सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતના સ્થાપના દિવસે યાદ કરીએ ભારતના વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી પુરાતત્વવિદ્ ને

- ગૌરાંગ જાની* 
આજે કોઈ ગુજરાતી એ કલ્પના પણ ન કરી શકે કે વર્ષ ૧૮૩૯ માં જૂનાગઢમાં જન્મેલા એક ગુજરાતી વિશ્વ પ્રસિદ્ધ બની શકે! પણ આપણે એ ગુજરાતીને કદાચ વિસરી ગયા છીએ જેમણે ગિરનારના અશોક શિલાલેખને દોઢસો વર્ષ પૂર્વે ઉકેલી આપ્યો.આ વિદ્વાન એટલે ભગવાનલાલ ઈન્દ્રજી. ૭ નવેમ્બર, ૧૮૩૯ ના દિવસે જૂનાગઢના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જૂનાગઢના એ સમયે અંગ્રેજી શિક્ષણની સગવડ ન હોવાને કારણે તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું પણ પાછળથી તેમણે ખપ પૂરતું અંગ્રેજી જાણી લીધું હતું.
પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પિતા ઈન્દ્રજી ઠાકર પાસે સંસ્કૃતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પણ સાથે ગીરનારની તળેટીમાં ઉછરેલા આ કિશોરને અશોકનો શિલાલેખ ઉકેલવાની ઈચ્છા જાગી અને એ વાસ્તવિક પણ બની. ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની નકલ સૌરાષ્ટ્રના એ સમયના પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ્ પાસેથી મેળવી. એના આધારે તેમણે પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોની સૂચિ પોતાના જર્નલમાં છપાવી.ભગવાનલાલે જૂનાગઢના મણિશંકર કીકાણી પાસેથી ૧૮૫૪ માં તેની નકલ મેળવી. તેની મદદથી ગિરનારનો શિલાલેખ ઉકેલ્યો.
એ કે ફોર્બ્સ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ થયા ત્યારે તેમણે ભગવાનલાલની જૂના શિલાલેખો જાણનાર અને ઉકલનાર તરીકેની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમણે તેમનો મેળાપ ડોકટર ભાઉ દાજી સાથે કરાવ્યો .ભગવાનલાલને ભાઉ દાજીએ મુંબઈ આમંત્રિત કર્યા અને વર્ષ ૧૮૬૧ માં  ભગવાનલાલ ગીરનાર રુદ્રદામાના તથા સ્કંદગુપ્તના શીલાલેખોના પોતાના ઉકેલો તથા ક્ષત્રપોના સાહીઠ અપ્રાપ્ય સિક્કા પોતાની સાથે મુંબઈ લઈ ગયા.ડો ભાઉ  દાજીની ભલામણથી રોયલ એશિયાટિક સોસાયટીના પ્રમુખ એચ ન્યૂટને ગિરનારના શિલાલેખોનું સંશોધન ભગવાનલાલના ઋણસ્વીકાર સાથે સોસાયટીના સામયિકમાં પ્રકાશિત કરી.વર્ષ ૧૮૬૨ માં તેઓ કાયમ માટે મુંબઈમાં સ્થાઈ થયા. જૂનાગઢના નવાબે પ્રતિ માસ ૨૦૦ રૂપિયાના પગારે તેઓને પુરાતત્વના સંશોધન કરવાની વ્યવસ્થા કરી આપી હતી.
 અજંતાની ગુફાઓમાંના ચિત્રો તથા લેખોની નકલો કરી ભગવાનલાલે તેને વિશ્વ સમક્ષ મૂક્યા. નાસિક, કાર્લા, ભાજા, બેડસા, નાના ઘાટ વગેરેના લેખ ઉકેલ્યા. જેસલમેરના જૈન ધર્મના દુર્લભ ગ્રંથોની નકલો કરી .ઓમકારેશ્વર થી શરુ કરી ઉજજૈન અને ઉત્તર ભારતમાં તેમજ બલુચિસ્તાન, તિબેટ અને છેક નેપાળ સુધી મહિનાઓ સુધી તેઓ ફર્યા અને ત્યાંના મંદિર ,સ્તંભો ના ફોટા લઈ જૂના લેખોની નકલ કરી. તે વિશેના લેખો હરિલાલ માધવજી ભટ્ટે 'પુરાતત્વ' સામયિકમાં પ્રકાશિત કર્યા.તેમનું આગવું પ્રદાન નેપાળના સમાજજીવનના  નિરીક્ષણો છે .ત્યાંનો ઇતિહાસ અને સમાજજીવન વિશેના ગુજરાતી લખાણો જર્મન વિદ્વાન ડો બુહલરે અંગ્રેજીમાં અનુવાદ કરી પ્રકાશિત કર્યા.
 રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાએ તેમને વર્ષ ૧૮૭૭ માં માનદ સભ્ય બનાવ્યા .લંડન યુનિવર્સિટીએ વર્ષ ૧૮૮૪ માં તેમને ડોકટર ઓફ લિટરેચર ની.પદવીથી નવાજ્યા હતા. બ્રિટિશ રોયલ એશિયાટિક સોસાયટીએ તેમને આજીવન સભ્યપદ આપી સન્માનિત કર્યા .વીરચંદ ધરમસેએ વર્ષ ૨૦૧૨ માં આ મહાન ગુજરાતીના જીવન વિશે પુસ્તક પ્રકાશિત કર્યું. 'Bhgvanlal Indrji (1839- 88) The First Indian Archaeologist'  આ પુસ્તક ગુજરાતીમાં પણ પ્રકાશિત થયું છે.
પંડિત ભગવાનલાલ  માત્ર પુરાતત્વના અભ્યાસી ન હતા પણ એ સમયના ગુજરાત અને ભારતના સમાજ વિશે પણ લખતા અને તે પણ સુધારાવાદી દ્રષ્ટિકોણથી. વર્ષ ૧૯૩૪ માં ગુજરાત વિદ્યાસભા દ્વારા નવલરામ ત્રિવેદી લિખિત પુસ્તક "સમાજ સુધારાનું રેખાદર્શન" પ્રકાશિત થયું.આ પુસ્તકમાં લેખકે ભગવાંનલાલના કેટલાક સામાજીક નિરીક્ષણો ટાંકે છે. તે અહી રજુ કરું છું:
  "થોડાં વર્ષો પહેલાં (હિન્દુઓ) જ્યારે મુસલમાનો પાસેથી જલેબી અને ઢોકળાં (નાનખટાઇ) શીખ્યાં ત્યારે તે ખાદ્ય ઘણું અપવિત્ર અને ભ્રષ્ટ ગણાતું હતું .પણ આ મીઠું લાગવાથી હવે તો દેવતાના ભોગમાં મુખ્ય વસ્તુ જલેબી ને ઢોકળાં થઈ પડ્યાં છે. તેમ જ હાલના પાંઉ બિસ્કુટ ખાનારા વટલેલ ગણાય છે(તે) સાથે બેસશે."
 "ગુજરાત અને કાઠીયાવાડના લોકો વિધવાઓ કાળા રંગના લૂગડાં પહેરવાં એ તેમનો યોગ્ય પોષાક ગણે છે.પણ.મહારાષ્ટ્રના લોકો તેથી ઊલટું જ માને છે.કાળો પોષાક એ તેઓ સૌભાગ્યવતીનું ચિહ્ન માને છે  બીજો રંગ તેઓની વિધવા પહેરશે પણ કાળો કદી પહેરશે નહી."
---
*સૌજન્ય: ફેસબુક 

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.