सीधे मुख्य सामग्री पर जाएं

મુસ્લિમો ઔરંગઝેબની સાથે આવેલા લોકો નથી, ભારતનાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે

- વાલજીભાઈ પટેલ* 

આ હિંદુ એટલે કોણ? માત્ર હિન્દુની ઓળખથી શું કોઈ મકાન પણ ભાડે આપે છે ખરું કે?  તરત જ જાતી પૂછવામાં આવશે. હકીકતમાં હિંદુ એટલે સવર્ણ હિંદુ અને હિંદુરાજ એટલે સવર્ણોનું રાજ. અને આવા હિંદુ રાજના નામે  મોદીની કંપની આ દેશમાં ફરીથી મનુની બ્રાહ્મણવાદી રામરાજ્યની વ્યવસ્થા સ્થાપવા માંગે છે. 
મોદી આ દેશમાં બાબાસાહેબ આંબેડકરના બંધારણથી આવેલ સમાનતાને ખત્મ કરી ગુલામીની દયા પર જીવતી સમરસતા સ્થાપવા માગે છે. અને એટલે જ તો મોદી ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત થતા જ  આંબેડકરના નામની બંધારણની ફ્રેમ જેમની તેમ સલામત રાખી માત્ર બંધારણમાં  હિંદુ રાજ્યનો ફોટો ફિટ કરવાનું અને  બંધારણનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ બદલી નાંખવાનું કારસ્તાન કરવાના છે. 
હવે  બીજો સવાલ આ દેશમાં મુસ્લિમો કોણ છે? શું તેઓ ઔરંગઝેબની સાથે આવેલા લોકો છે? ભારતમાં રહેતા મુસ્લિમો હિદુધર્મ નાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે. જેઓ આ દેશના મૂળ માલિકો છે. તેઓ તલવારના જોરે નહિ પણ   હિન્દુધર્મનાં ત્રાસથી મુસ્લિમો બન્યા છે. અને આજે પણ તેઓ હિન્દુધર્મ છોડી રહ્યા છે. 
ઇતિહાસ ગવાહ છે, દેશના બહુમતિ શૂદ્રોની પાસે સમુદ્ર મંથનની મહેનત મજુરી કરાવી પ્રાપ્ત થયેલ કીંમતી ખજાનો મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓએ પચાવી પાડેલો. અને કામ પત્યા પછી મહેનત કરનાર શૂદ્રોને તરછોડી દીધેલા. આજે એ જ દગાખોર સવર્ણ હિન્દુઓની મનુવાદી કંપની ભારતની SC/ST/OBC ની ૮૫ ટકા શુદ્ર પ્રજાને હિંદુ-મુસ્લિમનાં નામે ગેરરસ્તે દોરી રહ્યા છે. અને આ દગાખોર મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓ ચૂંટણીનું સમુદ્રમંથન કરવા SC/ST/OBC ને છેતરી રહ્યા છે. 
સમાનતા અને સરખા અધિકારો આપતા બાબા સાહેબના બંધારણનાં યુગને આ સવર્ણ હિંદુઓ કળયુગ કહે છે. અને ગોડસેવાદી સવર્ણ હિંદુઓ આ સમાનતાવાદી યુગને સમાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરવાના ગુન્હાસર શુદ્ર શંબુકનો શિરચ્છેદ કરનાર કાતિલ રામનું રામરાજ્ય સ્થાપવા માગે છે. અને એટલે જ તો મોદીએ અવતાર લીધો છે.  
મોદી કહે છે કે, હું એક અવતારી પુરુષ છું. હિન્દુધર્મ શાત્ર લખે છે કે, કળયુગમાં ઇન્દ્ર કલીરાજા સ્વરૂપે  અવતાર લેશે અને કળિયુગનો નાશ કરી દેશમાં ફરીથી સતયુગની સ્થાપના કરશે.  જે સતયુગમાં માત્ર બ્રાહ્મણ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને SC/ST/OBC શુદ્રો તો માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ની સેવા-ગુલામી કરે તેવી વર્ણવ્યવસ્થા અમલમાં લાવશે. 
આ કામ કરવા માટે જ કલીરાજા બની મોદી  આ પૃથ્વી પર અવતર્યા છે. શું આપણે સૌને  આ દેશમાં આવું હિંદુરાજ જોઈએ છે ખરું કે?  
---
*વરિષ્ઠ દલિત એક્ટીવિસ્ટ 

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.