सीधे मुख्य सामग्री पर जाएं

સમાજ સુધારાના મહારથી જેમને વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો

- ગૌરાંગ જાની
 
આજના ગુજરાતમાં કોઈ યુવાન વિધવા લગ્ન વિશે લેખ લખે અને તેના વડીલો તેને ઘરમાંથી કાઢી મૂકે એવું ભાગ્યેજ બને. પરંતુ આજથી દોઢસો વર્ષ પૂર્વે ૧૮૫૩ માં એક અનાથ ગુજરાતી વણિક યુવાનને તેના પાલક કાકીએ વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો. એ જ યુવાનની જન્મ શતાબ્દી (વર્ષ ૧૯૩૨) ઉજવાઈ ત્યારે તેના જીવન વિશે ૪૫૦ પૃષ્ઠનું દળદાર પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયું.આ જીવનચરિત્રના નાયક એટલે સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી. સૌરાષ્ટ્રના મહુવા પાસે આવેલું વડાળા ગામ તેમનું મૂળ વતન. કરસનદાસનો જન્મ ૧૮૩૨ના જુલાઈની ૨૫ તારીખે મુંબઈમાં થયો હતો. 
કરસનદાસે બાળપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યું. માતાનું અવસાન થતાં પિતાએ ફરી લગ્ન કર્યા અને મોસાળમાં માતાના કાકી પાસે તેમનો ઉછેર થયો.એ સમયના સુરતમાં દુર્ગારામ મહેતાએ વિધવા વિવાહ નું અભિયાન છેડ્યું હતું અને અનેક ગુજરાતી યુવાનો તેમાંથી પ્રભાવિત હતા. સુરત અને મુંબઈ હિન્દુઓના સમાજ સુધારાના કેન્દ્રો હતા.મુંબઈની ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી માં દાદાભાઈ નવરોજી, દાક્તર ભાઉ દાજી જેવા વ્યક્તિત્વો ભાષણ કરતા અને કરસનદાસ સમાજ સુધારા વિશેના આવા ભાષણો ત્યાં સાંભળીને વિધવાવિવહની સમસ્યા વિશે વિચારતા થયા. એ સમયે નિબંધ સ્પર્ધાનું વાતાવરણ હતું. બન્યું એવું કે મુંબઈમાં એક પારસીએ વિધવાવિવાહ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું. લખનારને દોઢસો રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી.
કરસનદાસ આ તક કેમ જવા દે! પણ દોઢ સદી પૂર્વે ગુજરાતી હિન્દુ સવર્ણોમાં વિધવા વિવાહ વિશે વાત કરવી પણ જાણે અપરાધ હતો.એવી વિપરીત સ્થિતિમાં કરસનદાસે છુપાઈને આ નિબંધ લખવાનો નિર્ણય કર્યો પણ તેમની પાલક કાકીને તેની ખબર પડી અને કરસનદાસ બેઘર થઈ ગયા. અને સાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનો અભ્યાસ પણ છૂટ્યો.પણ યુવા કરસનદાસ નિરાશ ના થયા.એ સમયે સ્થપાયેલી બુદ્ધિવર્ધક સભા માં વર્ષ ૧૮૫૩ માં 'દેશાટન' વિશે નિબંધ વાંચ્યો અને તેની ખૂબ પ્રસંશા થઈ. સાથે સાથે મુંબઈની ગોકળદાસ તેજપાળ હાઇસ્કૂલના મુખ્ય શિક્ષકની નોકરી પણ મળી .ઉપરાંત બુદ્ધિવર્ધક સભા દ્વારા સ્થપાયેલી કન્યાશાળામાં તેઓ નિશુલ્ક ભણાવતા. સામાજિક સમસ્યાઓ અને સ્ત્રી વિરોધી પરંપરાઓ તેમજ જડ નિયમો સામે યુધ્ધે ચડવું હોય તો કોઈ સબળ માધ્યમની જરૂર પડે છે. આ દિશામાં કરસનદાસે વર્ષ ૧૮૫૫ માં 'સત્ય પ્રકાશ' નામનું સામયિક શરૂ કર્યું. તેને શેઠ મંગળદાસ નથુભાઈની આર્થિક મદદ મળી હતી.
સત્ય પ્રકાશના લેખોના વિષયોમાં જ્ઞાતિ ભોજન, વરઘોડા, હોળીમાં બીભત્સ શબ્દો બોલવા, વૈષ્ણવ મંદિરોના અનાચારો,લગ્ન સમયે ગવાતાં ફટાણાં અને બીજા અનેકનો સમાવેશ થતો હતો .મુંબઈની શાળામાં ઉત્તમ કામગીરી બાદ કરસનદાસને ડીસાની અંગ્રેજી શાળામાં મુખ્ય શિક્ષકની નોકરી મળી પણ ત્યાં તેમને ટીબી રોગ લાગુ પડ્યો અને માત્ર આંઠ મહિના બાદ તેઓ મુંબઈ આવી ગયા. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે સત્ય પ્રકાશમાં જુસ્સાભેર લખવા માંડ્યું. 'ગુરુ તથા શિષ્ય ધર્મ' નામનો ઈનામ પ્રાપ્ત નિબંધ છાપ્યો. આ નિબંધમાં મહારાજો સેવકીઓ સાથે કેવા દુરાચાર કરે છે તેનું વર્ણન કર્યું હતું .વળી કરસનદાસે કેટલાક વૈષ્ણવ મહારાજોના દુરાચારો અને તેમણે આચરેલી અનીતિ સામે ચાબખામાર લેખો પ્રકાશિત કરવા માંડ્યા.આ વાતાવરણમાં મુંબઈના મુખ્ય મહારાજ જીવણલાલજી પર કોઈએ દાવો માંડ્યો અને સમન્સ કાઢી તેમને કોર્ટમાં બોલાવ્યા. ત્યારે મહારાજે દર્શન બંધ કર્યા. આ સંદર્ભે તેમના સેવકોએ ત્રણ શરતો કબૂલ કરી ત્યારે જ દર્શન ખુલ્યા .આ ત્રણ શરતો હતી (૧) કોઈ મહારાજને સમન્સ કાઢી સરકાર કોર્ટમાં ન બોલાવે એવો કાયદો પસાર કરાવવા બધા સેવકોએ અરજી કરવી, અને તે માટે ૬૦૦૦ રૂપિયાનું ભંડોળ કરી વકીલ રોકવો (૨) મહારાજોની ટીકા કરનારને નાત બહાર મૂકવો (૩) મહારાજ સામેની તકરારનો નિવેડો પાંચ મારફત ઘરમેળે પતાવવો.
આવી શરતોની ઝાટકણી કાઢતો લેખ 'સત્ય પ્રકાશ' માં કરસનદાસે લખ્યો અને શરતોવાળા દસ્તાવેજને 'ગુલામી ખત' કહ્યો.મહારાજની ટીકા અને શરતોને ગુલામી ખત કહેવા માટે કરસનદાસને નાત બહાર મૂકવાની વાત ઉઠી પણ તે શક્ય બન્યું નહિ અને બીજી શરતો કોઈએ માની નહિ આમ આ ગુલામી ખત નો ફિયાસ્કો થઈ ગયો અને તેનો જશ કરસનદાસ ને મળતાં મુંબઈમાં તેમનો જય જયકાર થયો.મહારાજને આ હાર જીરવાઇ નહિ અને તેમને મુંબઈ છોડવું પડ્યું.
વર્ષ ૧૮૬૦ ના ઓકટોબરની ૨૧ તારીખે સત્ય પ્રકાશમાં કરસનદાસે એક ઐતિહાસિક લેખ લખ્યો 'હિન્દુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' આ લેખનો સંદર્ભ એવો છે કે સુધારાનો પ્રભાવ જોઈ તેને ખાળવા સુરતથી મહારાજ જદુનાથ મુંબઈ આવ્યા અને તેમની અને કરસનદાસ વચ્ચે તીખા લેખોની હારમાળા મુંબઈના છાપાંઓમાં સર્જાઈ .તેમના ઉપરોક્ત લેખમાં કરસનદાસ લખે છે, "મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોલા લોકોને ઠગવાનો છે તે અસલના વેદ પુરાણ વગેરેના ગ્રંથોથી સાબેત થાય છે. એટલું જ નહિ, પણ મહારાજોના બનાવેલાં પુસ્તકો ઉપરથી સાબેત થાય છે કે મહારાજોએ કાંઈ નહિ પણ નવું પાખંડ અને તીખલ કીધું છે ... ધર્મગુરુઓ જહાં સુધી વ્યભીચારના સમુદરમાં ડૂબેલા માલૂમ પડશે તહાં સુધી તેઓથી ધરમનો બોધ થઈ શકવાનો નથી તે સત્ય કરીને જાણજો".
કરસનદાસના આવા હુમલા સામે જદુનાથજી મહારાજે કરસનદાસ ઉપર પચાસ હજાર રૂપિયાનો માનહાનિનો દાવો સુપ્રીમ કોર્ટમાં કર્યો.કરસનદાસના પુરાવાઓનો મહત્વનો આધાર ભાટિયાઓની સાક્ષીઓ પર હતો કેમકે તેઓ મહારાજના શિષ્યો હતા. ૧૮૬૧ ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે ભાટિયાઓનું મહાજન મળ્યું અને મહારાજની વિરુદ્ધ કોઈએ સાક્ષી આપવી નહિ અને જો કોઈ આપે તો તેને નાત બહાર મૂકવા એવા ઠરાવ પર સહીઓ થઈ.ભાટિયા નાતમાં સુધારા કરનાર મથુરાદાસ લવજી અને શેઠ લક્ષ્મીદાસ ખીમજી તેમજ ગોકુળદાસ તેજપાળના પ્રભાવને કારણે કરસનદાસને જરૂરી સાક્ષી મળી ગયા.૧૭ ડિસેમ્બર, ૧૮૬૧ ના દિવસે કોર્ટે નવ ભાટિયા આગેવાનોને ગુનેગાર ઠેરવ્યા .આ કેસમાં વિજય મળ્યો પણ મહારાજનો માનહાનિનો કેસ જે લાયેબલ તરીકે ઇતિહાસ પ્રસિદ્ધ છે તે તો મોટો પડકાર હતો.તેનું કારણ એ હતું કે એ સમયે માત્ર મુંબઈમાં જ પચાસ હજાર લોકો મહારાજના પક્ષે હતા અને મુંબઈ બહાર તો લાખો લોકો.તેની સામે ૨૮ વર્ષના કરસનદાસ ઝઝૂમી રહ્યા હતા .એ સમયે કવિ નર્મદથી માંડી અનેક સુધારાવાદીઓએ કરસનદાસ માટે જુબાની આપી.૨૮ જાન્યુઆરી ,૧૮૬૨ ના દિવસે મુંબઈની સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો સર મેથ્યુ સાસ અને સર જોસેફ આર્નોલ્ડ દ્વારા કરસનદાસ ને નિર્દોષ ઠરાવવામાં આવ્યા .તેમને વાદી પક્ષ તરફથી ૧૧૫૦૦ રૂપિયા ખર્ચ પેટે કોર્ટે અપાવ્યા.
કરસનદાસ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેમણે અનેકવિધ પ્રકારના લખાણો દ્વારા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીઓની સેવા કરી છે.વર્ષ ૧૮૫૬ માં મુંબઈથી પ્રકાશિત મહિલા 'સ્ત્રીબોધ' સામયિકના તંત્રી તરીકે વર્ષ ૧૮૬૦ થી ૧૮૬૨ સુધી પ્રદાન.કર્યું હતું. વર્ષ ૧૮૬૨ માં કરસનદાસ શેઠ કરસનદાસ માધવદાસના વેપાર માટે ઇંગ્લેન્ડ ગયા .જો કે ત્યાં પણ ફેફસાની તકલીફને કારણે સાત મહિનામાં સ્વદેશ પાછા આવ્યા. પરંતુ ત્યાંના પ્રવાસની અનેક વિગતો સમાવતું પુસ્તક 'ઇંગલાંડની મુસાફરી' પ્રકાશિત કર્યું .એ સમયે વિદેશ જવું અર્થાત્ દરિયો પાર કરવો એ હિન્દુઓની ઉપલી જ્ઞાતિઓમાં પાપ મનાતું. જદુનાથ મહારાજ સામેના સંઘર્ષથી કરસનદાસની કપોળ વાણિયાઓની. નાત ખફા હતી અને વિદેશ જવાથી બળતામાં ઘી ઉમેરાયું. પરિણામે નાતે કરસનદાસને નાત બહાર મૂક્યા.
વર્ષ ૧૮૬૩ થી ૬૫ દરમ્યાન શેર મેનિયાના ભરડામાં અનેક ગુજરાતીઓ બેહાલ થઇ ગયા. રસ્તા પર આવી ગયા અને કંગાળ થયા. કરસનદાસ પણ શેર સટ્ટામાં ફસાયા પણ ઘણી તકલીફ બાદ તેમાંથી ઉગરી ગયા.પાલીતાણાના ઠાકોર અને જેનો વચ્ચે શેત્રુંજી ડુંગર વિશેના વિવાદમાં જૈનોએ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઇ દ્વારા કરસનદાસ ને ઇંગ્લેન્ડ મોકલ્યા પણ નાદુરસ્ત તબિયતને કારણે ત્યાં લાંબુ રહી શક્યા નહિ.ઈંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ તેઓ રાજકોટમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકે જોડાયા .અહીં તેમણે અનેક સુધારા કર્યા. ત્યાંના ઠાકોર સગીર હોવાથી કરસનદાસ ના હાથમાં કારભાર આવ્યો .રાજકોટથી તેમણે 'વિજ્ઞાન વિલાસ' સામયિક શરૂ કર્યું. રાજકોટમાં મ્યુનિસિપાલિટી, નિશાળો, લાયબ્રેરી જેવી સંસ્થાઓ સ્થાપી.
મુંબઈમાં તેમના કપોળ મિત્ર શેઠ માધવદાસનું તેમની જ નાતની વિધવા ધનકોર સાથે લગ્ન થયું એ ગુજરાતી હિન્દુઓની ઉપલી.જ્ઞાતિનું પ્રથમ વિધવા પુનઃ લગ્ન મનાય છે .આ લગ્ન થવા પાછળ કરસનદાસનો અમૂલ્ય સહયોગ રહ્યો.કરસનદાસ ના મહત્વના પુસ્તકોમાં દસ હજાર શબ્દો ધરાવતો લઘુકોષ 'ધ પોકેટ ગુજરાતી-ઈંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨), 'નીતિ સંગ્રહ' (૧૮૫૬), ' 'સંસાર સુખ' (૧૮૬૦) 'મહારાજો નો ઈતિહાસ' (૧૮૬૫), 'વેદ ધર્મ અને વેદ ધર્મ પછીના પુસ્તકો' (૧૮૬૬) અને 'કુટુંબ મિત્ર' (૧૮૬૭) મુખ્ય છે.
૧૮૭૦ બાદ કરસનદાસની બદલી લીંબડી થઈ. ત્યાં હરસના રોગથી વર્ષ ૧૮૭૧ માં ૨૪ ઓગસ્ટના દિવસે માત્ર ૩૯ વર્ષની ઉમરે આ મહાન સામાજિક સુધારકનું અવસાન થયું.
---
સ્રોત:  ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.