सीधे मुख्य सामग्री पर जाएं

માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે

- તૃપ્તિ શેઠ* 
Indian Expressમાં એક કોટાનો કિસ્સો છે (The boy who ran: A determined father, CCTV footage from eight stations led to runaway teen from Kota) જેમાં એક છોકરો જેની ઉમર 17 વર્ષની હતી તે  12મા ધોરણની પરીક્ષા આપવાની જગ્યાએ એ કોટાથી ભાગી ગયો. એ છોકરો 24/7 ફકત અભ્યાસ જ કરતો હતો અને એ NEETની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એ એટલો બધો ટેન્શનમાં હતો કે એના માતાપિતા જે શહેરમાં રહેતાં હતાં એનું નામ જ ભૂલી ગયો હતો. એ ભણવામાં એટલો બધો રત રહેતો કે એના કોઈ જ દોસ્ત ન હતાં કે કોઈ સામાજિક સંબંધો ન હતાં. NEETની પરીક્ષાનું હાલ શું થયું તેની વાત ફરી કોઈ વાર. 
પરંતુ માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે. બાળક નાનું હોય ત્યારથી જ માતાપિતાની જિંદગી બાળકના અભ્યાસ પર જ કેન્દ્રિત હોય. સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક , રીડિંગ , એક્સ્ટ્રા ક્લાસીસ-કોચિંગ વગેરે વગેરે. કોઈ બાળક કરાટે શીખવા જતું હોય તો કોઈ ડાન્સ તો કોઈ ડ્રોઈંગ તો કોઈ ક્રિકેટ વગેરે વગેરે... તમારા દીકરા દીકરી માનવ છે કે મશીન ? છોકરું થોડીવાર બેસે પોતાની સાથે સમય ગાળે , સ્થાયી મિત્રો બનાવે , સામાજિક સંબંધો વિકસિત કરે ... એ બધુ જવલ્લે જ થાય છે. આ જ ખૂબ મહત્વનું છે. જો એ નહીં થાય તો બાળક ગમે તેટલું તેજસ્વી હશે એ સમાજ સાથે અનુકૂલન નહીં સાધી શકે.સમાજ સાથે અનુકૂલન ન સાધી શકે તો સૌથી પહેલું તો ડિપ્રેશનમાં સરી પાડવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીન અમુક આર્થિક વર્ગમાં બાળક કશું પણ અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિ કરે તો ઘરના વડીલો ખાસ કરીને માતાપિતાનું મુખ્ય વાક્ય “ભણવા બેસ“ ચાલુ થઈ જાય. 
આ હું મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમવર્ગની વાત કરું છું. (ગરીબનું બાળક તો અભ્યાસ થયો તોય ઠીક અને ના થયો તોય ઠીક. એના નસીબમાં આવી સાહ્યબી સ્વપ્નમાં જ હોય છે.)
ઘરનું વાતાવરણ ખૂબ જ ડિપ્રેસિંગ હોય છે. તમને નીચે જેવા કિસ્સાઓ ઘરેઘરે જોવા મળશે. 
  • બાળક  : મારા 89% આવ્યા . પપ્પા /મમ્મી :પડોશીની દીકરીના 95%આવ્યા. 
  • બાળક : હું ભણીને કંટાળી ગયો છું. કશુંક મનને ગમે એવું કરવું છે. હું કે એક  સંગઠન પર્યાવરણ પર કામ કરે છે તેમાં જોડાવું ?;  પપ્પા /મમ્મી : તું બુદ્ધિનો બુઠ્ઠો છે ? હું તારા અભ્યાસ પાછળ લખો રૂપીઆ ખર્ચી રહ્યો છે અને તું આવી ફિઝુલ પ્રવૃત્તિ કરી પૈસા બગાડે છે ? 
  • બાળક :મને વિજ્ઞાન પ્રવાહ નથી ફાવતું . મને કોઈ જ સમજ જ પડતી નથી.  પપ્પા /મમ્મી : તારાથી કશું જ નહીં થાય! એકદમ આળસુ છે. તમારું જનરેશન એકદમ દિશાવિહીન છે. 
  • બાળક : મમ્મી હું તારા વગર રહી નહીં શકું . મમ્મી :ત્યાં જ રહે અને અભ્યાસ કર. તારે ડૉક્ટર બનવાનું છે કે આઈઆઈટીમાં એડમિશન લેવાનું છે. નહિતર તારા કાકાના દીકરાની જેમ પાપડ વેચીશ. 
  • બાળક : સર, મને સમજ નથી પડી. સર : ટ્યુશનમાં આવવાનું શરૂ કરી દે. બાળક :પણ મને એક નાની સરખી વાતમાં જ સમજ નથી પડી. સર. :સામુ બોલે છે , ડોબા ? તને તો પાયાનું જ્ઞાન પણ નથી. 
માતાપિતા ખૂબ જ મહત્વકાંક્ષી બની ગયાં છે. તમારું બાળક એ બાળક છે જીવતું જાગતું અરમાન થી ભરેલું! એ તમારી મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટેનું મશીન નથી. એ કોઈ રોબોટ નથી કે તમારી મહત્વકાંક્ષા માટે એનું બાળપણ , એની કિશોરાવસ્થાનું ખૂન કરી દે. જે માતાપિતા બાળકને અભ્યાસના નામે સતત દબાણમાં રાખે છે તે બાળકના બાળપણ અને કિશોરવસ્થાનું ખૂન કરે છે. એ ગુનેગાર છે. બાળકને કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોય તો માતપિતાનું pet sentence “તારે ભણવાનું છે. તું નહીં આવે." તમે એને વિવિધ પ્રસંગોમાં નહીં લઈ જાવ , એને મિત્રો બનાવવાનો અને મિત્રતાં વિકસિત કરવાનો સમય નહીં આપો તો એ ભવિષ્યમાં ડિપ્રેશનમાં જવાના 80% chanches છે. 
આ બાળકો એટલા બધાં તણાવમાં હોય છે કે એમની સાથે કશું અઘટિત બને તો પણ માતાપિતા સાથે ચર્ચતા નથી કે માબાપ એમની મહત્વકાંક્ષામાં એટલા બધાં રત હોય છે કે બાળકોની પરિસ્થતિનો ખ્યાલ જ આવી શકતો નથી. મોટી સંખ્યામાં  બાળકોનું કોચ દ્વારા, ટ્યૂટર દ્વારા શારીરિક અને જાતીય શોષણ થતું હોય છે પણ એ બોલી જ શકતાં નથી. એ પાછળ પડી જાય છે. માતાપિતાએ ભણવા સિવાય બાળકો સાથે એવો સંબંધ જ વિકસિત કર્યો નથી કે બાળક આવીને પોતાની વાત ખુલ્લા દિલે કહી શકે. 
એક છોકરો અને છોકરી બંને 12મા ધોરણમાં એક ટ્યુશન ક્લાસમાં જતાં હતાં. એ બંને બાળકો અભ્યાસમાં મધ્યમ કહી શકાય તેવા હતાં. પણ એમના ટ્યુશનના શિક્ષકો  “તું આ નહીં કરી શકે, તું તે નહીં કરી શકે“ કરી એનો આત્મવિશ્વાસ એકદમ નિમ્ન કક્ષાએ પહોંચાડી બંનેનું જાતીય શોષણ લાંબા સમય સુધી કર્યું. એ બાળકોના મિત્રોએ એના માતાપિતાને ચેતવ્યા. પણ સાંભળે જ ના ને . છોકરીઓએ આત્મહત્યા કરી લીધી. હવે માતાપિતા શિક્ષકને સજા કરાવવા દોડી રહયાં છે. “કોણ દોષિત છે?" 
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.