને કારણે ગુજરાતમાં 3176 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આવી દુર્ઘટનાઓ વારંવાર બનવાનું કારણ છે, સામાન્ય લોકો પ્રત્યે તંત્રની બિનસંવેદનશીલતા, દરેક જગ્યાએ ધંધાદારી માનસિકતા અને રાજ્યમાં કાયદાવિહિનતાનું શાસન. હજુ કેટલી ઘટનાઓ અને કેટલાં લોકોના ભોગ પછી સરકાર અને તંત્રની સંવેદનશીલતા જાગશે?
જો સરકાર અને તંત્ર ખરેખર જ લોકો માટે થોડાંઘણાં પણ સંવેદનશીલ હોય તો લોકોના દુઃખ ઉપર ખાલી નિવેદનબાજી કરવાનું બંધ કરે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે.
અમે માંગણી કરીએ છીએ કે,
(1) રાજકોટમાં ગેમઝોન-અગ્નિકાંડની ઘટનાના તમામ મૃતકોને યોગ્ય આર્થિક વળતર અને ઈજાગ્રસ્તોને નિઃશુલ્ક ધોરણે તમામ સારવાર કરવામાં આવે.
(2) આ ઘટનાના તમામ ગુનેગારોને તપાસનું નાટક કરીને છાવર્યા વગર દાખલારૂપ સજા કરવામાં આવે.
(3) અત્યારસુધી આવી જેટલી પણ ઘટનાઓ બની છે તે તમામના આરોપીઓ જે ખુલ્લા ફરી રહ્યા છે તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
(4) રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તથા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ તેનું પાલન કરે છે કે નહીં તેની કડક દેખરેખ રાખવામાં આવે.
તક્ષશીલા, મોરબી ઝૂલતા પૂલ કે ગેમઝોન.... રાજ્યમાં હવે આવી કોઈ દુર્ઘટના ના બને તે માટે સરકાર અને તંત્ર જાગે, બોધપાઠ લે અને આવી કોઈપણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કાયમી વ્યવસ્થા ગોઠવવા અમે માંગણી કરીએ છીએ.
---
સેક્રેટરી, ગુજરાત રાજ્ય સાંગઠનિક કમિટી, Socialist Unity Centre of India (Communist)

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|