सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર: અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

- પ્રો. હેમંતકુમાર શાહ* 

માનનીય સાહિત્યકારશ્રીઓ,
નમસ્કાર.
અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.
તાજેતરમાં વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ભારતીય લેખિકા અને સાહિત્યકાર અરુંધતિ રોય પર UAPA હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી તે નિમિત્તે ગુજરાતી સાહિત્યકારોમાંથી કે લેખકોમાંથી કોઈ પ્રતિસાદ આવ્યો હોવાનું જાણમાં આવ્યું નથી. 
આપને દમનખોર અને રાક્ષસી એવા UAPA નામક કાયદા વિષે ઝાઝી કે કશી ખબર ન હોય એમાં આપનો વાંક ન હોય, પણ એટલી તો જાણકારી આપને હોય જ, અને ભારતના સુશિક્ષિત નાગરિક તરીકે  હોવી પણ જોઈએ કે, નાગરિકોને જેમ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર કેટલીક મર્યાદાઓ સાથે છે તેમ સરકારને પણ બંધારણ હેઠળ મર્યાદાઓ સાથે જ સત્તા પ્રાપ્ત થયેલી છે.
જમ્મુ-કાશ્મીર ભારતનું અંગ નથી એવા અરુંધતિ રોયના મત કે વિધાનો સાથે આપ સંમત ન પણ હોવ, હું પણ નથી જ. પણ છતાં તેમના પર UAPA જેવા કાળા કાયદાનો ઉપયોગ કરવામાં આવે એ તો સત્તાનો નિરંકુશ ઉપયોગ જ કહેવાય.
જો સરકાર કોઈ સાહિત્યકાર સામે સત્તાનો બેફામ દંડ ઉગામે અને બાકીના સાહિત્યકારો મોંમાં જાતજાતના અને ભાતભાતના સરકારી કે બિન-સરકારી ઇનામો ઠસોઠસ ભરીને, કે પછી કોઈ પણ રીતે ખાનમાનપાન મળે એવી આશાએ, મૌન પાળે તો તે તેમણે સમાજની સૌથી મોટી કુસેવા કરી કહેવાય. 
ભારતના બંધારણમાં મર્યાદિત સરકારનો ખ્યાલ સ્વીકારાયો છે. એટલે કે સરકારો બેફામ બનીને નાગરિકોના અધિકારો ઝૂંટવી શકે નહિ તેની વ્યવસ્થા બંધારણમાં કરાઈ છે. સત્તાનો સ્વભાવ બેફામ અને બેલગામ બનવાનો છે ત્યારે તેની સામે જો જાગૃત ન રહીએ તો આપણે સૌ મનુષ્ય એવા નાગરિક તરીકે જીવી શકીએ નહિ, પણ મરછર જેવા તુચ્છ જંતુની જેમ શ્વાસ લેતા થઈ જઈએ અને જીવતેજીવ મરી જઈએ. 
જો સાહિત્ય અને તેના રચયિતાઓ કાયરતા ધારણ કરીને નીચ, નાલાયક, નફ્ફટ, નપાવટ, નિર્લજ્જ અને નરાધમ સત્તાનશીનો સામે અવાજ ન ઉઠાવે અને તેમની કદમપોશી કર્યા કરે તો આખો સમાજ નમાલો બની જાય, પછી ભલે ને સત્તામાં કોઈ પણ વિચારધારા ધરાવનાર નેતા કે કોઈ પણ પક્ષ હોય. 
ઉમાશંકર જોશીને યાદ કરો. ઇન્દિરા ગાંધીએ એમને રાજ્યસભાના નિયુક્ત સભ્ય બનાવેલા. પણ છતાં ઇન્દિરા ગાંધીની એકહથ્થુ જોહુકમી સામે તેઓ રસ્તા પર આવી ગયેલા. અટકાયત વેળાએ પોલિસવાનમાં એમને પોલિસ દ્વારા બાવડું પકડીને ચડાવતો ફોટો છાપામાં છપાયેલો એ પાંચેક દાયકા વીત્યા છતાંય હજુય મારા માનસપટલ પર હેમખેમ તરોતાજો છે. 
સત્તા સામે ધનપતિઓ અને મૂડીપતિઓ ન બોલે તે તો સમજી શકાય. કારણ કે તેમનું ધ્યાન માત્ર નફા અને સંપત્તિના એકત્રીકરણ પર હોય છે. જે. આર. ડી. તાતા જેવા પણ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે કશું નહોતા બોલેલા અને એમની જ કોંગ્રેસ સરકારે એમને ભારતરત્ન ખિતાબ પણ પછીથી આપેલો. 
આપને માટે તો શબ્દ જ સ્વામી છે. પરમાત્મા, જો એવું કશું હોય તો, જ આપને શબ્દની તાકાત સાથે પૃથ્વી પર મોકલે છે. આપે વળી કઈ સંપત્તિ ઘરભેગી કરવી છે? શા માટે આપ સૌ શબ્દની તાકાતની ધાર બુઠ્ઠી કરી રહ્યા છો એ સમજાતું નથી.
આશરે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્ર્યનું સત્યાનાશ કાઢી નંખાયું છે અને છતાં આપમાંના મોટા ભાગના મૌન રહ્યા છો. આપની રાજકીય, સામાજિક અને મૂળભૂત માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા સાવ જ મરણાસન્ન હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
કોરોનાકાળ દરમ્યાન પારુલ ખખ્ખર દ્વારા લખવામાં આવેલી કવિતાને કારણે એમને જે વેઠવું પડેલું એ અત્યારે યાદ આવે છે. અરુંધતિ રોય પણ આપમાંના જ એક છે. વંચિતો, પીડિતો, દલિતો, ગરીબો અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાના લડવૈયાઓનો અવાજ આપ છેલ્લા અઢી દાયકામાં બન્યા નથી. હવે તો મગનું નામ મરી પાડો.
આજે અરુંધતિ છે, કાલે આપનો વારો નીકળી શકે છે. કે પછી વારો ન નીકળે એની જ ચિંતામાં રચ્યાપચ્યા છો? બરાબર યાદ રાખો, ડર અને લાલચમાંથી બહાર નીકળીએ તો જ વ્યક્તિની સ્વતંત્રતા ટકે. રાજકીય સત્તાના ગુલામ થઈને જીવવાનું પસંદ કરવાનું કે ન કરવાનું આપના હાથમાં છે. પ્રવર્તમાન સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સત્તાને શરણે ગયેલું કે પછી એની સામે ચૂપ રહેલું સાહિત્ય કદી કશો શક્કરવાર વાળી શકે નહિ એમ મારી અલ્પમતિ મને કહે છે. સત્તાની ભાટાઈ અને ચાપલૂસી એ સાહિત્યકારનું લક્ષણ કેમેય કરીને હોઈ શકે નહિ. 
આપ કંઈ કથાકાર નથી, સર્જક છો. તેથી આપ સૌ તો બુદ્ધિજીવી છો. સાથે સાથે હવે બુદ્ધિનિષ્ઠ બનો અને આઝાદ દેશના નાગરિકોની સાચી આઝાદી માટે આપ આપની કલમનો અહિંસક તલવાર તરીકે ઉપયોગ કરો એવી સાહજિક અપેક્ષા છે. ચીન આઝાદ છે પણ ત્યાંના નાગરિકો આઝાદ નથી. શું આપણે 
ભારત = ચીન + ચૂંટણી
બનવું છે? 
ખાસ્સું મોડું થઈ ચૂક્યું છે, હજુ વધુ મોડું થશે તો ઇતિહાસ આપને કદી માફ નહિ જ કરે એની મને ખાતરી છે. આપ આઝાદ દેશના માનવીની આઝાદીનો અવાજ બનો.
જો એમ કરશો તો વધુમાં વધુ શું થશે? આપને કોઈ યુનિવર્સિટીના કુલપતિ નહિ બનાવાય, કોલેજો અને યુનવર્સિટીઓના સેમિનારમાં નહિ બોલાવાય, સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં નહિ બોલાવાય કે કોઈ પારિતોષિક નહિ આપવામાં આવે, એમનાં સામયિકોમાં આપના લેખો નહિ છપાય, ક્યારેક તમને કોલેજ કે યુનિવર્સિટીમાં બઢતી નહિ મળે; વગેરે વગેરે. આટલું જો સહન કરી શકો તો કરો અને સરકારી રિતીનીતિઓ સામે અવાજ ઉઠાવો. આવું બધું ચાલે તો પણ આપના સાહિત્ય સર્જનને ક્યાં આંચ આવવાની છે? 
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં ચર્ચા અને વાદવિવાદનો અવકાશ જ ખતમ કરી નાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠ પણ ખાડામાં ગઈ!  કોલેજો અને યુનિવર્સિટીઓ સરકારનાં ખાતાં જેવી બની ગઈ છે. આપમાંના ઘણાબધા એમાં હાલ છો અથવા હતા. શું આપને એમાં critical thinking થાય એની જરૂર નથી લાગતી, કે જેનો ઉલ્લેખ ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં આઠ વખત કરવામાં આવ્યો છે? 
આપ વાણી સ્વાતંત્ર્ય એ તો રાજકારણ છે એમ કહીને છટકબારી ન શોધશો. સાહિત્ય અકાદમી એ સરકાર છે અને સાહિત્ય પરિષદમાં ચૂંટણી થાય એ પણ રાજકારણ જ કહેવાય. મૂળ મુદ્દો બંધારણમાં જે વાણી સ્વાતંત્ર્ય લખ્યું છે એના રક્ષણનો અને સરકારોને બેલગામ થતી, તાનાશાહી બનતી તથા નાગરિકોને ગુલામ બનાવતી અટકાવવાનો છે. 
આપની કલમ વેરીલી અને ઝેરીલી સત્તાને પડકાર ફેંકે અને ઝવેરચંદ મેઘાણીની જેમ શૂરવૈયાનો ડંકો વગાડે તેમ જ નર્મદનો ડાંડિયો બને, તેમ જ સર્જન અને સ્વતંત્રતા વચ્ચેના નાળસંબંધને જીવંત બનાવે એનો જ ઇંતજાર છે. છેલ્લા અઢી દાયકાના આપના મૌન છતાં....
किसी नज़र को तेरा इंतजार आज भी है......
मेरी तलाश में शायद बहार आज भी है। 
---
*ભૂતપૂર્વ આચાર્ય, એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.