सीधे मुख्य सामग्री पर जाएं

14 એપ્રિલ 2024 સુધીમાં ભારતનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરો

- કાંતિલાલ યુ. પરમાર 
ભારતના વડાપ્રધાનશ્રીને "આભડછેટ મુકત ભારત" કરવા ખુલ્લો પત્ર...
 વિષય:- 14 એપ્રિલ 2024 સુધીમાં ભારત દેશનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરી "આભડછેટ મુકત ભારત"ની શરૂઆત કરવા બાબત.
અમો દેશના અનુસૂચિત જાતિના લોકો માંગ કરીએ છીએ કે આગામી 14 એપ્રિલ 2024 સુધીમાં ભારત દેશનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરો"
આભડછેટ નાબુદ કરવાની કેન્દ્ર અને  રાજ્યની "બંધારણીય જવાબદારી" જે કેન્દ્ર અને રાજ્ય સરકારે નિભાવવી જોઈએ અથવા તો સરકાર બંધારણીય જવાબદારી નિભાવવા સરકાર સક્ષમ નથી તેવું જાહેર કરવું જોઈએ.
દેશમાં અનેક પ્રકારની આભડછેટ અનુસૂચિત જાતિના 22 કરોડ લોકો સાથે પાળવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિના લોકોથી મોજડી ન પહેરાય, સારા કપડાં ન પહેરાય, સોનાનો ચેન ન પહેરાય, ઘોડા પર બેસી ન શકાય, વરઘોડો કાઢી ન શકાય, મંદિરમાં પ્રવેશી ન  શકાય, સરકારી સ્કૂલમાં ચાલતા મધ્યાન ભોજનમાં બેસવામાં અલગ લાઈન, અલગ વાસણો, અલગ પીવાના પાણીના માટલા, ગામે અલગ પાણીના કુવા, ગામે એક ખૂણામાં અલગ રહેણાંક વસાહતો, દેશમાં ગામે ગામ અલગ સમશાન જેવી આભડછેટની અનેક ઘટનાઓ રોજ બરોજ જોવા અને છાપાઓમાં વાંચવા મળે છે,  દેશમાં આભડછેટની અનેક ઘટનાઓ સામે આવેલ છે,હાલમાં જ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર  ગામે મંદિર પ્રવેશ બાબતે જીવલેણ હુમલો, કચ્છ ના રાપર તાલુકાના સેલારી ગામમાં જમવામાં અલગ બેસાડવા, વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની પીલોલની ઘટના સામે આવેલ છે,જેમાં ગરબા રમવા અને ગાવામાં આભડછેટ રાખવાની ઘટના, બનાસકાંઠામાં ડેરીમાં દૂધ ન લેવાની ઘટના, બિલેશ્વરપુરા, ચડાસણા ગામમાં ઘટેલ ઘટનાઓ જેવી દેશમા દરરોજ ઘટે છે, પણ સબ સલામતના દાવા કરાય છે અને વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરાય છે.
સમસ્યાથી દૂર ભાગવાને બદલે સરકાર સમસ્યાનો સામનો કરી ઉકેલ લાવે તે ખૂબ જ જરૂરી છે, સામાજિક જાગૃતિ અને લોકોના માઈન્ડ સેટ બદલે તે માટેના કાર્યક્રમ અને આભડછેટ પર અંકુશ લાવવા માટે તમામ લોકોએ સહિયાળા પ્રયાસ કરવા જરૂરી છે. પણ સરકારમાં રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ જોવા મળે છે, અને પ્રશ્રને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
શા માટે છાતી ઠોકીને વિશ્વ સમક્ષ રંગભેદની જેમ આભડછેટ વિરુદ્ધ વૈશ્વિક લેવલે ઝુંબેશ ઉપાડવામાં આવતી નથી, શા માટે વિશ્વ સમક્ષ આ વાતની કબૂલાત કરવામાં આવતી નથીઃ કે આ સવાલ ભારતમાં છે અને તેને દૂર કરવા અમો વૈશ્વિક મદદ માંગીએ છીએ.
ભારતીય બંધારણની કલમ 17 મુજબ કોઈપણ પ્રકારની આભડછેટ પાળવી કે પ્રોત્સાહન આપવું કાયદેસર સજા પાત્ર ગુનો જાહેર કરવામાં આવેલ છે, છતાંય ભારતમાં આભડછેટ ગામે ગામ ખદબદે છે, આના માટે કોણ જવાબદાર?
ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારમાં કલમ 17 માં સામેલ અનુસૂચિત જાતિ વર્ગના લોકો સાથે પાળવા/રાખવામાં આવતી આભડછેટ બંધારણીય અધિકારનો ખુલ્લેઆમ ભંગ સમાન છે, જેમાં રાજ્ય કે કેન્દ્ર ચૂપ બેસી ન શકે, લોકોના બંધારણીય અધિકારોનો સવાલ છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની આભડછેટ નાબૂદ કરવી સંયુક્ત જવાબદારી બને છે.
ફક્ત વાતોથી જમીની હકીકત બદલતી નથી.
શા માટે આભડછેટને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમસ્યા જાહેર કરવામાં આવતી નથી? આ આભડછેટના  મુદ્દાને શા માટે યુનોમાં લઇ જવામાં આવતો નથી? શા માટે યુનોમાં આભડછેટના મુદ્દાની ચર્ચા કરવામાં આવતી નથી? ભારતના વડાપ્રધાનશ્રીને આભડછેટ મુદ્દે જાહેરમાં પોતાનો મત વ્યક્ત કરવા અને આભડછેટને માનવતા વિરુદ્ધનો ગુનો જાહેર કરવા અને આભડછેટ પાળનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા એડવાઇઝરી જાહેર કરે 
આભડછેટ નાબુદી માટે કેન્દ્ર અને દરેક રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ:-
સૌ પ્રથમ તો આભડછેટને રાષ્ટ્રીય સમસ્યા જાહેર કરો,
આભડછેટ પાળનાર અને તેને પ્રોત્સાહન આપનારને ઓછામાં ઓછી દસ વર્ષની સજા થાય તેવો કાયદો બનાવો.
આભાળછેટનું આચારણ કરનાર કે પ્રોત્સાહન આપનારની ભારતીય નાગરિકતા રદ્દ કરવામાં આવે, સરકારી નોકરીમાં અયોગ્ય જાહેર કરવામાં આવે, સરકારી તમામ સહાયથી વંચિત કરવામાં આવે અને તે વ્યકતિને માનસિક રોગી જાહેર કરવામાં આવે.
હાલમાં દેશમાં અને રાજયોમા જાતીવાદી માનસિકતા ઘરાવતા લોકો દ્વારા અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ ઘૃણા ઉપજાવતી આકાર પામતી અને બનતી અતિ ગંભીર ઘટનાઓમાં અનુસુચિત જાતિના લોકોને મૂછો ન રાખવા દેવી, લગ્નમાં વરઘોડો જાહેરમાં ન કાઢવા દેવો, મોજડી ન પહેરવા દેવી, સોનાના દાગીના ન પહેરવા દેવા, ઘોડા પર ન ચડવા દેવા, નામ પાછલ સિહ રાખવા બાબતે, જાહેર સ્મશાનનો ઉપયોગ ન કરવા દેવો, જાહેર જગ્યા પરથી પાણી ન ભરવા દેવું, જાહેર જગ્યાનો ઉપભોગ ન કરવા દેવો, નિશાળમાં મીડ ડે મિલ (મધ્યાહ્નન)ભોજનમાં અલગ બેસાડવા, હત્યા કરવી, અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કાર કરવો, મરવા મજબુર કરવા, અપહરણ કરવું, ગામ છોડવા મજબુર કરવા કે ગામ છોડાવવું,  બાળકો માટે અલગ વાસણ રાખવા, અલગ પીવાના પાણીના ગ્લાસ રાખવા, પંચાયતમાં ખુરશી પર ચુટાયેલ પ્રતિનિધિને બેસવા ના દેવા,  જાહેરમાં રસ્તા પર ન ચાલવા દેવા, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ  વિગેરે પ્રકારના બનાવો જાતિવાદી અને જ્ઞાતિવાદી જડ માનસિકતામાં માનતા અને આભડછેટ પાળતા લોકો દ્વારા આવા ગેર બંધારણીય અને કાયદા વિરુદ્ધના કૃત્યને અંજામ આપતા દેશમા જોવા મળે છે. 
ભારતીય બંધારણમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી બંધારણના આર્ટીકલ -૧૭ મુજબ આ દેશમાંથી આભડછેટ નાબુદ કરવામાં આવી છે અને કોઈ પણ સ્વરૂપે આભડછેટ પાળવી તે ગુનો બને છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. લોકોના મૂળભૂત અધિકારમાં સમાવવામાં આવેલ આભડછેટ કોઈ પણ સ્વરૂપે દેશના કોઈપણ રાજ્યમાં ચાલુ હોય તો તેની નાબુદી કરવી એ કેન્દ્ર અને  સરકાર જવાબદારી છે. આભડછેટ જડમૂળથી નાબૂદ થાય અને તેમાંથી ઉત્પન્ન થતી હિંસા અને તેના લીધે ભોગ બનતા લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો અને માનવ અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક પગલા ભરવા જોઈએ અને આભડછેટના ભોગ બનતા અનુસૂચિત જાતિના લોકોના મૂળભૂત અધિકારોના પુન: સ્થાપન માટે સરકારે શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ.
આભડછેટને નાબુદ કરવી તે કેન્દ્ર અને રાજ્યની જવાબદારી બને છે.
કેન્દ્ર  રાજ્ય સરકાર તેની જવાબદારીઓમાંથી કોઈ પણ રીતે છટકી ન શકે, આભડછેટ નાબુદી કેન્દ્ર અને રાજયની બંધારણીય જવાબદારી છે અને તે મુજબ વર્તવા કેન્દ્ર અને રાજ્ય બંધાયેલ છે.
અનુસૂચિત જાતિ વર્ગના લોકોના બંધારણીય અધિકારો અને માનવ અધિકારોનું રક્ષણ કરવામાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નિષફળ જાય તો એક સેકન્ડ પણ તેમને સતા પર રહેવાનો અધિકાર નથી.
દેશમાં આભડછેટ નાબુદી માટે કેન્દ્ર અને રાજ્યમાં જિલ્લાવાર અને રાજ્ય લેવેલે કાર્યક્રમ નક્કી કરી આ અંગે કેન્દ્ર અને રાજ્યના બજેટમાં પુરતા નાણાની  ફાળવણી કરવામાં આવે.
દેશના વિભિન્ન રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષમાં જેટલા પણ લોકો આભડછેટના કારણે હિંસાનો ભોગ બનેલ હોય તેમનું કેન્દ્ર રાજય સરકાર સાથે મળી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 ના નિયમો 1995 ના પેટા નિયમ 15 મુજબ ખાસ આકસ્મિક યોજનામાં પુન:વસન કરે.
દેશના દરેક રાજ્યમાં જીલ્લા અને તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે ટીવીના માધ્યમથી આભડછેટ નાબુદીના કાયદા નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ 1955નો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે.
દેશના દરેક રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ નુક્કડ સભાઓ, શેરી નાટકો, ફિલ્મો બતાવી આ કાયદા નાગરિક હક્ક સંરક્ષણ કાયદો 1955નો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે અને આ સામાજિક બદી સામે લોકોમાં સાચી જાગૃતિ ફેલાવવામાં આવે. 
દેશના દરેક રાજ્યમાં જાહેર બસ સ્ટેન્ડ, પંચાયતો, મંદિરો, ગામના પાદરે, સિનેમા ગૃહોમાં, કોર્ટોમાં, નિશાળોમાં આ સામાજિક બદી સામે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે અને લોકોને આ કાયદાથી વાકેફ કરવામાં આવે અને આ સામાજિક બદીને દુર કરવા આગળ આવવા લોકોને સમજાવવામાં આવે.
દેશની દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં આવેલ દરેક નિશાળોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના બાળકો સાથે આભડછેટ રાખવામાં ન આવે તે માટે દરેક શાળા માટે પરિપત્ર કરી સુચના આપે જેમાં મીડ-ડે મિલ (મધ્યાહ્નન) ભોજનમાં બાળકોની અલગ-અલગ લાઈન કરી જમવા ન બેસાડે, પીવાના પાણી માટે એક જ માટલું કે ટાંકી હોય, પીવાના પાણીના ગ્લાસ અલગ ન હોય, અને જમવાની ડીશ અલગ ન હોય તે બાબત શાળાના મુખ્ય શિક્ષકની અને શાળાના સંચાલકોની જવાબદારીમાં સમાવી લેવામાં આવે.
દેશની દરેક રાજ્ય સરકાર રાજ્યમાં નોકરી કરતા દરેક સરકારી કર્મચારી, ખાનગી સંસ્થાઓ, અર્ધ-સરકારી સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ  સહીત તમામ સ્તરે ચુટાયેલા પ્રતિનિધિઓ, પાસે આભડછેટ ના પાળવા અને આભડછેટની સામાજિક બદીને નાબુદી કરવા માટેના સોગંધ લેવડાવે અને તેમની પાસેથી આભડછેટ નાબુદી કરવા માટેનો સંકલ્પ પત્ર લખાવડાવે.
દેશની દરેક રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગામડાઓમાં અને શહેરોમાં ક્યાં કયા અને કેવા પ્રકારની આભડછેટ ચાલે છે તેનું સર્વે કરાવે અને એક આભડછેટના ચલણ બાબતે દસ્તાવેજ બહાર પાડે.
દેશમાં આવેલ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આભડછેટ નાબુદીનો કાર્યક્રમ જાહેર કરે અનેકેન્દ્ર સરકાર અને દરેક રાજ્યમાં રાજ્ય સરકાર રાજ્ય કક્ષાની તજજ્ઞોની સમિતિ બનાવે જેમાં કેન્દ્ર લેવલે સુપ્રીમ કોર્ટનાં જજ અને રાજ્ય લેવલે હાઇકોર્ટમાં નિવૃત જજના વડપણ નીચે કેન્દ્ર અને દરેક રાજ્યમાં બનેલ કમિટી તપાસ કરી પોતાના તપાસ અહેવાલમાં આભડછેટ નાબુદ કરવા માટેના તારણો બહાર આવે તે તારણોનો અમલ કેન્દ્ર અને રાજ્ય સરકાર આખા દેશમાં આભડછેટ નાબુદી માટે કરે.  
દેશના વડાપ્રધાન  ભારત દેશનું  એક ગામ ‘’આભડછેટ મુક્ત’’ જાહેર કરી આભડછેટ મુક્ત ભારત કરવાનો સંકલ્ય જાહેર કરે  અને આ દેશને આભડછેટ મુક્ત કરવાની શરૂઆત કરાવડાવે.  
દેશના વડાપ્રધાન કોઈપણ રાજ્યના કે કેન્દ્ર શાસિત વિસ્તારના જે ગામને ‘’આભડછેટ મુક્ત’’ જાહેર  કરે  અને એ ગામમાંથી સાચેજ આભડછેટની નાબુદી થાય તેવા ગામોને સરકાર દ્વારા વિશીષ્ટ પ્રકારની સરકારી ગ્રાન્ટ સામાજિક સેવા બદલ ગામના વિકાસના કામ માટે આપવામાં આવે અને તે ગામની બહાર ‘’આભડછેટ મુક્ત ગામ’’ બોર્ડ મારવામાં આવે.
ઉપરોક્ત તમામ માંગણીઓ અને રજૂઆત બંધારણમાં આપેલ મૂળભૂત અધિકાર આર્ટિકલ 17 (આભડછેટ નાબુદી) ની જોગવાઈ અને તે જોગવાઈ હેઠળ બનેલ કાયદાના અમલીકરણ બાબતે રાજ્યની જવાબદારી સબંધે રજૂઆત કરવામાં આવેલ છે જેનો હેતુ નબળા વર્ગના લોકોના બંધારણીય અધિકારો અને તેઓના માનવ અધિકારોનુ રક્ષણ થાય અને કાયદાના અસરકારક અમલીકરણથી સુરક્ષા મળી રહે જેથી બંધારણના આર્ટિકલ 21 મુજબ આપવામાં આવેલ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારને ભોગવી શકાય અને તે રીતે જીવન જીવી શકાય.
---
*સામાજિક કાર્યકર

टिप्पणियाँ

RAVIKUMAR RAJABHAI MAKWANA ने कहा…
CHALANE..

IF GOVERNMENT TAKE IT.

WE REALLY FEEL LIKE THAT, THIS GOVERNMENT HAS 56'

ट्रेंडिंग

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

ગુજરાતના સ્થાપના દિવસે યાદ કરીએ ભારતના વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી પુરાતત્વવિદ્ ને

- ગૌરાંગ જાની*  આજે કોઈ ગુજરાતી એ કલ્પના પણ ન કરી શકે કે વર્ષ ૧૮૩૯ માં જૂનાગઢમાં જન્મેલા એક ગુજરાતી વિશ્વ પ્રસિદ્ધ બની શકે! પણ આપણે એ ગુજરાતીને કદાચ વિસરી ગયા છીએ જેમણે ગિરનારના અશોક શિલાલેખને દોઢસો વર્ષ પૂર્વે ઉકેલી આપ્યો.આ વિદ્વાન એટલે ભગવાનલાલ ઈન્દ્રજી. ૭ નવેમ્બર, ૧૮૩૯ ના દિવસે જૂનાગઢના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જૂનાગઢના એ સમયે અંગ્રેજી શિક્ષણની સગવડ ન હોવાને કારણે તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું પણ પાછળથી તેમણે ખપ પૂરતું અંગ્રેજી જાણી લીધું હતું.

Under Modi, democracy is regressing and economy is also growing slowly

By Avyaan Sharma*   India is "the largest democracy in the world", but now its democracy is regressing and its economy is also growing slowly. What has PM Modi's ten years in power brought us? Unemployment remains high. Joblessness is particularly high among India's youth - with those aged 15 to 29 making up a staggering 83% of all unemployed people in India, according to the "India Employment Report 2024", published last month by the International Labour Organisation (ILO) and the Institute of Human Development (IHD). The BJP-led government did not provide jobs to two crore youth in a year as was promised by Modi in the run up to the 2014 general elections.

नफरती बातें: मुसलमानों में असुरक्षा का भाव बढ़ रहा है, वे अपने मोहल्लों में सिमट रहे हैं

- राम पुनियानी*  भारत पर पिछले 10 सालों से हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी (भाजपा) राज कर रही है. भाजपा आरएसएस परिवार की सदस्य है और आरएसएस का लक्ष्य है हिन्दू राष्ट्र का निर्माण. आरएसएस से जुड़ी सैंकड़ों संस्थाएँ हैं. उसके लाखों, बल्कि शायद, करोड़ों स्वयंसेवक हैं. इसके अलावा कई हजार वरिष्ठ कार्यकर्ता हैं जिन्हें प्रचारक कहा जाता है. भाजपा के सत्ता में आने के बाद से आरएसएस दुगनी गति से हिन्दू राष्ट्र के निर्माण के अपने एजेण्डे को पूरा करने में जुट गया है. यदि भाजपा को चुनावों में लगातार सफलता हासिल हो रही है तो उसका कारण है देश में साम्प्रदायिकता और साम्प्रदायिक मुद्दों का बढ़ता बोलबाला. इनमें से कुछ हैं राम मंदिर, गौमांस और गोवध एवं लव जिहाद. 

Laxmanpur Bathe massacre: Perfect example of proto-fascist Brahmanical social order

By Harsh Thakor  The massacre at Laxmanpur-Bathe of Jehanabad in Bihar on the night of 1 December in 1997 was a landmark event with distinguishing features .The genocide rightly shook the conscience of the nation in the 50th year of Indian independence. The scale of the carnage was unparalleled in any caste massacre. It was a perfect manifestation of how in essence the so called neo-liberal state was in essence most autocratic. 

रैंकिंग: अधिकांश भारतीय विश्वविद्यालयों का स्तर बहुत गिरा, इस साल भी यह गिरवाट जारी

- प्रमोद रंजन*  अप्रैल, 2024 में भारतीय विश्वविद्यालयों की अंतर्राष्ट्रीय स्तर पर उच्च रैंकिंग की चर्चा रही। मीडिया ने इसका उत्सव मनाया। लेकिन स्थिति इसके विपरीत है। वैश्विक विश्वविद्यालय रैंकिग में अच्छा स्थान मिलने की खबरें, कुछ संस्थानों को इक्का-दुक्का विषयों में मिले रैंक के आधार पर चुनिंदा ढंग से प्रकाशित की गईं थीं। वास्तविकता यह है कि हाल के वर्षों में हमारे अधिकांश विश्वविद्यालयों का स्तर बहुत गिर गया है। इस साल भी यह गिरवाट जारी रही है।

प्राचीन भारत के लोकायत संप्रदाय ने कुछ परजीवियों की खूब खबर ली: प्रमुख प्रस्थापनायें

- राणा सिंह   भारत में परजीवियों का एक विशाल समूह है जो बोलता है कि “सब कुछ माया है”,  लेकिन व्यवहार में यह समूह सारी जिंदगी इसी “माया” के पीछे पागल रहता है।  प्राचीन भारत के लोकायत संप्रदाय ने इन परजीवियों की खूब खबर ली थी।

नोएडा में मैन्युअल स्कैवेंजर्स की मौत: परिवारों को मुआवजा नहीं, प्राधिकरण ने एफआईआर नहीं की

- अरुण खोटे, संजीव कुमार*  गत एक सप्ताह में, उत्तर प्रदेश में सीवर/सेप्टि क टैंक सफाई कर्मियों की सफाई के दौरान सेप्टिक टैंक में मौत। 2 मई, 2024 को, लखनऊ के वज़ीरगजं क्षेत्र में एक सेवर लाइन की सफाई करते समय शोब्रान यादव, 56, और उनके पत्रु सशुील यादव, 28, घटुन से हुई मौत। एक और घटना 3 मई 2024 को नोएडा, सेक्टर 26 में एक घर में सेप्टि क टैंक को सफाई करते समय दो सफाई कर्मचर्मारी नूनी मडंल, 36 और कोकन मडंल जिसे तपन मडंल के नाम से जानते हैं, की मौत हो गई। ये सफाई कर्मचर्मारी बंगाल के मालदा जिले के निवासी थे और नोएडा सेक्टर 9 में रहते थे। कोकन मडंल अपनी पत्नी अनीता मडंल के साथ रहते थे। इनके तीन स्कूल जाने वाले बच्चे हैं जो बंगाल में रहते हैं। नूनी मडंल अपनी पत्नी लिलिका मडंल और अपने पत्रु सजुान के साथ किराए पर झग्गी में रहते थे। वे दैनिक मजदरूी और सफाई कर्मचर्मारी के रूप में काम करते थे।

दाँव उल्टा पड़ा: राहुल गांधी के रूप में हम एक साधारण इंसान को नायक होते देख रहे हैं

-  अमिता नीरव  संघ औऱ बीजेपी ने राहुल गाँधी पर जो सोचकर ‘इन्वेस्ट’ किया था, उसके परिणाम गंभीर रूप से नुकसानदेह आ रहे हैं। ये थोड़ी अटपटी बात लग सकती है, लेकिन सोचिएगा कि संघ और बीजेपी ने राहुल गाँधी को जितना गंभीरता से लिया, उनकी संभावनाओं को लेकर वे जितना श्योर थे, उतना तो खुद राहुल और कांग्रेस भी नहीं थी।

બે પુખ્ત યુવક-યુવતીન જીવનસાથી બનવા નક્કી કરે તો સત્તાધારીઓના પેટમાં કેમ ગોળો ચઢે છે?

- બિપિન શ્રોફ   “લવ જેહાદ”! કેવો લાગ્યો આ  શબ્દ?  શું મારુ કે તમારું નાકનું ટેરવું તો ચઢી ગયું  નથી ને? લખનાર અને વાંચનાર બે માંથી કોઈના મા-બાપની કોઈ ગરાશ તો લૂંટાઈ ગઈ નથી ને ? એ તો જેને વીતે તેને ખબર પડે? પરોપ દેશે પાંડિત્યમ! કેમ? ખરી વાત ને?