सीधे मुख्य सामग्री पर जाएं

‘મહારાજ’... દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ: સૌરભ શાહના સાત ખૂન માફ

- ધીમંત પુરોહિત 
અદાલતી જંગ બાદ નેટફ્લિક્સ પર ‘મહારાજ’ ફિલ્મ હવે રીલીઝ થઇ ગઈ છે. દરેકે દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ. એને માટે નજીકના થીએટર સુધી જવાની પણ જરૂર નથી, ઘેર બેઠા ટીવી પર જ જોઈ શકાય છે. ૧૮૬૨ના મુંબઈના બહુ ચર્ચિત ‘મહારાજ લાયબલ કેસની સત્ય કથા પરની આ હિન્દી ફિલ્મ સૌરભ શાહની ૨૦૧૩મા લખાયેલી શ્રેષ્ઠ ગુજરાતી ડોક્યુ નોવેલ ‘મહારાજ’ પર આધારિત છે. જો તમે આ નોવેલ વાંચી હોય તો ફિલ્મને એની સાથે સરખાવવાનો પ્રયત્ન ના કરતા, મૂળ કથા, નોવેલ અને ફિલ્મમાં માધ્યમ મુજબ તફાવત રહેવાનો જ. સૌથી અગત્યની વાત એનો સંદેશ છે, એને પામવાનો પ્રયત્ન કરજો, કારણકે ૧૬૨ વર્ષ જુનો એ સંદેશ આજની તારીખે પણ એટલો જ રીલેવંટ છે, એ તો ફિલ્મની સામે કોર્ટે ચઢીને વૈષ્ણવોના એક ગ્રુપે જ સાબિત કરી દીધું!
હા, તો આ કથા દોઢસો વર્ષ પહેલા વૈષ્ણવ સંપ્રદાયની મુંબઈની મોટી હવેલીના મહારાજ જદુનાથ અને એમની સામે જંગે ચઢેલા ગુજરાતી પત્રકાર કરસનદાસ મૂળજીની  છે, કરસનદાસ પોતે પણ વૈષ્ણવ હતા બાય ધ વે ૧૮૬૯મા જન્મેલા મહાત્મા ગાંધી પણ આ જ વૈષ્ણવ સમાજના હતા. એ સમયે (અત્યારે ખબર નથી) મુંબઈમાં (બીજે પણ) કૃષ્ણને પૂજતા વૈષ્ણવ સંપ્રદાયમાં એવો ક્રૂર અને અમાનવીય કુરિવાજ હતો કે સંપ્રદાયના અનુયાયીએ એના લગ્નની રાતે પોતાની નવોઢા સાથે સુહાગ રાત મનાવતા પહેલા નવી પરણેલી કન્યાને હવેલીમાં મહારાજ પાસે ‘સેવા’ માટે મોકલવી પડતી. એ પણ કોઈ ગુપ્ત રીતે નહિ, છડે ચોક, પરિવાર અને સમાજમાં સૌની જાણકારીમાં. એના કરતા પણ વધુ કમકમાટી ઉપજે એવી પ્રથા એ હતી, કે મહારાજની નવયુવતીઓ સાથેની કામલીલા જે જારકર્મ કહેવાતું, એ અન્ય ભક્તો પણ પૈસા આપીને મહારાજના બેડરૂમની બારીઓમાંથી જોતા અને રાધા-કૃષ્ણની લીલા જોયાનો સ્વર્ગીય આનંદ મેળવતા. આમાં કોઈને કાઈ જ અજુગતું ના લાગતું. સૌથી મોટી નવાઈની વાત એ છે,  કે લગ્ન વખતની આ મુખ્ય ઘટના જ ફિલ્મમાં ફિલ્માવી નથી! માત્ર લગ્ન પ્રંગે જ નહિ, આડે દિવસે પણ મહારાજને જે ગમી જાય તે કન્યા મહારાજની ‘સેવા’માં હાજર કરાતી અને પરિવાર એ વાતે હરખાઈને ઘેર લાપસીનું આંધણ મૂકતો, કે એમની દીકરીને મહારાજે ‘સેવા’ માટે પસંદ કરી! 
આપણા હીરો સામાજ સુધારક-પત્રકાર કરસનદાસની વાગ્દતા પણ મહારાજની  કામલીલાનો ભોગ બને છે. સૌને માટે જે સહજ અને સ્વીકાર્ય હતું, એ કરસનદાસ માટે અસ્વીકાર્ય હતું. એ પરિવાર અને સમાજ આખાની સામે પડીને મહારાજની સામે જંગે ચડે છે અને પોતાના અખબાર ‘સત્ય પ્રકાશ’માં વૈષ્ણવ મહારાજોના પાખંડને ઉઘાડું પડે છે. કોઈ રીતે કરસનદાસ તાબે ના થતા, જદુનાથ મહારાજ કરસનદાસ સામે એ જમાનામાં અધધ કહેવાય એવો રૂપિયા ૫૦,૦૦૦ નો બદનક્ષીનો દાવો માંડે છે. અદાલતી લડાઈમાં આખરે અચાનક  મહારાજ વિરુદ્ધ  સાક્ષીઓ ઉભા થતા, અંગ્રેજોની અદાલતમાં કરસનદાસની જીત થાય છે, જો કે મહારાજને મામુલી આર્થિક દંડ સિવાય બીજી કોઈ ગંભીર સજા નથી થતી. આ કોઈ સ્પોઈલર નથી, જાણીતી વાત છે.
હવે યશરાજે બનાવેલી ફિલ્મની વાત કરીએ. હમણા હમણા નેટફ્લીક્સ બોલીવુડની ફિલ્મોને હોલીવુડનું બજેટ આપે છે, એટલે ‘હીરામંડી’ના લાહોરની જેમ ‘મહારાજ’માં દોઢસો વર્ષ પહેલાનું મુંબઈ અને એનો ગુજરાતી સમાજ આબેહુબ જીવતો થયો છે. જો કે યશરાજની ફિલ્મ છે એટલે એને વધુને વધુ રૂપાળી બનાવવા જેટલું ધ્યાન અને ધન અપાયું છે એટલું એને ધારદાર બનાવવા નથી અપાયું. વળી, આમીરખાનના દીકરા જુનેદને લોન્ચ કરવાની લ્હાયમાં કરસનદાસનું મુખ્ય પાત્ર જ નબળું બન્યું છે. કાશ, કરસનદાસનાં પાત્રમાં પ્રતિક ગાંધી હોત, તો ઓછા બજેટમાં વધારે સારું કામ થયું હોત. મહારાજના પાત્રમાં જયદીપ અહલાવત મજ્બૂત  વિલન છે. હીરોઈનો બધી અદ્દલ ગુજરાતી લાગે છે. સંજય ગોરડીયાની કોમેડી ના રાખી હોત તો સારું હોત. પટકથા અને ડાયલોગ ચોટદાર છે. જો કે, જે મૂળ કથાનું મુખ્ય પાસું છે, એ કોર્ટ રૂમ ડ્રામાને ન્યાય જ નથી અપાયો. વળી સેન્સર બોર્ડ અને કોર્ટથી બચવા બેલેન્સીંગ એક્ટ કરવામાં ફિલ્મ નગ્ન સત્ય રજુ કરાવાથી ચુકી જાય છે.  જો કે તમે  આ પિષ્ટપેષણમાં પડ્યા વગર ફિલ્મના મુખ્ય સંદેશ પર જ ધ્યાન આપજો.
મોટામાં મોટી વિડમ્બના એ છે, કે નવી પેઢીને કરસનદાસ જેવા ક્રાંતિકારી ગુજરાતી  પત્રકારનો પરિચય એક એવા ગુજરાતી પત્રકાર સૌરભ શાહ  દ્વારા થાય છે,  જે લેખકશ્રી પોતે એક વ્યક્તિ અને પાર્ટીના કંઠી પહેરેલા ભક્ત છે અને પોતાને ભક્ત તરીકે ઓળખવામાં એમને શરમ પણ નથી. એમનો ઉપરનો ફોટો એમની જ ફેસબુક વોલ પરથી લીધો છે. સારું લખતા આવડે એ સારો લેખક હોય, પરંતુ એ પત્રકાર પણ હોય એ જરૂરી નથી. પત્રકાર તો કરસનદાસ જેવો જ હોય, એ પ્રચારક ના હોય. એના લેખન અને જીવનમાં કોઈ ફરક ના હોય. આપણા લેખક્શ્રીએ થોડા વર્ષો પહેલા ‘વિચારધારા' નામનું મેગેઝીન પણ  અમદાવાદથી કાઢેલું. ‘મોરારી બાપુ અને નરેન્દ્ર મોદીએ લવાજમ ભર્યું, તમે ભર્યું?’ એવા હોર્ડિંગ મારીને હજારો લોકોના લાખો રૂપિયાનાં લવાજમ ઉઘરાવીને તેઓશ્રી છૂમંતર થઇ ગયેલા. લવાજમના પૈસા ગુમાવનારા લોકો ગુજરાતમાં એમને જે નામે બોલાવે છે, એ અહી લખી શકાય એમ નથી. કરસનદાસ તો જેલ જતા જતા  બચી ગયા પણ લેખકશ્રીને તો સાબરમતી જેલનો પણ અનુભવ છે. 
હશે, ગમે એમ, પણ એક માત્ર ‘મહારાજ’ નવલકથા અને એના પરથી બનેલી ફિલ્મ માટે સૌરભ શાહના સાત ખૂન માફ!
---
સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.