सीधे मुख्य सामग्री पर जाएं

સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમને સલામ! આઝાદી માટેના પૅલેસ્ટાઈનના સંઘર્ષનું નાટક

- સંજય શ્રીપાદ ભાવે* 

Return to Filistin નામના માત્ર પોણા કલાકના ખૂબ ઉર્જાવાન ગતિશીલ નાટ્યપ્રયોગમાં સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમે પૅલેસ્ટાઈનની આઝાદી માટેની લાગણી અને લોહીસીંચી જદ્દોજહદને એવી રીતે બતાવી કે તેને પ્રેક્ષકો અપલક નજરે જોતા હતા.
બે યુવતીઓ અને ચાર યુવાનો એમ છ જ કલાકારોએ મુખ્યત્વે સતત બદલાતી જૂથ દૃશ્યરચનાઓ (group compsitions) અને માત્ર human props (એટલે કે કલાકાર જ નાટકના સન્નિવેશની વસ્તુ બને) દ્વારા કોઈ પણ પ્રૉપર્ટી વિના જૂજ સંવાદો તેમ જ અચૂક timing સાથેના પ્રકાશ અને ધ્વનિ (light and sound effects) ની વચ્ચે પૅલેસ્ટાઈનની વિભિષીકા-વેદનાને દુનિયાના બીજા છેડાના બસો જેટલા ખુશહાલ યુવા પ્રેક્ષકો સુધી પહોંચાડી.
બાય ધ વે,મંચ પણ કેવો? આઠ ફૂટ લાંબી અને ચાર ફૂટ પહોળી ત્રણેક ઇંચ ઊંચાઈની લાકડાની, સ્થપતિ કબીર ઠાકોરે બનાવી આપેલી એક લેવલ. તેની પર ઉછળકૂદ,ધક્કામુક્કી અને પછડાટવાળા અનેક દૃશ્યો છતાં એક પણ વખત એક પણ કલાકારનો પગ એ ‘મંચ’ ની બહાર એકપણ વાર પડ્યો નથી.
આ નાટક પૅલેસ્ટાઈનમાં ‘ફ્રીડમ થિએટર’ નામના સ્થાનિક ક્રાન્તિકારી નાટ્યવૃંદે અરેબિક-અંગ્રેજી ભાષામાં તૈયાર કર્યું હતું. 'ફ્રીડમ થિએટર’ જૂથ પૅલેસ્ટાઈનના વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલી આક્રમણોને કારણે હિજરત કરનારા નિવાસીઓ માટે જેનિન શહેર અને અન્ય ત્રણ સ્થળો પર આવેલી રાહતછાવણીઓમાં સક્રિય છે.તેનાં રંગકર્મીઓ છાવણીઓના પીડિત રહિશો સાથે સંવાદ સાધીને તેમનાં વીતકો પર કામ કરે છે.
‘રિટર્ન ટુ ફિલિસ્તિન’ નાટક આવી કથાઓ પર આધારિત છે. ફ્રીડમ થિએટરના Micaela Miranda ના આલેખ અને દિગ્દર્શન હેઠળનું આ નાટક સ્ક્રૅપયાર્ડના યુવા રંગકર્મી સાવન ઝાલરિયાના રૂપાંતર અને દિગ્દર્શનમાં અંગ્રેજી-હિંદી મિશ્ર ભાષામાં 8 જૂનના શનિવારે રાત્રે ભજવાયું.નાટકનાં પ્રસંગો,પાત્રો,સ્થળ,ઉલ્લેખો,સંદર્ભો બધું જ પરોક્ષ નહીં એવું પ્રત્યક્ષ,સાંપ્રત અને પૂરેપૂરું વાસ્તવિક છે.
પૅલેસ્ટાઈનમાં કેટલાંક વર્ષોથી આઝાદી, આશા અને અભિવ્યક્તિના પ્રતીક સમા સાંસ્કૃતિક કેન્દ્ર ફ્રીડમ થિએટરને ઇઝરાયલે ગયા વર્ષે ઑક્ટોબરથી પોતાનું નિશાન બનાવ્યું છે. પહેલાં પાડેલી રેઇડમાં તેના કલાકારોની અટકાયત અને હત્યા કરી છે.
બારમી ડિસેમ્બરથી ત્રણ દિવસ દરમિયાન ઇઝરાયલ દળોએ પાડેલા દરોડામાં થિએટરને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. પણ ફ્રીડમ થિએટર અણનમ છે.
નાટકનું વસ્તુ એવું છે કે અમેરિકામાં વસેલા પૅલેસ્ટિનિયન પરિવારમાં જન્મેલો ઝૈદ એક પણ વાર જઈને તેની માતૃભૂમિમાં જોવા તૈયાર નથી. તેની બહેન અમાલ આક્રમણકારોએ કરેલી તેના દેશની દુર્દશા વર્ણવતું એક પુસ્તક Return to Haifa આપે છે. તેના રાજકારણી-લેખક Ghassan Kanafani (1936-72) ને મોસાદે મારી નાખ્યા હતા.
આ લઘુનવલમાંનું રળિયામણું પૅલેસ્ટાઈન કલાકારો મંચ પર જીવંત કરે છે. ઉછળતો દરિયો,ડોલતાં વૃક્ષો, કિલ્લોલ કરતાં પંખીઓ જેવી અદભૂત જૂથ દૃશ્યરચના જોવા મળે છે.તેની વચ્ચે અચાનક ઇઝરાયલી હુમલાખોરોએ કરેલા ગોળીબાર અને બૉમ્બમારા સંભળાય છે.
નાટકનું દરેક દૃશ્ય જે group composition અને human props થી બન્યું છે,તેને વર્ષોથી સળગતા સંકીર્ણ ગાઝા-સંઘર્ષના ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સંસ્કૃતિ,સમાજ,કુટુંબજીવન,ખાનપાન અને આંતરરાષ્ટ્રીય ગતિવિધીઓ જેવા પાસાં સાથે સંબંધ છે.
નાટકની શરૂઆતમાં સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટી છે અને તેની સાથે અમેરિકાના રાષ્ટ્રગીતની પૅરડી છે.તેમાં મૅકડોનાલ્ડ કે.એફ.સી, સી.આઈ.એ.-એફ.બી.આઈ,મસ્ક અને ટ્રમ્પનો ઉલ્લેખ છે.તેને પગલે વિએટનામ-કોરિયા-ઇરાક-સિરિયા-પૅલેસ્ટીન છે.
ઝૈદના જન્મનાં દૃશ્ય સાથે તે ‘આરબ’ હોવા અંગેની સૂગ વ્યક્ત થતી બતાવાઈ છે.ઝૈદનો તેલ અવીવ સુધીનો વિમાનપ્રવાસ અનેક ગ્રુપ ક્મ્પોઝીશન્સથી બતાવાયો છે.એરપોર્ટના કાઉન્ટર્સ પર અને મુસાફરીમાં તેના વંશ-દેશની ઓળખ થતાં જ અપમાન છે.
તેલ અવીવ વિમાની મથકે છ કલાક પૂછપરછ બાદ તેની મુક્તિ થાય છે.જેનીન જવાનું કહેતાં કૅબવાળા મોં ફેરવે છે. એક હ્યૂમન-કૅબનો આરબ ડ્રાઇવર તેને બેસાડે છે.તે રસ્તામાં પૅલેસ્ટાઈનના વ્યતીત-વર્તમાનની લાગણીભરી વાત કરે છે.વેસ્ટબૅન્કનું સૌંદર્ય માણી રહેલું યહૂદી યુગલ ‘ગંદા આરબો’ને ધૂત્કારતું હોય છે.
જેનીન-નિવાસી મહેમૂદ ઝૈદનો સંગાથી બને છે.આ વિસ્તારમાં માથે સતત ડ્રોન છે.વૉચ ટાવર પરથી ગોળીબાર છે.માનવી-ઘડિયાળના કાંટા આખી રાત ફરતા દેખાય છે અને ગોળીબારના અવાજો વચ્ચે ઝૈદ કાંપતો રહે છે. હવે પાછા જવા ઝંખતા ઝૈદને મહમૂદ ફાઝાયેલમાં પિકનિક લઈ જાય છે.
જેનીનમાં પાછા ફરતા મહમૂદ ઝૈદને ફ્રીડમ થિએટરના જુઝારુ કલાકાર મલેક સાથે મેળવે છે.તેની સાથેના અસરકારક સંવાદ દરમિયાન આઝાદી માટેની તેની આરત ઝૈદને પ્રભાવિત કરી જાય છે.
હૉસ્પિટલના બૉમ્બ ધડાકા બાદ લાશોના ઢગલાનું બેનમૂન કમ્પોઝિશન છે. નર્સ એવી પોતાની દીકરીને ગુમાવનાર માની કરુણ એકોક્તિ છે.
થિએટર પર હુમલો થયો છે, સ્ક્રિપ્ટો બાળી નાખવામાં આવી છે. ફરી એક વાર ગોળીબાર કરનાર ઇઝરાયલી દળો પર મલેક પથ્થરો મારે છે અને પરિણામે વીંધાઈ જાય છે.તેની શહાદતનું દૃશ્ય હૃદયસ્પર્શી ગીત સાથે રજૂ થાય છે. ગીતના લેખક-કમ્પોઝર શ્રદ્ધા અને ગાયક અનન્યા છે.
નાટકના આખરી દૃશ્યમાં ઝૈદ તેની બહેનને કાગળમાં લખે છે કે તે અમેરિકા પાછો નહીં આવે: ‘મલેક કી આંખો મેં દેખા ક્યા હોતા હૈ આઝાદી કા જજબા,ક્યા હોતી હૈ વજૂદ કી અહેમિયત.તુમ વાપસ આઓ અપને મુલ્ક મેં, ફિલિસ્તિન તુમ્હારા ઇન્તેજાર કર રહા હૈ. Return to Filistin.’
કેટલીક અન્ય દૃશ્યરચનાઓ: પૅલેસ્ટાઈન જતા ઝૈદનો સડક માર્ગે પ્રવાસ અને આક્રમણખોરોએ ઊભી કરેલી અનેક પ્રકારની નાકાબંધી,ફૂડ પૅકેટ માટે પડાપડી કરતાં ભૂખ્યા જનો.છોકરાઓ સાથે ફૂટબૉલ રમતી કિશોરી અને તેનાં સપનાંનું દૃશ્ય સ્પર્શી જાય તેવું હતું.કિશોરીના મુખે એક અરેબિક ગીત હતું,જે મંચ પરની ગુજરાતી છોકરીએ ગાયું હતું. નાટક માટેની કેવી લગન !
Human props પણ કેટલા બધા - સ્કૅનર મશીન,વિમાનની બેઠકો,કાર અને સીટબેલ્ટ,બાઇક,આખી રાત હુમલા થતા જ રહે છે તે બતાવતી ઘડિયાળ ઇત્યાદિ. કહેવું જોઈએ aerobics, athletics, gymnastics ની યાદ અપાવતો આ કપરો શારિરીક અભિનય દિવસો સુધી પરસેવો પડાવનારા રિહર્સલ પછી જ શક્ય બન્યો છે.આ નાટકના રિહર્સલ્સ સરેરાશ 43 ડિગ્રીની અઠવાડિયાની રેડ એલર્ટ હીટ વેવ સહિત આખા ઉનાળા દરમિયાન એરકંડિશન વિના ચાલ્યા હતા. ફિઝિકલ અ‍ૅક્શન અને ભાવદર્શન વચ્ચે સંતુલન કલકારોએ જાળવ્યું હતું.
નાટક માટેનું સંશોધન અને એક પછી એક સીનની રચના તો જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યાં હતાં.સંશોધનમાં મુખ્ય ફાળો‌‌‌‌‌‌‌ સૂરજનો હતો.તે દરમિયાન હાથ લાગેલી વિપુલ સામગ્રીને નાટક પછી આપવામાં આવેલી ‘ફ્રી પૅલેસ્ટાઈન’ ચળવળને લગતી પત્રિકામાં QR Code દ્વારા દર્શકોને પહોંચાડવામાં આવી . આ બાબત ટીમની આજના જમાનાની ખૂબ નોંધપાત્ર સૂઝ બતાવે છે.વળી કલિંગડની ચીરી અને કબૂતરની મુદ્રાવાળો Free Palestine સંદેશ સાથેનો બિલ્લો પણ કપડા પર લગાવવા માટે આપવામાં આવ્યો.
નાટકને ત્રણેક મિનિટનું standing ovation મળ્યું. સાવને મંચ પરના પુષ્કળ નિષ્ઠાવાન અને મહેનતુ કલાકારોનો પરિચય કરાવ્યો: અમીત, કેવીન,જયેશ, તનુષ્કા, તીર્થ અને દિવ્યાન્સી.
નાટકમાં વૈવિધ્યપૂર્ણ સંગીત ખૂબ મહત્વનું અંગ હતું જે પ્રીતેશ,લક્ષ્ય અને શૈવાલે સંભાળ્યું.તેમાં ગિટાર પર ધીમાન હતા.પ્રમાણસરનું અને ઉત્કૃષ્ટ પ્રકાશ આયોજન‌ એઝાઝનું હતું. પોસ્ટર અને ક્રિએટિવ પબ્લીસીનું કામ અનીશા અને નિલયે સંભાળ્યું હતું.
કર્ટન કૉલ દરમિયાન સાવને માહિતી આપી કે આ નાટકની સ્ક્રિપ્ટ અને મંજૂરી માટે ફ્રીડમ થિએટર ગ્રુપના આર્ટિસ્ટિક ડિરેક્ટર Mustafa Sheta ની સાથે તે સંપર્કમાં હતો.પણ ઇસરાએલ દળોએ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાંયા તેમની ધરપકડ કરી અને હવે તેમનો કોઈ સંપર્ક નથી.સાવને એમ પણ કહ્યું કે આપણે તેમની સલામતી માટે દુઆ કરીએ.
નેહા કબીરે નાટક પહેલાંની ટૂંકી વાતમાં સ્ક્રૅપયાર્ડે પૅલેસ્ટાઈનની સાથે એકજૂટ બતાવવા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં ગાઝા મોનોલોગ્સ અને લેટર્સ ટુ ગાઝા કાર્યક્રમો કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો.
તેમણે ઉમેર્યું કે આ નાટક પણ પૅલેસ્ટાઈનના લોકોને એ કહેવા માટે છે કે આઝાદી-અમન-આબાદી માટેની તમારી જદ્દોજહદમાં અમે તમારી સાથે છીએ.
નિસબત ધરાવતી રંગભૂમિના ઉત્તમ દૃષ્ટાંત સમા આ નાટકના વધુ પ્રયોગો નાગરિક સમાજ જૂથો દ્વારા યોજાય તે ખૂબ ઇચ્છનીય છે.
સ્ક્રૅપયાર્ડની ટીમને સલામ !
---
*સ્રોત: ફેસબુક. ફોટોગ્રાફ્સ : નિલય બ્રહ્મભટ્ટ , કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|