सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતના સ્થાપના દિવસે યાદ કરીએ ભારતના વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી પુરાતત્વવિદ્ ને

- ગૌરાંગ જાની* 
આજે કોઈ ગુજરાતી એ કલ્પના પણ ન કરી શકે કે વર્ષ ૧૮૩૯ માં જૂનાગઢમાં જન્મેલા એક ગુજરાતી વિશ્વ પ્રસિદ્ધ બની શકે! પણ આપણે એ ગુજરાતીને કદાચ વિસરી ગયા છીએ જેમણે ગિરનારના અશોક શિલાલેખને દોઢસો વર્ષ પૂર્વે ઉકેલી આપ્યો.આ વિદ્વાન એટલે ભગવાનલાલ ઈન્દ્રજી. ૭ નવેમ્બર, ૧૮૩૯ ના દિવસે જૂનાગઢના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જૂનાગઢના એ સમયે અંગ્રેજી શિક્ષણની સગવડ ન હોવાને કારણે તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું પણ પાછળથી તેમણે ખપ પૂરતું અંગ્રેજી જાણી લીધું હતું.
પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પિતા ઈન્દ્રજી ઠાકર પાસે સંસ્કૃતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પણ સાથે ગીરનારની તળેટીમાં ઉછરેલા આ કિશોરને અશોકનો શિલાલેખ ઉકેલવાની ઈચ્છા જાગી અને એ વાસ્તવિક પણ બની. ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની નકલ સૌરાષ્ટ્રના એ સમયના પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ્ પાસેથી મેળવી. એના આધારે તેમણે પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોની સૂચિ પોતાના જર્નલમાં છપાવી.ભગવાનલાલે જૂનાગઢના મણિશંકર કીકાણી પાસેથી ૧૮૫૪ માં તેની નકલ મેળવી. તેની મદદથી ગિરનારનો શિલાલેખ ઉકેલ્યો.
એ કે ફોર્બ્સ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ થયા ત્યારે તેમણે ભગવાનલાલની જૂના શિલાલેખો જાણનાર અને ઉકલનાર તરીકેની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમણે તેમનો મેળાપ ડોકટર ભાઉ દાજી સાથે કરાવ્યો .ભગવાનલાલને ભાઉ દાજીએ મુંબઈ આમંત્રિત કર્યા અને વર્ષ ૧૮૬૧ માં  ભગવાનલાલ ગીરનાર રુદ્રદામાના તથા સ્કંદગુપ્તના શીલાલેખોના પોતાના ઉકેલો તથા ક્ષત્રપોના સાહીઠ અપ્રાપ્ય સિક્કા પોતાની સાથે મુંબઈ લઈ ગયા.ડો ભાઉ  દાજીની ભલામણથી રોયલ એશિયાટિક સોસાયટીના પ્રમુખ એચ ન્યૂટને ગિરનારના શિલાલેખોનું સંશોધન ભગવાનલાલના ઋણસ્વીકાર સાથે સોસાયટીના સામયિકમાં પ્રકાશિત કરી.વર્ષ ૧૮૬૨ માં તેઓ કાયમ માટે મુંબઈમાં સ્થાઈ થયા. જૂનાગઢના નવાબે પ્રતિ માસ ૨૦૦ રૂપિયાના પગારે તેઓને પુરાતત્વના સંશોધન કરવાની વ્યવસ્થા કરી આપી હતી.
 અજંતાની ગુફાઓમાંના ચિત્રો તથા લેખોની નકલો કરી ભગવાનલાલે તેને વિશ્વ સમક્ષ મૂક્યા. નાસિક, કાર્લા, ભાજા, બેડસા, નાના ઘાટ વગેરેના લેખ ઉકેલ્યા. જેસલમેરના જૈન ધર્મના દુર્લભ ગ્રંથોની નકલો કરી .ઓમકારેશ્વર થી શરુ કરી ઉજજૈન અને ઉત્તર ભારતમાં તેમજ બલુચિસ્તાન, તિબેટ અને છેક નેપાળ સુધી મહિનાઓ સુધી તેઓ ફર્યા અને ત્યાંના મંદિર ,સ્તંભો ના ફોટા લઈ જૂના લેખોની નકલ કરી. તે વિશેના લેખો હરિલાલ માધવજી ભટ્ટે 'પુરાતત્વ' સામયિકમાં પ્રકાશિત કર્યા.તેમનું આગવું પ્રદાન નેપાળના સમાજજીવનના  નિરીક્ષણો છે .ત્યાંનો ઇતિહાસ અને સમાજજીવન વિશેના ગુજરાતી લખાણો જર્મન વિદ્વાન ડો બુહલરે અંગ્રેજીમાં અનુવાદ કરી પ્રકાશિત કર્યા.
 રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાએ તેમને વર્ષ ૧૮૭૭ માં માનદ સભ્ય બનાવ્યા .લંડન યુનિવર્સિટીએ વર્ષ ૧૮૮૪ માં તેમને ડોકટર ઓફ લિટરેચર ની.પદવીથી નવાજ્યા હતા. બ્રિટિશ રોયલ એશિયાટિક સોસાયટીએ તેમને આજીવન સભ્યપદ આપી સન્માનિત કર્યા .વીરચંદ ધરમસેએ વર્ષ ૨૦૧૨ માં આ મહાન ગુજરાતીના જીવન વિશે પુસ્તક પ્રકાશિત કર્યું. 'Bhgvanlal Indrji (1839- 88) The First Indian Archaeologist'  આ પુસ્તક ગુજરાતીમાં પણ પ્રકાશિત થયું છે.
પંડિત ભગવાનલાલ  માત્ર પુરાતત્વના અભ્યાસી ન હતા પણ એ સમયના ગુજરાત અને ભારતના સમાજ વિશે પણ લખતા અને તે પણ સુધારાવાદી દ્રષ્ટિકોણથી. વર્ષ ૧૯૩૪ માં ગુજરાત વિદ્યાસભા દ્વારા નવલરામ ત્રિવેદી લિખિત પુસ્તક "સમાજ સુધારાનું રેખાદર્શન" પ્રકાશિત થયું.આ પુસ્તકમાં લેખકે ભગવાંનલાલના કેટલાક સામાજીક નિરીક્ષણો ટાંકે છે. તે અહી રજુ કરું છું:
  "થોડાં વર્ષો પહેલાં (હિન્દુઓ) જ્યારે મુસલમાનો પાસેથી જલેબી અને ઢોકળાં (નાનખટાઇ) શીખ્યાં ત્યારે તે ખાદ્ય ઘણું અપવિત્ર અને ભ્રષ્ટ ગણાતું હતું .પણ આ મીઠું લાગવાથી હવે તો દેવતાના ભોગમાં મુખ્ય વસ્તુ જલેબી ને ઢોકળાં થઈ પડ્યાં છે. તેમ જ હાલના પાંઉ બિસ્કુટ ખાનારા વટલેલ ગણાય છે(તે) સાથે બેસશે."
 "ગુજરાત અને કાઠીયાવાડના લોકો વિધવાઓ કાળા રંગના લૂગડાં પહેરવાં એ તેમનો યોગ્ય પોષાક ગણે છે.પણ.મહારાષ્ટ્રના લોકો તેથી ઊલટું જ માને છે.કાળો પોષાક એ તેઓ સૌભાગ્યવતીનું ચિહ્ન માને છે  બીજો રંગ તેઓની વિધવા પહેરશે પણ કાળો કદી પહેરશે નહી."
---
*સૌજન્ય: ફેસબુક 

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|